સાતથી આઠ આરોપી છતાં કૃષ્ણનગર PI જે.આર. પટેલે બે લોકોને જ આરોપી બતાવ્યા
હત્યાનો બનાવ હોવા છતાં પોલીસે સામાન્ય મારામારીની ફરિયાદ લીધી
યુવકને પિતા-પુત્રએ નહીં, પણ સાતથી આઠ લોકોએ માર્યો
હત્યાનો વિડિયો સામે આવતાં પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા.
હત્યા સમયનો વિડિયો સામે આવતાં PI જે.આર. પટેલની હત્યારાઓને બચાવવાની પોલ ખુલ્લી પડી ગઈ
WatchGujarat શહેરમાં દિન-પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે સુરતમાં ભર બપોરે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કર્યાનો વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. હવે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રાત્રિ ફર્ફ્યૂ વચ્ચે લાકડી અને ઘાતક હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ હત્યાની ઘટનામાં પોલીસે માત્ર બે લોકો સામે જ મારામારીનો જ ગુનો નોંધતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PIની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. યુવકની મારામારી સમયનો વિડિયો હાલમાં વાઇરલ થયો છે, જેમાં સાતથી આઠ લોકો યુવકને લાકડી વડે મારી રહ્યા છે. જ્યારે કૃષ્ણનગર પોલીસે માત્ર પિતા-પુત્ર સામે સામાન્ય મારામારીનો ગુનો દાખલ કર્યો છે.
https://twitter.com/WatchGujarat/status/1339852211950477312?s=19
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર નજીક જાહેર રોડ ઉપર હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર અને તેના પુત્ર નિશુ શાહે અણબનાવ થતા ધ્રુવરાજસિંહ ભાટીને લાકડીઓ અને ધોકા વડે માર મારી લોહીલુહાણ કર્યો હતો. ઘટનાબાદ ધ્રુવરાજસિંહ ભાટીનેસારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાબાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે.આર.પટેલે હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટના હોવા છતાં મૃતક ધ્રુવરાજસિંહના પરિવારની સામાન્ય મારામારીની ફરિયાદ લીધી હતી.
આ સમગ્ર મામલે PI જે.આર.પટેલે ડાઈગ ડિકલેરેશન લેવાની પણ તસદી લીધી ન હતી. ત્યારે PIની ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ કરતો વિડિયો સામે આવ્યો છે, જેમાં ધ્રુવરાજસિંહને પિતા-પુત્રએ જ નહીં, પરંતુ સાતથી આઠ લોકોએ ભેગા મળી માર માર્યો હતો. આ વિડિયોમાં અનેક લોકો મારતા દેખાય છે ત્યારે PI જે.આર. પટેલે શા માટે માત્ર પિતા-પુત્ર સામે જ ગુનો નોંધ્યો હતો. શું પોલીસ આ મામલે કોઈનો બચાવ કરી રહી છે. તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. ઝોન 4 DCP રાજેશ ગઢિયા સામે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે કે, જાહેરમાં આવી હત્યાના પ્રયાસની ગંભીર ઘટના બની હતી. છતાં સામાન્ય મારામારીની ફરિયાદ નોંધનાર PI જે.આર.પટેલ સામે કડક પગલાં હજુ સુધી કેમ ભરવામાં આવ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા 14 ડિસેમ્બરના રોજ સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનામાં રામ કુમાર નામનો યુવક નોકરી કરતો હતો. ત્યારે ભર બપોરે ધર્મેન્દ્ર યાદવ નામના હુમલાખોર દ્વારા તેના પર લોખંડના પાઈપ વડે અંદાજીત ૩૨ વખત હુમલો કરી તેનુ ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. યુવકની એટલી ક્રુરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો કે આસપાસમાં ઉભેલા લોકો મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યાં પણ બચાવવા માટે કોઇ પહોંચ્યું ન હતુ. જો કે પોલીસે હત્યારાને પકડી પાડ્યો હતો.
More #કૃષ્ણનગર #Murder #Young man #Public area #Krishnanagar #Ahmedabad News
સાતથી આઠ આરોપી છતાં કૃષ્ણનગર PI જે.આર. પટેલે બે લોકોને જ આરોપી બતાવ્યા
હત્યાનો બનાવ હોવા છતાં પોલીસે સામાન્ય મારામારીની ફરિયાદ લીધી
યુવકને પિતા-પુત્રએ નહીં, પણ સાતથી આઠ લોકોએ માર્યો
હત્યાનો વિડિયો સામે આવતાં પોલીસની કામગીરી પર સવાલો ઊઠ્યા.
હત્યા સમયનો વિડિયો સામે આવતાં PI જે.આર. પટેલની હત્યારાઓને બચાવવાની પોલ ખુલ્લી પડી ગઈ
WatchGujarat શહેરમાં દિન-પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે સુરતમાં ભર બપોરે યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કર્યાનો વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો. હવે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રાત્રિ ફર્ફ્યૂ વચ્ચે લાકડી અને ઘાતક હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ હત્યાની ઘટનામાં પોલીસે માત્ર બે લોકો સામે જ મારામારીનો જ ગુનો નોંધતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PIની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. યુવકની મારામારી સમયનો વિડિયો હાલમાં વાઇરલ થયો છે, જેમાં સાતથી આઠ લોકો યુવકને લાકડી વડે મારી રહ્યા છે. જ્યારે કૃષ્ણનગર પોલીસે માત્ર પિતા-પુત્ર સામે સામાન્ય મારામારીનો ગુનો દાખલ કર્યો છે.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ પાસે આવેલા ઉમિયા પાન પાર્લર નજીક જાહેર રોડ ઉપર હિતેશ શાહ ઉર્ફે હિતેશ તલવાર અને તેના પુત્ર નિશુ શાહે અણબનાવ થતા ધ્રુવરાજસિંહ ભાટીને લાકડીઓ અને ધોકા વડે માર મારી લોહીલુહાણ કર્યો હતો. ઘટનાબાદ ધ્રુવરાજસિંહ ભાટીનેસારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાબાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે.આર.પટેલે હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટના હોવા છતાં મૃતક ધ્રુવરાજસિંહના પરિવારની સામાન્ય મારામારીની ફરિયાદ લીધી હતી.
આ સમગ્ર મામલે PI જે.આર.પટેલે ડાઈગ ડિકલેરેશન લેવાની પણ તસદી લીધી ન હતી. ત્યારે PIની ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ કરતો વિડિયો સામે આવ્યો છે, જેમાં ધ્રુવરાજસિંહને પિતા-પુત્રએ જ નહીં, પરંતુ સાતથી આઠ લોકોએ ભેગા મળી માર માર્યો હતો. આ વિડિયોમાં અનેક લોકો મારતા દેખાય છે ત્યારે PI જે.આર. પટેલે શા માટે માત્ર પિતા-પુત્ર સામે જ ગુનો નોંધ્યો હતો. શું પોલીસ આ મામલે કોઈનો બચાવ કરી રહી છે. તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. ઝોન 4 DCP રાજેશ ગઢિયા સામે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે કે, જાહેરમાં આવી હત્યાના પ્રયાસની ગંભીર ઘટના બની હતી. છતાં સામાન્ય મારામારીની ફરિયાદ નોંધનાર PI જે.આર.પટેલ સામે કડક પગલાં હજુ સુધી કેમ ભરવામાં આવ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા 14 ડિસેમ્બરના રોજ સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનામાં રામ કુમાર નામનો યુવક નોકરી કરતો હતો. ત્યારે ભર બપોરે ધર્મેન્દ્ર યાદવ નામના હુમલાખોર દ્વારા તેના પર લોખંડના પાઈપ વડે અંદાજીત ૩૨ વખત હુમલો કરી તેનુ ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. યુવકની એટલી ક્રુરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો કે આસપાસમાં ઉભેલા લોકો મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યાં પણ બચાવવા માટે કોઇ પહોંચ્યું ન હતુ. જો કે પોલીસે હત્યારાને પકડી પાડ્યો હતો.
More #કૃષ્ણનગર #Murder #Young man #Public area #Krishnanagar #Ahmedabad News