સરદાર પટેલે સમગ્ર ભારતને જોડ્યા, એમની પ્રતિમા ને દેશ સાથે ભારતીય રેલવે એ જોડી : પિયુષ ગોયેલ
SOU નું હવે પછીનું નજરાણું : 500 બેડની બજેટ હોટલ
પશ્ચિમ રેલવે મિશન-2024 અંતર્ગત કામ કરી રહ્યું છે :GM આલોક કંસલ
રાજપીપળા-કેવડિયા રેલ માટે નર્મદા નદી પર મોટો બ્રિજ બનાવવો પડે
WatchGujarat સમગ્ર ભારતને જેણે જોડ્યા તેમની વિશ્વ વિરાટ પ્રતિમા SOUને ભારતીય રેલવેએ દેશ સાથે જોડી લોખંડી પુરૂષ એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી સરદાર પટેલને અંજલી આપવામાં આવી હોવાનું રેલમંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું હતું.
જ્યારે મુખ્યમંત્રી CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કેવડિયા ના નિરંતર વિકાસથી સ્થાનીય લોકોનો વિકાસ થઈ રહ્યો છે. SOU ના કારણે આદિવાસી સમાજ સમગ્ર વિશ્વ સાથે જોડાઈ રહ્યો છે. અલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં., અકલ્પનિય પરિણામ સાકાર થવાનું જીવંત ઉદાહરણ એટલે SOU તેમ વધુમાં CM એ કહ્યું હતું.કેવડિયા આવનાર દિવસોમાં વર્લ્ડ કલાસ આર્કિટેક્ટ અને પ્રવાસન માં નવી મુશાલ બનાવશે.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંશલે જણાવ્યું હતું કે, કેવડીયામાં 500 બેડની બજેટ હોટલ માટે સરકારે રેલ્વેને જમીન આપી દીધી છે. IRCTC બજેટ હોટેલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરશે. હાલ જેટલા રૂટ પર ટ્રેનો ચાલી રહી છે એ લાઈનોમાં ડબલિંગ, લાઈન કન્વર્જન, નવી લાઈનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દિલ્હીથી મુંબઇ વચ્ચે 2024 સુધીમાં 160 કિમિ પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવામાં આવશે.
રાજપીપળા કેવડિયા રેલ્વે લાઈન જો શરૂ કરવી હોય તો વચ્ચે મોટી નર્મદા નદી આવે છે એ નદી પર પુલ બનાવવો પડે એમ છે. જેથી ગુજરાત સરકાર સાથે મંત્રણા કર્યા બાદ આ મામલે વિચારવું પડશે. હાલ જે પણ રેલ્વે લાઈનો બંધ છે એ ફક્ત કોરોના મહામારીમાં પેસેન્જરો મળતા નહિ હોવાને લીધે બંધ કરાઈ છે.
આત્મનિર્ભર યોજના હેઠળ અમદાવાદ કેવડિયા જન શતાપદી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચનું ભારતીય રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત નિર્માણ થયુ છે. ભવિષ્યમાં વિસ્ટાડોમ કોચની અન્ય ટ્રેનોમાં સંખ્યા વધારશે.
સરદાર પટેલે સમગ્ર ભારતને જોડ્યા, એમની પ્રતિમા ને દેશ સાથે ભારતીય રેલવે એ જોડી : પિયુષ ગોયેલ
SOU નું હવે પછીનું નજરાણું : 500 બેડની બજેટ હોટલ
પશ્ચિમ રેલવે મિશન-2024 અંતર્ગત કામ કરી રહ્યું છે :GM આલોક કંસલ
રાજપીપળા-કેવડિયા રેલ માટે નર્મદા નદી પર મોટો બ્રિજ બનાવવો પડે
WatchGujarat સમગ્ર ભારતને જેણે જોડ્યા તેમની વિશ્વ વિરાટ પ્રતિમા SOUને ભારતીય રેલવેએ દેશ સાથે જોડી લોખંડી પુરૂષ એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી સરદાર પટેલને અંજલી આપવામાં આવી હોવાનું રેલમંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું હતું.
જ્યારે મુખ્યમંત્રી CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કેવડિયા ના નિરંતર વિકાસથી સ્થાનીય લોકોનો વિકાસ થઈ રહ્યો છે. SOU ના કારણે આદિવાસી સમાજ સમગ્ર વિશ્વ સાથે જોડાઈ રહ્યો છે. અલૌકિક સ્વપ્ન દેખવાની ક્ષમતા અને સાકાર કરવાનો પુરુષાર્થ PM મોદીમાં., અકલ્પનિય પરિણામ સાકાર થવાનું જીવંત ઉદાહરણ એટલે SOU તેમ વધુમાં CM એ કહ્યું હતું.કેવડિયા આવનાર દિવસોમાં વર્લ્ડ કલાસ આર્કિટેક્ટ અને પ્રવાસન માં નવી મુશાલ બનાવશે.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંશલે જણાવ્યું હતું કે, કેવડીયામાં 500 બેડની બજેટ હોટલ માટે સરકારે રેલ્વેને જમીન આપી દીધી છે. IRCTC બજેટ હોટેલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરશે. હાલ જેટલા રૂટ પર ટ્રેનો ચાલી રહી છે એ લાઈનોમાં ડબલિંગ, લાઈન કન્વર્જન, નવી લાઈનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દિલ્હીથી મુંબઇ વચ્ચે 2024 સુધીમાં 160 કિમિ પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવામાં આવશે.
રાજપીપળા કેવડિયા રેલ્વે લાઈન જો શરૂ કરવી હોય તો વચ્ચે મોટી નર્મદા નદી આવે છે એ નદી પર પુલ બનાવવો પડે એમ છે. જેથી ગુજરાત સરકાર સાથે મંત્રણા કર્યા બાદ આ મામલે વિચારવું પડશે. હાલ જે પણ રેલ્વે લાઈનો બંધ છે એ ફક્ત કોરોના મહામારીમાં પેસેન્જરો મળતા નહિ હોવાને લીધે બંધ કરાઈ છે.
આત્મનિર્ભર યોજના હેઠળ અમદાવાદ કેવડિયા જન શતાપદી એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચનું ભારતીય રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત નિર્માણ થયુ છે. ભવિષ્યમાં વિસ્ટાડોમ કોચની અન્ય ટ્રેનોમાં સંખ્યા વધારશે.