શોભાયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કૃષ્ણ જન્મોત્સવની આ ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ.
રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ રાજકોટમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તૈયારી લોકોએ શરૂ કરી દીધી છે.
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા નિયમોનાં પાલન સાથે ધાર્મિક તહેવારો ઉજવવાની છૂટ અપાઈ રહી છે. જે અંતર્ગત શહેરમાં જન્માષ્ટમીનાં પર્વ નિમિત્તે નિકળતી શોભાયાત્રાને પણ મંજૂરી આપવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટે મંજૂરી માંગવામાં આવી હતી. જેને લઈને પોલીસે ચોક્કસ નિયમો સાથે માત્ર 200 લોકો અને મુખ્ય રથ સાથે માત્ર 4 વાહનોની શોભાયાત્રા કાઢવા જણાવ્યું છે. અને આ યાત્રાનો રૂટ પણ ઘટાડવામાં આવ્યો છે. અને આ રૂટ પર ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત કુલ 1200થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે.
[caption id="attachment_1388045" align="aligncenter" width="1600"] Rajkot, Janmastmi RathYatra Route[/caption]
ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજી આ અંગેની જાણકારી આપી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે વર્ષોથી પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવે છે. ગતવર્ષે કોરોનાનું સંક્રમણ વધારે હોવાથી શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નહોતી. પરંતુ હાલ કોરોના હળવો થતા શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં માત્ર 200 લોકોની સાથે શોભાયાત્રા નીકળશે અને મુખ્ય રથની સાથે માત્ર 4 વાહન જ રહેશે. જો કે આ શોભાયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. અને નિયમો નહીં પાળનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે કૃષ્ણ જન્મોત્સવની આ ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ.
શોભાયાત્રાનાં રૂટ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આ રૂટમાં લગભગ 50%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ શોભાયાત્રા સવારે 8.30 વાગ્યે કિશાનપરા ચોક, જુની કેન્સર હોસ્પિટલની દિવાલ પાસેથી શરૂ થશે. અને જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. ટી પોઇન્ટ, ત્રીકોણબાગ, માલવીયા ચોક, લોધાવાડ ચોક, ભુતખાના ચોક, કેનાલ રોડ, બોમ્બે આર્યન ચોક, જિલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા જુની જેલ ચોક, ચુનારાવાડ ચોક, ડીલક્સ ચોક, કે.ડી. ચોક અને બાદમાં બાલકદાસજી હનુમાન ચોકથી પારૂલ ગાર્ડન ખાતે 12 વાગ્યે પૂર્ણ થશે.
શોભાયાત્રા દરમિયાન રાખવામાં આવનાર બંદોબસ્ત અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, શોભાયાત્રાને લઇને 2 ડીસીપી, 8 એસીપી, 15 PI, 42 PSI, 8 મહિલા PSI, 441 પોલીસ જવાનો, 122 મહિલા પોલીસ, 1 એસ.આર.પી. કંપનીની 2 પ્લાટુન એટલે 77 જવાનો, 2 બી.ડી.ડી.એસ.ની ટીમ એટલે કે 14 જવાનો, 162 હોમગાર્ડ જવાનો અને 331 ટીઆરબી જવાનો સાથે કુલ 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે. અને પોલીસ કમિશ્નરની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. સરકારની ગાઇડલાઇન મુજબ 200થી વધુ લોકો એકઠા થવાની મનાઈ હોવાથી પ્રજાજનોએ શોભાયાત્રામાં જોડાયા વિના બહારથી જ દર્શન કરી લેવાની અપીલ પણ તેમણે કરી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર બાદ રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ રાજકોટમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તૈયારી લોકોએ શરૂ કરી દીધી છે. શહેરના મુખ્ય ચોક તેમજ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવને લગતા જુદા-જુદા ફ્લોટ્સ તૈયાર થવા લાગ્યા છે. જેમાં કૃષ્ણની જુદી-જુદી લીલાઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય ચોક ઉપર ધ્વજા-પતાકા બાંધવાની કામગીરી ભાવિકોએ શરૂ કરી દીધી છે. અને જન્માષ્ટમીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ખડેપગે છે.
શોભાયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કૃષ્ણ જન્મોત્સવની આ ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ.
રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ રાજકોટમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તૈયારી લોકોએ શરૂ કરી દીધી છે.
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા નિયમોનાં પાલન સાથે ધાર્મિક તહેવારો ઉજવવાની છૂટ અપાઈ રહી છે. જે અંતર્ગત શહેરમાં જન્માષ્ટમીનાં પર્વ નિમિત્તે નિકળતી શોભાયાત્રાને પણ મંજૂરી આપવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટે મંજૂરી માંગવામાં આવી હતી. જેને લઈને પોલીસે ચોક્કસ નિયમો સાથે માત્ર 200 લોકો અને મુખ્ય રથ સાથે માત્ર 4 વાહનોની શોભાયાત્રા કાઢવા જણાવ્યું છે. અને આ યાત્રાનો રૂટ પણ ઘટાડવામાં આવ્યો છે. અને આ રૂટ પર ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિત કુલ 1200થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે.
[caption id="attachment_1388045" align="aligncenter" width="1600"] Rajkot, Janmastmi RathYatra Route[/caption]
ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ યોજી આ અંગેની જાણકારી આપી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે વર્ષોથી પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવે છે. ગતવર્ષે કોરોનાનું સંક્રમણ વધારે હોવાથી શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નહોતી. પરંતુ હાલ કોરોના હળવો થતા શોભાયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં માત્ર 200 લોકોની સાથે શોભાયાત્રા નીકળશે અને મુખ્ય રથની સાથે માત્ર 4 વાહન જ રહેશે. જો કે આ શોભાયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. અને નિયમો નહીં પાળનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે કૃષ્ણ જન્મોત્સવની આ ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમ થઇ શકશે નહિ.
શોભાયાત્રાનાં રૂટ અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, આ રૂટમાં લગભગ 50%નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ શોભાયાત્રા સવારે 8.30 વાગ્યે કિશાનપરા ચોક, જુની કેન્સર હોસ્પિટલની દિવાલ પાસેથી શરૂ થશે. અને જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.એસ. ટી પોઇન્ટ, ત્રીકોણબાગ, માલવીયા ચોક, લોધાવાડ ચોક, ભુતખાના ચોક, કેનાલ રોડ, બોમ્બે આર્યન ચોક, જિલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા જુની જેલ ચોક, ચુનારાવાડ ચોક, ડીલક્સ ચોક, કે.ડી. ચોક અને બાદમાં બાલકદાસજી હનુમાન ચોકથી પારૂલ ગાર્ડન ખાતે 12 વાગ્યે પૂર્ણ થશે.
શોભાયાત્રા દરમિયાન રાખવામાં આવનાર બંદોબસ્ત અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, શોભાયાત્રાને લઇને 2 ડીસીપી, 8 એસીપી, 15 PI, 42 PSI, 8 મહિલા PSI, 441 પોલીસ જવાનો, 122 મહિલા પોલીસ, 1 એસ.આર.પી. કંપનીની 2 પ્લાટુન એટલે 77 જવાનો, 2 બી.ડી.ડી.એસ.ની ટીમ એટલે કે 14 જવાનો, 162 હોમગાર્ડ જવાનો અને 331 ટીઆરબી જવાનો સાથે કુલ 1237 પોલીસ જવાનો તૈનાત રહેશે. અને પોલીસ કમિશ્નરની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે. સરકારની ગાઇડલાઇન મુજબ 200થી વધુ લોકો એકઠા થવાની મનાઈ હોવાથી પ્રજાજનોએ શોભાયાત્રામાં જોડાયા વિના બહારથી જ દર્શન કરી લેવાની અપીલ પણ તેમણે કરી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર બાદ રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ રાજકોટમાં કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તૈયારી લોકોએ શરૂ કરી દીધી છે. શહેરના મુખ્ય ચોક તેમજ સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવને લગતા જુદા-જુદા ફ્લોટ્સ તૈયાર થવા લાગ્યા છે. જેમાં કૃષ્ણની જુદી-જુદી લીલાઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય ચોક ઉપર ધ્વજા-પતાકા બાંધવાની કામગીરી ભાવિકોએ શરૂ કરી દીધી છે. અને જન્માષ્ટમીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ખડેપગે છે.