WatchGujarat. કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, ભારત-શ્રીલંકાની બીજી T-20 મેચ સસ્પેન્ડ. આજે મંગળવારે ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા બાદ ધવનસેના માટે આજની મેચ મહત્ત્વપૂર્ણ હતી. એવામાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતાં બંને ટીમો વચ્ચેની બીજી T-20 મેચ સ્થગિત કરવામાં આવી છે.
https://twitter.com/BCCI/status/1419972701490384899?s=20
જો બંને ટીમના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ નેગેટિવ આવ્યા તો બીજી T-20 મેચ બુધવારે (28 જુલાઈ) અને એના બીજા જ દિવસે એટલે ગુરુવારે ત્રીજી T-20 (29 જુલાઈ) મેચ રમાઈ શકે છે. અત્યારે બંને ટીમના ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
BCCIએ સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉને વનડે અને T-20માં સારું પ્રદર્શન કર્યું હોવાથી ગિફ્ટ આપી હતી. આ બંને હવે શ્રીલંકા ટૂર પછી ઇંગ્લેન્ડ જવા રવાના થવાના હતા, પરંતુ હવે કૃણાલ પંડ્યા પોઝિટિવ આવ્યા બાદ આ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. BCCIએ તેમને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે ઈજાગ્રસ્ત શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનના સ્થાને પસંદ કર્યા હતા. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે, હવે આ સાઇકલમાં પણ જો પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ નહીં જોડાય તો બંને ટીમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
WatchGujarat. કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ, ભારત-શ્રીલંકાની બીજી T-20 મેચ સસ્પેન્ડ. આજે મંગળવારે ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની હતી. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા બાદ ધવનસેના માટે આજની મેચ મહત્ત્વપૂર્ણ હતી. એવામાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવતાં બંને ટીમો વચ્ચેની બીજી T-20 મેચ સ્થગિત કરવામાં આવી છે.
જો બંને ટીમના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ નેગેટિવ આવ્યા તો બીજી T-20 મેચ બુધવારે (28 જુલાઈ) અને એના બીજા જ દિવસે એટલે ગુરુવારે ત્રીજી T-20 (29 જુલાઈ) મેચ રમાઈ શકે છે. અત્યારે બંને ટીમના ખેલાડીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
BCCIએ સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શૉને વનડે અને T-20માં સારું પ્રદર્શન કર્યું હોવાથી ગિફ્ટ આપી હતી. આ બંને હવે શ્રીલંકા ટૂર પછી ઇંગ્લેન્ડ જવા રવાના થવાના હતા, પરંતુ હવે કૃણાલ પંડ્યા પોઝિટિવ આવ્યા બાદ આ અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે. BCCIએ તેમને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે ઈજાગ્રસ્ત શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનના સ્થાને પસંદ કર્યા હતા. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે, હવે આ સાઇકલમાં પણ જો પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવ નહીં જોડાય તો બંને ટીમની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.