વર્ષ 2007માં ધ્રોલ હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી.
જામનગર. ધ્રોલ હોસ્પિટલમાં વર્ષ 2007માં તોડફોડ કરવા મુદ્દે ભાજપનાં ધારાસભ્ય રાઘવજી પટેલ અને ત્રણ પત્રકારો સહિત પાંચને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ તમામને છ મહિનાની જેલની સજા તેમજ રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે અપીલ કરવા માટે હાલ તમામને એક મહિનાનાં જામીન પણ આપવામાં આવ્યા છે.
ધ્રોલ હોસ્પિટલમાં ગત વર્ષ 2007 મા તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત 7 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કેસ આજે ધ્રોલની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા અને પત્રકારો કરણસિંહ જાડેજા, જયેશભાઈ ભટ્ટ સહિતનાં પાંચને અદાલતે દોષિત જાહેર કર્યા છે.
નામદાર કોર્ટ દ્વારા તમામ દોષિતોને છ મહિનાની જેલની સજા તથા 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. જો કે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત પાંચેયને અપીલમાં જવા માટે કોર્ટ દ્વારા એક મહિના માટે જામીન મુક્ત પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવે તેવી પૂરતી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વર્ષ 2007માં ધ્રોલ હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી.
જામનગર. ધ્રોલ હોસ્પિટલમાં વર્ષ 2007માં તોડફોડ કરવા મુદ્દે ભાજપનાં ધારાસભ્ય રાઘવજી પટેલ અને ત્રણ પત્રકારો સહિત પાંચને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ તમામને છ મહિનાની જેલની સજા તેમજ રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે અપીલ કરવા માટે હાલ તમામને એક મહિનાનાં જામીન પણ આપવામાં આવ્યા છે.
ધ્રોલ હોસ્પિટલમાં ગત વર્ષ 2007 મા તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત 7 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેનો કેસ આજે ધ્રોલની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા અને પત્રકારો કરણસિંહ જાડેજા, જયેશભાઈ ભટ્ટ સહિતનાં પાંચને અદાલતે દોષિત જાહેર કર્યા છે.
નામદાર કોર્ટ દ્વારા તમામ દોષિતોને છ મહિનાની જેલની સજા તથા 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. જો કે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત પાંચેયને અપીલમાં જવા માટે કોર્ટ દ્વારા એક મહિના માટે જામીન મુક્ત પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ઉપલી કોર્ટમાં અપીલ કરવામાં આવે તેવી પૂરતી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.