રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 37 વર્ષથી નિકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ ટુંકાવેલા રુટ ઉપર નિકળી
અમુલના દૂધમાં ગાયનું દૂધ નહીં પણ જર્સીનું દૂધ અપાય છે, એ દૂધનું સેવન કરતા નહીં - હિંદુ મહાસભાના કન્વીનર સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી
[caption id="attachment_1389215" align="aligncenter" width="1600"] Rajkot Janmashtmi ShobhaYatra[/caption]
WatchGujarat. કોરોનાનાં દોઢ વર્ષ બાદ સરકારે નિયંત્રણો હળવા કરતા લોકોમાં જન્માષ્ટમીનાં પર્વને વધાવવા ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. ત્યારે રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 37 વર્ષથી નિકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ ટુંકાવેલા રુટ પર સિમિત વાહનો સાથે 'હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી'ના નાદ સાથે શોભાયાત્રા નિકળી હતી. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે નીતિનભાઈનું નિવેદન વ્યક્તિગત છે, હું કોઈના સ્ટેટમેન્ટનાં વખાણ કે ટીકા નથી કરતો. તો સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની શાસન મુદ્દે ભારત સરકાર ચિંતિત છે. અને કેવા પગલાં લેવા જોઈએ તે અંગે વિચારણા ચાલી રહી હોવાનું પણ કહ્યું હતું.
https://youtu.be/LkBaYDtXIx0
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 37 વર્ષથી નિકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ ટુંકાવેલા રુટ પર સિમિત વાહનો સાથે 'નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી' ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી છે. જેનું આજે સવારે 8 વાગ્યે કિશાનપરા ચોકથી સંતો-મહંતોની હાજરીમાં પ્રસ્થાન થયું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય પક્ષો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. જો કે દર વર્ષે આશરે 25 કિ.મી.ના રૂટ પર નીકળતી શોભાયાત્રા આજે નિયમોને આધિન આશરે 10 કિ.મી.ના રૂટ પર નીકળી હતી. અનેબપોરે 12 વાગ્યે તેનું સમાપન થયું હતું.
જન્માષ્ટમીની શોભાયાત્રામાં નિયમો અનુસાર માત્ર 200 લોકોની હાજરીમાં અને 50થી 60 આકર્ષક ફ્લોટ્સને બદલે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને સંક્રમણ ન ફેલાય તે માટે માત્ર મુખ્ય રથ અને પાંચ અન્ય વાહનો સાથે નીકળી હતી. દર વર્ષની પરંપરા મુજબ દેશની સ્થિતિ અન્વયે આ શોભાયાત્રાનું સૂત્ર નક્કી કરાતું હોય છે. જેમાં આ વર્ષે ‘વ્હાલી રે ગાયો, ને વ્હાલું વૃંદાવન, સખાભાવ વરસાવે, ગોકુલનંદન’ એ રથયાત્રાનું સૂત્ર જાહેર કરાયું છે. સલામતિ માટે તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે તથા ટ્રાફિક જામ અટકાવવા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ તકે હિંદુ મહાસભાના કન્વીનર સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જાહેર સભામાં મંચ પર પ્રવચન સમયે અમુલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમુલના દૂધમાં ગાયનું દૂધ નહીં પણ જર્સીનું દૂધ અપાય છે, એ દૂધનું સેવન કરતા નહીં. હજારો વર્ષો પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ ત્યારથી તેનું દૂધ અને તેમાંથી બનેલી ચીજો આપણા આહારનો હિસ્સો છે. આજે જન્માષ્ટમી છે. ત્યારે આપણે આપણી ગાય માતાના દૂધનું સેવન કરવું જોઈએ છે. જર્સી એ ગાય નહિ પ્રાણી છે. આજે જે કંઇ સમસ્યાઓ ઉભી થઇ છે તે જર્સીના દૂધના કારણે થઇ રહી છે માટે બધા લોકોને દેશી ગાયનું દૂધ પીવા વિનંતી કરું છું.લોકોએ દેશી ગાયનું દૂધ પીવું જોઇએ.
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 37 વર્ષથી નિકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ ટુંકાવેલા રુટ ઉપર નિકળી
અમુલના દૂધમાં ગાયનું દૂધ નહીં પણ જર્સીનું દૂધ અપાય છે, એ દૂધનું સેવન કરતા નહીં - હિંદુ મહાસભાના કન્વીનર સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી
WatchGujarat. કોરોનાનાં દોઢ વર્ષ બાદ સરકારે નિયંત્રણો હળવા કરતા લોકોમાં જન્માષ્ટમીનાં પર્વને વધાવવા ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. ત્યારે રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 37 વર્ષથી નિકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ ટુંકાવેલા રુટ પર સિમિત વાહનો સાથે 'હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી'ના નાદ સાથે શોભાયાત્રા નિકળી હતી. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું હતું કે નીતિનભાઈનું નિવેદન વ્યક્તિગત છે, હું કોઈના સ્ટેટમેન્ટનાં વખાણ કે ટીકા નથી કરતો. તો સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનની શાસન મુદ્દે ભારત સરકાર ચિંતિત છે. અને કેવા પગલાં લેવા જોઈએ તે અંગે વિચારણા ચાલી રહી હોવાનું પણ કહ્યું હતું.
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 37 વર્ષથી નિકળતી પરંપરાગત રથયાત્રા કોરોનાની ગાઈડ લાઈન મુજબ ટુંકાવેલા રુટ પર સિમિત વાહનો સાથે 'નંદ ઘેર નંદ ભયો જય કનૈયા લાલ કી' ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી છે. જેનું આજે સવારે 8 વાગ્યે કિશાનપરા ચોકથી સંતો-મહંતોની હાજરીમાં પ્રસ્થાન થયું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો, રાજકીય પક્ષો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. જો કે દર વર્ષે આશરે 25 કિ.મી.ના રૂટ પર નીકળતી શોભાયાત્રા આજે નિયમોને આધિન આશરે 10 કિ.મી.ના રૂટ પર નીકળી હતી. અનેબપોરે 12 વાગ્યે તેનું સમાપન થયું હતું.
જન્માષ્ટમીની શોભાયાત્રામાં નિયમો અનુસાર માત્ર 200 લોકોની હાજરીમાં અને 50થી 60 આકર્ષક ફ્લોટ્સને બદલે સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને સંક્રમણ ન ફેલાય તે માટે માત્ર મુખ્ય રથ અને પાંચ અન્ય વાહનો સાથે નીકળી હતી. દર વર્ષની પરંપરા મુજબ દેશની સ્થિતિ અન્વયે આ શોભાયાત્રાનું સૂત્ર નક્કી કરાતું હોય છે. જેમાં આ વર્ષે ‘વ્હાલી રે ગાયો, ને વ્હાલું વૃંદાવન, સખાભાવ વરસાવે, ગોકુલનંદન’ એ રથયાત્રાનું સૂત્ર જાહેર કરાયું છે. સલામતિ માટે તેમજ સંક્રમણ ન ફેલાય તે માટે તથા ટ્રાફિક જામ અટકાવવા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ તકે હિંદુ મહાસભાના કન્વીનર સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જાહેર સભામાં મંચ પર પ્રવચન સમયે અમુલ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમુલના દૂધમાં ગાયનું દૂધ નહીં પણ જર્સીનું દૂધ અપાય છે, એ દૂધનું સેવન કરતા નહીં. હજારો વર્ષો પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ ત્યારથી તેનું દૂધ અને તેમાંથી બનેલી ચીજો આપણા આહારનો હિસ્સો છે. આજે જન્માષ્ટમી છે. ત્યારે આપણે આપણી ગાય માતાના દૂધનું સેવન કરવું જોઈએ છે. જર્સી એ ગાય નહિ પ્રાણી છે. આજે જે કંઇ સમસ્યાઓ ઉભી થઇ છે તે જર્સીના દૂધના કારણે થઇ રહી છે માટે બધા લોકોને દેશી ગાયનું દૂધ પીવા વિનંતી કરું છું.લોકોએ દેશી ગાયનું દૂધ પીવું જોઇએ.