SOU ના CEO શુ જુવે છે કેમ કોઈ પગલાં ભરતા નથી
કોવિડ ગાઇડલાઇન, કન્ટેનમેન્ટ ઝોન, બફર ઝોન માત્ર સામાન્ય જનતા માટે
ફૂડ કોર્ટમાં કેટલાય પ્રવાસીઓના રોજના ફૂટ સ્ટેપ
ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી SOU પર રોજ હજારો પ્રવાસી ઊમટતા હોય સુપર સ્પ્રેડરનો ખતરો નજર અંદાઝ ન કરી શકાય
રાજ્યમાં ધુળેટીની ઉજવણી પર રોક, જ્યારે SOU ના દ્વાર સોમવારે ધુળેટી માટે ખુલ્લા મૂકી દેવાયા
WatchGujarat ગુજરાતમાં પણ કોરોનાના 1 વર્ષ બાદ ફરીથી બીજી લહેરનો કહેર ઉઠ્યો છે. ત્યારે SOU જાણે કોરોના ફ્રી ઝોન હોય તેમ તંત્ર વર્તી રહ્યું છે. SOU ફૂડઝોનમાં સાગમટે 5 કર્મચારીઓ કોરોના સંક્રમિત થવા છતાં ફૂડકોર્ટ ધમધમાવવામાં આવી રહી છે.
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] Statue of Unity[/caption]
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ નર્મદા પાસે SOU ના CEO નો ચાર્જ છે, સમગ્ર જિલ્લામાં કોરોના ની જવાબદારી તેમના શિરે છે, તેઓ કામગીરી પણ સારી કરી રહ્યા છે પરંતુ હાલ બે ત્રણ દિવસ પહેલા SOU ના પરિસર માં એક ફૂડ કોર્ટ આવેલી છે જેમાં તમામ ઉંચી બ્રાન્ડ ધરાવતી સંસ્થાઓ દુકાનો ધરાવે છે. જે ફૂડ કોર્ટમાં કામ કરતા 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આરોગ્ય વિભાગને જાણ થઇ તેમને તરત કોવીડ 19 હોસ્પિટલ રાજપીપલા સારવાર માટે લઇ જવાયા હાલ પણ તેઓ સારવાર લઇ રહ્યા છે પરંતુ આ ફૂડકોર્ટ ન તો કન્ટેનમેન્ટ ઝોન બન્યું કે બફર ઝોન, સૅનેટાઇઝ કરાયું, આ પાંચ કર્મચારીઓ કેટલા ટેબલો ને અડ્યા હશે, કેટલી પ્લેટો, દરવાજા જેમનાથી કેટલા સંક્રમિત થયા હશે છતાં બીજા અન્ય કોઈ કર્મચારીઓ ના ટેસ્ટિંગ સુદ્ધાં કરવામાં આવ્યા નથી. ભલે જિલ્લા કલેક્ટર SOU ના CEO પણ તેમની પાસે આ ફૂડકોર્ટ બંધ કરવાંના પાવર નથી.
નર્મદા જિલ્લામાં કોરોનાના રોજના 10 થી 15 દર્દીઓ આવી રહ્યા છે. કોરોના જિલ્લામાં 2000 ને પાર થઇ ગયો છે. આધિકારીઓ ની આવી બે ધારી નીતિ ને લઈને કોરોના જિલ્લામાં વધી રહ્યો છે, અને પાછું SOU ધુળેટીની રાજાઓ માં ખુલ્લું રાખી કોરોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. જિલ્લા ના અધિકારીઓ જ જાણે કે તેમણે નર્મદા માં કોરોના વધારવો છે કે ઘટાડવો છે.
હાલના તેમના નિર્ણયો ને લઈને તો એવું લાગી રહ્યું છે કે, નર્મદા માં કોરોના ફૂલે ફાલે અને નર્મદા જિલ્લાની જનતા કોરોનથી મારે. ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી SOU પર રોજ હજારો પ્રવાસી ઊમટતા હોય સુપર સ્પ્રેડરનો ખતરો નજર અંદાઝ કરી શકાય તેમ નથી. વધુમાં સોમવારે ધૂળેટીએ પણ SOU ખુલ્લું રખાયું છે જ્યારે સમગ્ર રાજ્યમાં ધુળેટી ઉજવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
SOU માટે કોઈ નિયમ નહિ, પ્રજા માટે જિલ્લામાં 144 કલમ લાગુ
કોરોનાના સંક્રમણને રોકવા કોવીડ ગાઇડ લાઇન પ્રમાણે સરકાર નવા નિયમો મૂકે છે પણ દંડાય માત્ર પ્રજા, હાલ જિલ્લા કલેક્ટરે 144 ની કલમ જિલ્લામાં લાગુ કરી છે. એટલે 3 વ્યક્તિથી વધુ કોઈ ટોળે ના વળે, હવે બીજી બાજુ ધુળેટી માટે SOU ખુલ્લું રાખી તંત્ર આવક નો સ્ત્રોત જુવે છે લોકોની જિંદગી જોખમાય તેની કોઈ દરકાર નહિ, શાળા કે કોઈ સરકારી કચેરી માં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો 15 દિવસ માટે તે બંધ કરાવી દેવામાં આવે છે, પણ SOU ના ફૂડ કોર્ટ માં 5 કર્મચારીઓ પોઝિટિવ આવે છે તે નથી બંધ કરાતું કે નથી કોઈનો ટેસ્ટ કરવામાં આવતો કેમ તેમનો ધંધો બગડે એટલે તેવા વિરોધના સુર આદિવાસી જિલ્લામાં ઉઠી રહ્યા છે.
SOU ના CEO શુ જુવે છે કેમ કોઈ પગલાં ભરતા નથી
કોવિડ ગાઇડલાઇન, કન્ટેનમેન્ટ ઝોન, બફર ઝોન માત્ર સામાન્ય જનતા માટે
ફૂડ કોર્ટમાં કેટલાય પ્રવાસીઓના રોજના ફૂટ સ્ટેપ
ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી SOU પર રોજ હજારો પ્રવાસી ઊમટતા હોય સુપર સ્પ્રેડરનો ખતરો નજર અંદાઝ ન કરી શકાય
રાજ્યમાં ધુળેટીની ઉજવણી પર રોક, જ્યારે SOU ના દ્વાર સોમવારે ધુળેટી માટે ખુલ્લા મૂકી દેવાયા
WatchGujaratગુજરાતમાં પણ કોરોનાના 1 વર્ષ બાદ ફરીથી બીજી લહેરનો કહેર ઉઠ્યો છે. ત્યારે SOU જાણે કોરોના ફ્રી ઝોન હોય તેમ તંત્ર વર્તી રહ્યું છે. SOU ફૂડઝોનમાં સાગમટે 5 કર્મચારીઓ કોરોના સંક્રમિત થવા છતાં ફૂડકોર્ટ ધમધમાવવામાં આવી રહી છે.
[caption id="attachment_5258" align="aligncenter" width="1280"] Statue of Unity[/caption]
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ નર્મદા પાસે SOU ના CEO નો ચાર્જ છે, સમગ્ર જિલ્લામાં કોરોના ની જવાબદારી તેમના શિરે છે, તેઓ કામગીરી પણ સારી કરી રહ્યા છે પરંતુ હાલ બે ત્રણ દિવસ પહેલા SOU ના પરિસર માં એક ફૂડ કોર્ટ આવેલી છે જેમાં તમામ ઉંચી બ્રાન્ડ ધરાવતી સંસ્થાઓ દુકાનો ધરાવે છે. જે ફૂડ કોર્ટમાં કામ કરતા 5 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આરોગ્ય વિભાગને જાણ થઇ તેમને તરત કોવીડ 19 હોસ્પિટલ રાજપીપલા સારવાર માટે લઇ જવાયા હાલ પણ તેઓ સારવાર લઇ રહ્યા છે પરંતુ આ ફૂડકોર્ટ ન તો કન્ટેનમેન્ટ ઝોન બન્યું કે બફર ઝોન, સૅનેટાઇઝ કરાયું, આ પાંચ કર્મચારીઓ કેટલા ટેબલો ને અડ્યા હશે, કેટલી પ્લેટો, દરવાજા જેમનાથી કેટલા સંક્રમિત થયા હશે છતાં બીજા અન્ય કોઈ કર્મચારીઓ ના ટેસ્ટિંગ સુદ્ધાં કરવામાં આવ્યા નથી. ભલે જિલ્લા કલેક્ટર SOU ના CEO પણ તેમની પાસે આ ફૂડકોર્ટ બંધ કરવાંના પાવર નથી.
નર્મદા જિલ્લામાં કોરોનાના રોજના 10 થી 15 દર્દીઓ આવી રહ્યા છે. કોરોના જિલ્લામાં 2000 ને પાર થઇ ગયો છે. આધિકારીઓ ની આવી બે ધારી નીતિ ને લઈને કોરોના જિલ્લામાં વધી રહ્યો છે, અને પાછું SOU ધુળેટીની રાજાઓ માં ખુલ્લું રાખી કોરોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. જિલ્લા ના અધિકારીઓ જ જાણે કે તેમણે નર્મદા માં કોરોના વધારવો છે કે ઘટાડવો છે.
હાલના તેમના નિર્ણયો ને લઈને તો એવું લાગી રહ્યું છે કે, નર્મદા માં કોરોના ફૂલે ફાલે અને નર્મદા જિલ્લાની જનતા કોરોનથી મારે. ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી SOU પર રોજ હજારો પ્રવાસી ઊમટતા હોય સુપર સ્પ્રેડરનો ખતરો નજર અંદાઝ કરી શકાય તેમ નથી. વધુમાં સોમવારે ધૂળેટીએ પણ SOU ખુલ્લું રખાયું છે જ્યારે સમગ્ર રાજ્યમાં ધુળેટી ઉજવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
SOU માટે કોઈ નિયમ નહિ, પ્રજા માટે જિલ્લામાં 144 કલમ લાગુ
કોરોનાના સંક્રમણને રોકવા કોવીડ ગાઇડ લાઇન પ્રમાણે સરકાર નવા નિયમો મૂકે છે પણ દંડાય માત્ર પ્રજા, હાલ જિલ્લા કલેક્ટરે 144 ની કલમ જિલ્લામાં લાગુ કરી છે. એટલે 3 વ્યક્તિથી વધુ કોઈ ટોળે ના વળે, હવે બીજી બાજુ ધુળેટી માટે SOU ખુલ્લું રાખી તંત્ર આવક નો સ્ત્રોત જુવે છે લોકોની જિંદગી જોખમાય તેની કોઈ દરકાર નહિ, શાળા કે કોઈ સરકારી કચેરી માં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો 15 દિવસ માટે તે બંધ કરાવી દેવામાં આવે છે, પણ SOU ના ફૂડ કોર્ટ માં 5 કર્મચારીઓ પોઝિટિવ આવે છે તે નથી બંધ કરાતું કે નથી કોઈનો ટેસ્ટ કરવામાં આવતો કેમ તેમનો ધંધો બગડે એટલે તેવા વિરોધના સુર આદિવાસી જિલ્લામાં ઉઠી રહ્યા છે.