ભરતભાઈ પ્રવિણભાઈ નાકરાણી વરાછા રોડ પર રહેતા એમ્બ્રોડરીનું કામ કરે છે
2 જૂનના દિવસે બુધવારે ઇવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજમાં ગાય ગલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઉજવણી કરવા ગયા
પરત ફરતી વેળાએ કાર ડિવાયડર પર ચઢી જતા સર્જાયો અકસ્માત
WatchGujarat. સુરતના વરાછામાં રહેતા પરિવારના 5 વર્ષીય બાળકનો જન્મદિવસ હોવાથી જન્મદિવસ મનાવવા કામરેજ સ્થિત ફાર્મ હાઉસ પર ગયા હતા. અને જન્મદિવસ મનાવી પરિવાર સુરત પરત ફરી રહ્યું હતું. દરમ્યાન વાલક પાટિયા પાસે રસ્તામાં ડિવાઈડર સાથે કાર અથડાઈને પલટી મારી ગઇ હતી. જેમાં કારનો દરવાજો ખુલી જતા 5 વર્ષનો દીકરો ફંગોળાઈને ડિવાઈડર સાથે ભટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું વધુમાં કાર બાળકના પિતાનો મિત્ર ચલાવી રહ્યો હતો. અને આ ઘટના અંગે બાળકના પિતાએ તેના જ મિત્ર સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બાળકનો જન્મ દિવસ હોવાથી પરિવાર ફાર્મ હાઉસમાં ગયું હતું
સુરતમાં એક કરુણા ઘટના સામે આવી છે. જેમાં બાળકનો જન્મદિવસ ઉજવી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામના વતની ભરતભાઈ પ્રવિણભાઈ નાકરાણી વરાછા રોડ પર સરિતા દર્શન સોસાયટીમાં રહે છે. ભરતભાઇ નાકરાણી એમ્બ્રોડરીનું કામ કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની દ્રષ્ટીબેન અને પાંચ વર્ષીય પુત્ર ઇવાન છે. 2 જૂનના દિવસે બુધવારે ઇવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજમાં ગાય ગલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઉજવણી કરવા ગયા હતા. નાકરાણી પરિવારે રાત્રિ રોકાણ પણ કામરેજના ફાર્મહાઉસમાં જ કર્યું હતું. ગુરુવારે સવારે ત્યાંથી કારમાં બેસીને પરિવાર સુરત પરત ફરી રહ્યું હતું. કારમાં ભરતભાઈ ઉપરાંત તેમની પત્ની, ભત્રીજી, દીકરો ઇવાન અને તેઓનો મિત્ર મંથન વિઠ્ઠલ ઠુમ્મર હતો. કાર મંથન ચલાવતો હતો.
કાર પલ્ટી જતા બાળકનું મોત
કામરેજમાં રેસ્ટોરન્ટમાં જમીને તેઓ ઘર તરફ આવતા હતા. ત્યારે વાલક પાટિયા પાસે બપોરે સાડા બાર વાગે મંથને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી સાઈડે એક વખત પલટી મારીને ફરીથી સીધી થઈને ઉભી રહી ગઈ હતી. તે વખતે કારનો દરવાજો ખુલી જતા ઇવાન કારની બહાર ફંગોળાઈને ડિવાઈડર પર ફેંકાયો હતો. તેથી માથાના ભાગે,મોઢાના ભાગે, દાઢી,હાથ-પગના ભાગે ઇજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા ઇવાનને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે કારમાં બેસેલા અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી.
બાળકના પિતાએ મિત્ર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ઉલ્લેખનીય છે કે કાર બાળકના પિતા ભરતભાઈનો મિત્ર મંથન ચલાવતો હતો. અને આ અકસ્માતમાં બાળકનું મોત નીપજ્યું હતું. જેથી આ સમગ્ર મામલે ભરતભાઈએ તેઓના જ મિત્ર મંથન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરથાણા પોલીસે સમગ્ર મામલે ફેટલનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
ભરતભાઈ પ્રવિણભાઈ નાકરાણી વરાછા રોડ પર રહેતા એમ્બ્રોડરીનું કામ કરે છે
2 જૂનના દિવસે બુધવારે ઇવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજમાં ગાય ગલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઉજવણી કરવા ગયા
પરત ફરતી વેળાએ કાર ડિવાયડર પર ચઢી જતા સર્જાયો અકસ્માત
WatchGujarat. સુરતના વરાછામાં રહેતા પરિવારના 5 વર્ષીય બાળકનો જન્મદિવસ હોવાથી જન્મદિવસ મનાવવા કામરેજ સ્થિત ફાર્મ હાઉસ પર ગયા હતા. અને જન્મદિવસ મનાવી પરિવાર સુરત પરત ફરી રહ્યું હતું. દરમ્યાન વાલક પાટિયા પાસે રસ્તામાં ડિવાઈડર સાથે કાર અથડાઈને પલટી મારી ગઇ હતી. જેમાં કારનો દરવાજો ખુલી જતા 5 વર્ષનો દીકરો ફંગોળાઈને ડિવાઈડર સાથે ભટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજ્યું હતું વધુમાં કાર બાળકના પિતાનો મિત્ર ચલાવી રહ્યો હતો. અને આ ઘટના અંગે બાળકના પિતાએ તેના જ મિત્ર સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બાળકનો જન્મ દિવસ હોવાથી પરિવાર ફાર્મ હાઉસમાં ગયું હતું
સુરતમાં એક કરુણા ઘટના સામે આવી છે. જેમાં બાળકનો જન્મદિવસ ઉજવી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 5 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું. મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભંડારીયા ગામના વતની ભરતભાઈ પ્રવિણભાઈ નાકરાણી વરાછા રોડ પર સરિતા દર્શન સોસાયટીમાં રહે છે. ભરતભાઇ નાકરાણી એમ્બ્રોડરીનું કામ કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની દ્રષ્ટીબેન અને પાંચ વર્ષીય પુત્ર ઇવાન છે. 2 જૂનના દિવસે બુધવારે ઇવાનનો જન્મદિવસ હોવાથી નાકરાણી પરિવાર કામરેજમાં ગાય ગલા ખાતે આવેલા ફાર્મહાઉસમાં ઉજવણી કરવા ગયા હતા. નાકરાણી પરિવારે રાત્રિ રોકાણ પણ કામરેજના ફાર્મહાઉસમાં જ કર્યું હતું. ગુરુવારે સવારે ત્યાંથી કારમાં બેસીને પરિવાર સુરત પરત ફરી રહ્યું હતું. કારમાં ભરતભાઈ ઉપરાંત તેમની પત્ની, ભત્રીજી, દીકરો ઇવાન અને તેઓનો મિત્ર મંથન વિઠ્ઠલ ઠુમ્મર હતો. કાર મંથન ચલાવતો હતો.
કાર પલ્ટી જતા બાળકનું મોત
કામરેજમાં રેસ્ટોરન્ટમાં જમીને તેઓ ઘર તરફ આવતા હતા. ત્યારે વાલક પાટિયા પાસે બપોરે સાડા બાર વાગે મંથને કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા કાર બીજી સાઈડે એક વખત પલટી મારીને ફરીથી સીધી થઈને ઉભી રહી ગઈ હતી. તે વખતે કારનો દરવાજો ખુલી જતા ઇવાન કારની બહાર ફંગોળાઈને ડિવાઈડર પર ફેંકાયો હતો. તેથી માથાના ભાગે,મોઢાના ભાગે, દાઢી,હાથ-પગના ભાગે ઇજા થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા ઇવાનને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે કારમાં બેસેલા અન્ય લોકોને સામાન્ય ઇજા થઈ હતી.
બાળકના પિતાએ મિત્ર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ઉલ્લેખનીય છે કે કાર બાળકના પિતા ભરતભાઈનો મિત્ર મંથન ચલાવતો હતો. અને આ અકસ્માતમાં બાળકનું મોત નીપજ્યું હતું. જેથી આ સમગ્ર મામલે ભરતભાઈએ તેઓના જ મિત્ર મંથન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરથાણા પોલીસે સમગ્ર મામલે ફેટલનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.