કડવા પાટીદાર સમાજને પાર્ટી દ્વારા કરાઈ રહેલા અન્યાયનો પત્રમાં ઉલ્લેખ
વર્તમાન ધારાસભ્યની નીતિ-રીતિથી નારાજ થઈ રાજીનામું આપ્યું
પાટીદાર આંદોલન સમયે પડકાર ઝીલીને પણ ભાજપ સાથે રહ્યો હતો
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી સત્તાધારી BJP માટે માઠા સમાચાર આવ્યા છે. 2017ની ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અને જિલ્લાના પૂર્વ મહામંત્રી એવા કડવા પાટીદાર સમાજના આગેવાન નીતિન ફળદુ (ટીનુ)એ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો છે. એમાં તેમણે જણાવ્યું છે કે, કડવા પટેલ સમાજને અન્યાય થયો છે. પાટીદાર અનામત આંદોલનમાં જે લોકોએ પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રસમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા લાલચું વ્યક્તિઓ આજે BJPમાં ટિકિટ આપવાની શરતે જોડાતા હોય તે ખોટું છે. તેવા આક્ષેપો સાથે નીતિન ફળદુએ રાજીનામુ આપ્યું છે.
જૂનાગઢ ભાજપના પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલને લખેલા રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા કડવા પટેલ સમાજને અન્યાય થતો હોઈ, એનાં ચોક્કસ કારણો ઘણા સમયથી જાણવા મળ્યાં છે. પાટીદાર આંદોલન સમયે ગમે તેવા પડકાર ઝીલીને પણ ભાજપ સાથે રહ્યો હતો. તેમ છતાં જિલ્લા સંગઠન તથા ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા પાટીદાર સમાજને રાજકીય રીતે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનમાં જે લોકોએ પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા અમુક લાલચું વ્યક્તિઓ આજે ભાજપમાં ટિકિટ આપવાની શરતે જોડાયેલા હોઈ, એ ખૂબ દુ:ખની બાબત છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી સાહેબને અપશબ્દો કહેનારા ધારાસભ્યને ભાજપમાં લઈ ખૂબ મોટું પાપ થયું છે. કડવા પાટીદાર સમાજને પાર્ટી દ્વારા કરી રહેલા અન્યાય સાથે વર્તમાન ધારાસભ્યની નીતિ-રીતિથી નારાજ થઈ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. જોકે કડવા પાટીદાર સમાજના યુવા આગેવાનના એકાએક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીંમાં કડવા પટેલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, BJPએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યું તે યોગ્ય છે પણ પાટીદાર સમાજમાં આ અભિયાન શરૂ કર્યું તે ગંભીર નિણઁય છે. ગુજરાતમાં કેટલાય યુવાનો છે . જે ને યુવા મોરચાથી પોતાની કારકિર્દી બનાવી અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણનીમાં દાવેદારી નોંધાવવાના છે. તે યુવાનોને આ જિલ્લામાં કે રાજ્યમાં પાટીદાર સમાજના યુવાનને ટિકિટ ન મળે અને લાલચુ લોકોને ટિકિટ મળે તેનો ખુબ જ ખ્યાલ રાખવો જરૂરી છે.
નીતિન ફળદુએ પત્રમાં જણાવ્યું છે, ભાજપમાં આ ધારાસભ્યને કારણે જૂથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે.
ગુજરાતના 182 ધારાસભ્યમાંથી સૌથી વધારે નરેન્દ્ર મોદી સાહેબને અપશબ્દો કહેવા અને નામ ખરાબ કરવું તેવા ધારાસભ્યને ભાજપમાં લઈ ખૂબ મોટું પાપ થયું છે. આ ધારાસભ્ય હાલની પરિસ્થિતિએ પોતાની વિધાનસભામાં સ્વતંત્ર અધિકાર આપી ભાજપએ ભૂલ કરી છે. સંગઠનના કાર્યક્રમો, ખાતમુહૂર્તના કાર્યક્રમો તેમજ અન્ય કોઈપણ જાહેર કાર્યક્રમોમાં જિલ્લા સંગઠન, ભાજપના દરેક સમાજના આગેવાનો તથા કોઈપણને જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવે છે. ભાજપમાં આ ધારાસભ્યને કારણે જૂથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે.
રાજીનામું આપવાનાં ઘણાંબધાં કારણો છે કે આવનારા સમયમાં એ ભાજપ પાર્ટીને નડતરરૂપ થશે. આ બધી બાબતોને ઘ્યાનમાં લઈને મારું રાજીનામું સ્વીકારવા નમ્ર અરજ છે.
કડવા પાટીદાર સમાજને પાર્ટી દ્વારા કરાઈ રહેલા અન્યાયનો પત્રમાં ઉલ્લેખ
વર્તમાન ધારાસભ્યની નીતિ-રીતિથી નારાજ થઈ રાજીનામું આપ્યું
પાટીદાર આંદોલન સમયે પડકાર ઝીલીને પણ ભાજપ સાથે રહ્યો હતો
WatchGujarat રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાંથી સત્તાધારી BJP માટે માઠા સમાચાર આવ્યા છે. 2017ની ભાજપમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અને જિલ્લાના પૂર્વ મહામંત્રી એવા કડવા પાટીદાર સમાજના આગેવાન નીતિન ફળદુ (ટીનુ)એ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર જાહેર કર્યો છે. એમાં તેમણે જણાવ્યું છે કે, કડવા પટેલ સમાજને અન્યાય થયો છે. પાટીદાર અનામત આંદોલનમાં જે લોકોએ પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રસમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા લાલચું વ્યક્તિઓ આજે BJPમાં ટિકિટ આપવાની શરતે જોડાતા હોય તે ખોટું છે. તેવા આક્ષેપો સાથે નીતિન ફળદુએ રાજીનામુ આપ્યું છે.
જૂનાગઢ ભાજપના પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલને લખેલા રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા કડવા પટેલ સમાજને અન્યાય થતો હોઈ, એનાં ચોક્કસ કારણો ઘણા સમયથી જાણવા મળ્યાં છે. પાટીદાર આંદોલન સમયે ગમે તેવા પડકાર ઝીલીને પણ ભાજપ સાથે રહ્યો હતો. તેમ છતાં જિલ્લા સંગઠન તથા ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા પાટીદાર સમાજને રાજકીય રીતે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનમાં જે લોકોએ પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા અમુક લાલચું વ્યક્તિઓ આજે ભાજપમાં ટિકિટ આપવાની શરતે જોડાયેલા હોઈ, એ ખૂબ દુ:ખની બાબત છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી સાહેબને અપશબ્દો કહેનારા ધારાસભ્યને ભાજપમાં લઈ ખૂબ મોટું પાપ થયું છે. કડવા પાટીદાર સમાજને પાર્ટી દ્વારા કરી રહેલા અન્યાય સાથે વર્તમાન ધારાસભ્યની નીતિ-રીતિથી નારાજ થઈ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. જોકે કડવા પાટીદાર સમાજના યુવા આગેવાનના એકાએક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીંમાં કડવા પટેલ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, BJPએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યું તે યોગ્ય છે પણ પાટીદાર સમાજમાં આ અભિયાન શરૂ કર્યું તે ગંભીર નિણઁય છે. ગુજરાતમાં કેટલાય યુવાનો છે . જે ને યુવા મોરચાથી પોતાની કારકિર્દી બનાવી અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણનીમાં દાવેદારી નોંધાવવાના છે. તે યુવાનોને આ જિલ્લામાં કે રાજ્યમાં પાટીદાર સમાજના યુવાનને ટિકિટ ન મળે અને લાલચુ લોકોને ટિકિટ મળે તેનો ખુબ જ ખ્યાલ રાખવો જરૂરી છે.
નીતિન ફળદુએ પત્રમાં જણાવ્યું છે, ભાજપમાં આ ધારાસભ્યને કારણે જૂથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે.
ગુજરાતના 182 ધારાસભ્યમાંથી સૌથી વધારે નરેન્દ્ર મોદી સાહેબને અપશબ્દો કહેવા અને નામ ખરાબ કરવું તેવા ધારાસભ્યને ભાજપમાં લઈ ખૂબ મોટું પાપ થયું છે. આ ધારાસભ્ય હાલની પરિસ્થિતિએ પોતાની વિધાનસભામાં સ્વતંત્ર અધિકાર આપી ભાજપએ ભૂલ કરી છે. સંગઠનના કાર્યક્રમો, ખાતમુહૂર્તના કાર્યક્રમો તેમજ અન્ય કોઈપણ જાહેર કાર્યક્રમોમાં જિલ્લા સંગઠન, ભાજપના દરેક સમાજના આગેવાનો તથા કોઈપણને જાણ કર્યા વગર પોતાની મનમાની ચલાવે છે. ભાજપમાં આ ધારાસભ્યને કારણે જૂથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે.
રાજીનામું આપવાનાં ઘણાંબધાં કારણો છે કે આવનારા સમયમાં એ ભાજપ પાર્ટીને નડતરરૂપ થશે. આ બધી બાબતોને ઘ્યાનમાં લઈને મારું રાજીનામું સ્વીકારવા નમ્ર અરજ છે.