શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામની સાહિનાના લગ્ન 6 મહિના પહેલા કરજણના વલણ ગામમાં રહેતા મોહસિન સાથે થયા હતા
ગત તા. 5 જાન્યુઆરીના રોજ સાહિનાનુ શંકાસ્પદ મોત થયુ હતુ.
દફનવિધી સમયે જ કેટલાક લોકોએ દિકરીના મૃત્યુ બાબતે પિતાને શંકા વ્યક્ત કરી હતી
પિતાએ શંકાના આધારે પોલીસ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી
WatchGujarat મૃત્યુ પામ્યા બાદ કોઇ વ્યક્તિનો દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢી વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓ જવલ્લે જ બનતા હોય છે. ત્યારે કરજણ તાલુકાના વલણ ગામે પરિણીતાનુ લગ્નના 6 મહિનામાં મોત થતા તેને વિધિવત રીતે દફનાવી દેવામાં આવી હતી. પરંતુ દિકરીની મૃતયુ બાબતે પિતાને શંકા જતા તેમણે કલેકટર અને પોલીસને લેખિત રજૂઆત કરી હતી. જેથી મૃતદેહ દફનાવ્યાના 19 દિવસ બાદ તેને બહાર કાઢી મોચનનુ ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટ મોર્ટમ કરવા સયાજી હોસ્પિટલમાં ખાતે મોકલવામાં આવ્યો છે.
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામની સાહિનાના વલણના મોહસીન સાથે ગત તા. 21 જૂન 2020ના રોજ લગ્ન થયા હતા. લગ્નના 6 મહિનાના ટુંકા ગાળામાં દરમિયાન ગત તા. 5 જાન્યુઆરીના 2021ના રોજ રાત્રે 10 વાગ્યાના અરસામાં સાહિનાનુ મોત નિપજ્યુ હતુ. જે બાબતની જાણ થતાં માતા-પિતા કરજણ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બીજા દિવસે વહેલી સવારે સાહિનાનો જનાજો તૈયાર કરી દફનવિધિ માટે લઇ જવાયો હતો. આ સમયે સાહિનાના પિતા મુસાભાઈના જણાવ્યા મુજબ દીકરી સાહિનાનું મોઢું જોતા નાકમાથી લોહી નીકળતું જોઈ વેવાઈને પૂછતા ગલ્લાતલ્લા કરી યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી મૃતક સાહિનાના પિતાને દીકરીના મોત બાબતે શંકા ઉત્પન્ન થઈ હતી.
તેવામાં ગત તા. 12 જાન્યુઆરી ના રોજ વલણ ગામે મુસાભાઈ દીકરી સાહિનાના કબર ઉપર ફૂલ ચઢાવવા પહોંચ્યા હતા. ત્યારે ગામના કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મુસાભાઈ ને કહ્યું કે, તમારી દીકરી સાથે અજુગતુ થયું છે. એવું સાંભળતા જ મુસાભાઈની પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પિતાની અગાઉની શંકા દીકરીનું મોત રહસ્યમય એ નકકી થઈ ગયું હતું. જેથી મુસાભાઈએ 15 જાન્યુઆરીના રોજ કરજણ પોલીસ સ્ટેશને તેમજ 19 જાન્યુઆરીએ જિલ્લા કેલેક્ટર, જિલ્લા પોલીસ વડાને દીકરીની શંકાસ્પદ મોત અંગે લેખિત ફરિયાદ કરી હતી.
મૃતક દિકરીના પિતાની રજૂઆતને ગ્રાહ્ય રાખી જિલ્લા કલેકટર અને પોલીસની મંજૂરીથી આખરે 19 દિવસ બાદ સાહિનાનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી પી.એમ માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે. જ્યાં સાહિનાની મોતનુ ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટ મોર્ટમ કરી જરૂરી નમૂના લઇ તેની તપાસ હાથ ધરાવમાં આવશે.
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામની સાહિનાના લગ્ન 6 મહિના પહેલા કરજણના વલણ ગામમાં રહેતા મોહસિન સાથે થયા હતા
ગત તા. 5 જાન્યુઆરીના રોજ સાહિનાનુ શંકાસ્પદ મોત થયુ હતુ.
દફનવિધી સમયે જ કેટલાક લોકોએ દિકરીના મૃત્યુ બાબતે પિતાને શંકા વ્યક્ત કરી હતી
પિતાએ શંકાના આધારે પોલીસ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી
WatchGujarat મૃત્યુ પામ્યા બાદ કોઇ વ્યક્તિનો દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢી વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓ જવલ્લે જ બનતા હોય છે. ત્યારે કરજણ તાલુકાના વલણ ગામે પરિણીતાનુ લગ્નના 6 મહિનામાં મોત થતા તેને વિધિવત રીતે દફનાવી દેવામાં આવી હતી. પરંતુ દિકરીની મૃતયુ બાબતે પિતાને શંકા જતા તેમણે કલેકટર અને પોલીસને લેખિત રજૂઆત કરી હતી. જેથી મૃતદેહ દફનાવ્યાના 19 દિવસ બાદ તેને બહાર કાઢી મોચનનુ ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટ મોર્ટમ કરવા સયાજી હોસ્પિટલમાં ખાતે મોકલવામાં આવ્યો છે.
શિનોર તાલુકાના મોટા ફોફળિયા ગામની સાહિનાના વલણના મોહસીન સાથે ગત તા. 21 જૂન 2020ના રોજ લગ્ન થયા હતા. લગ્નના 6 મહિનાના ટુંકા ગાળામાં દરમિયાન ગત તા. 5 જાન્યુઆરીના 2021ના રોજ રાત્રે 10 વાગ્યાના અરસામાં સાહિનાનુ મોત નિપજ્યુ હતુ. જે બાબતની જાણ થતાં માતા-પિતા કરજણ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બીજા દિવસે વહેલી સવારે સાહિનાનો જનાજો તૈયાર કરી દફનવિધિ માટે લઇ જવાયો હતો. આ સમયે સાહિનાના પિતા મુસાભાઈના જણાવ્યા મુજબ દીકરી સાહિનાનું મોઢું જોતા નાકમાથી લોહી નીકળતું જોઈ વેવાઈને પૂછતા ગલ્લાતલ્લા કરી યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી મૃતક સાહિનાના પિતાને દીકરીના મોત બાબતે શંકા ઉત્પન્ન થઈ હતી.
તેવામાં ગત તા. 12 જાન્યુઆરી ના રોજ વલણ ગામે મુસાભાઈ દીકરી સાહિનાના કબર ઉપર ફૂલ ચઢાવવા પહોંચ્યા હતા. ત્યારે ગામના કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મુસાભાઈ ને કહ્યું કે, તમારી દીકરી સાથે અજુગતુ થયું છે. એવું સાંભળતા જ મુસાભાઈની પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. પિતાની અગાઉની શંકા દીકરીનું મોત રહસ્યમય એ નકકી થઈ ગયું હતું. જેથી મુસાભાઈએ 15 જાન્યુઆરીના રોજ કરજણ પોલીસ સ્ટેશને તેમજ 19 જાન્યુઆરીએ જિલ્લા કેલેક્ટર, જિલ્લા પોલીસ વડાને દીકરીની શંકાસ્પદ મોત અંગે લેખિત ફરિયાદ કરી હતી.
મૃતક દિકરીના પિતાની રજૂઆતને ગ્રાહ્ય રાખી જિલ્લા કલેકટર અને પોલીસની મંજૂરીથી આખરે 19 દિવસ બાદ સાહિનાનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી પી.એમ માટે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે. જ્યાં સાહિનાની મોતનુ ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટ મોર્ટમ કરી જરૂરી નમૂના લઇ તેની તપાસ હાથ ધરાવમાં આવશે.