જેતપુરના ભાદર નદીના પુલ પર બની હૈયું મચમચાવતી ઘટના
રેલવે ટ્રેક પર રમી રહ્યાં હતા બે બાળકો અને અચનાક ટ્રેન આવી પહોંચી
હૈયું હચમચાવતી આ ઘટનામાં 7 અને 11 વર્ષના બે બાળકોના કરૂણ મોત નિપજ્યાં
WatchGujarat. શહેરનાં સમાકાંઠા નજીક હૈયું હચમચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં બાળકો પાટા ઉપર રમતા હતા ત્યારે અચાનક ટ્રેન આવી ચડી હતી. જેને લઈને બાળકો ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન એક બાળક ટ્રેનની ઠોકરે નદીમાં પડી જતા તેમજ બીજા બાળકનું ટ્રેન હેઠળ કચડાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. અને બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
[caption id="attachment_1290939" align="aligncenter" width="2560"] જેતપુર રેલવે ટ્રેક પર બનેલી હચમચાવી નાખનાર ઘટના[/caption]
જાણવા મળતી વિગત મુજબ આ ઘટના ભાદર નદીના પુલ પર બની છે. જેમાં બાળકોને પાટા પર રમત રમવી પાડી ભારે પડી હતી. બે બાળકો 11 વર્ષીય આર્યન કુમાર શંભુપ્રસાદ, તેમજ 7 વર્ષીય દિપુ સિંઘેર મંડલ, ટ્રેનના પાટા પર રમતા હતા. દરમિયાન ટ્રેન આવી જતા તેઓએ ભાગવાની કોશિશ કરી પરંતુ કાળનો કોળિયો બની ગયા હતા.
આ ટ્રેન રાજકોટથી સોમનાથ જતી હતી. તેની હડફેટે એક બાળક ફંગોળાઈને ભાદર નદીમાં પડ્યો હતો. તો બીજો બાળક ટ્રેનની હડફેટે બાળકો આવી જતાં બંનેનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી. અને લોકોનાં ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંને બાળકોના મૃતદેહ પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જેતપુરના ભાદર નદીના પુલ પર બની હૈયું મચમચાવતી ઘટના
રેલવે ટ્રેક પર રમી રહ્યાં હતા બે બાળકો અને અચનાક ટ્રેન આવી પહોંચી
હૈયું હચમચાવતી આ ઘટનામાં 7 અને 11 વર્ષના બે બાળકોના કરૂણ મોત નિપજ્યાં
WatchGujarat. શહેરનાં સમાકાંઠા નજીક હૈયું હચમચાવતી એક ઘટના સામે આવી છે. જેમાં બાળકો પાટા ઉપર રમતા હતા ત્યારે અચાનક ટ્રેન આવી ચડી હતી. જેને લઈને બાળકો ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન એક બાળક ટ્રેનની ઠોકરે નદીમાં પડી જતા તેમજ બીજા બાળકનું ટ્રેન હેઠળ કચડાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. અને બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આ ઘટના ભાદર નદીના પુલ પર બની છે. જેમાં બાળકોને પાટા પર રમત રમવી પાડી ભારે પડી હતી. બે બાળકો 11 વર્ષીય આર્યન કુમાર શંભુપ્રસાદ, તેમજ 7 વર્ષીય દિપુ સિંઘેર મંડલ, ટ્રેનના પાટા પર રમતા હતા. દરમિયાન ટ્રેન આવી જતા તેઓએ ભાગવાની કોશિશ કરી પરંતુ કાળનો કોળિયો બની ગયા હતા.
આ ટ્રેન રાજકોટથી સોમનાથ જતી હતી. તેની હડફેટે એક બાળક ફંગોળાઈને ભાદર નદીમાં પડ્યો હતો. તો બીજો બાળક ટ્રેનની હડફેટે બાળકો આવી જતાં બંનેનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી. અને લોકોનાં ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જેતપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંને બાળકોના મૃતદેહ પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.