કોરોનાની સારવારના લાંબા સમયગાળાનો અત્યાર સુધીનો વિક્રમ 102 દિવસનો છે.
અન્યત્ર સારવાર માટે રૂ.30 લાખ જેટલો ખર્ચ થયો હોત તે સારવાર રાજ્ય સરકારે વિનામૂલ્યે પૂરી પાડી
અમારા માટે નાણાં મહત્વના નથી, પ્રત્યેક નાગરિકની મહામૂલી જીંદગી બચાવવી એ જ અમારો નિર્ધાર :DY CM નિતિન પટેલ
કદાચિત ભારતભરની સૌપ્રથમ ઘટના : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે 113 દિવસ સુધી એકધારી લડત બાદ 59 વર્ષીય દેવેન્દ્રભાઇ પરમાર હેમખેમ ઘરે પરત ફર્યા
અમીર હોય કે ગરીબ, રાજ્યના પ્રત્યેક નાગરિકની જિંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે.
[caption id="attachment_37176" align="aligncenter" width="1280"] Ahmedabad - સોલા સિવિલ હોસ્પિટલ[/caption]
WatchGujarat સમસ્ત વિશ્વ કોરોનાની મહામારી સામે આજે લડી રહ્યું છે, ત્યારે ગરીબ નાગરિકો પ્રત્યે સંવેદનશીલ અને મમતાભર્યો અભિગમ કેળવીને કેવી રીતે તેમને મોતના મુખમાંથી ઉગારી શકાય તેની આગવી મિશાલ ગુજરાત સરકારે સમગ્ર દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી છે. અમદાવાદની સરકારી સોલા હોસ્પિટલમાં કોરોના સામે 113 દિવસ સુધી એકધારી લડત બાદ ધોળકાના દર્દી દેવેન્દ્રભાઈ પરમારે કોરોનાને મહાત આપી હેમખેમ ઘરે પરત ફરી રહ્યા છે. કોરોનાની સારવારનો આ વિક્રમજનક ગાળો ભારતભરમાં સૌથી વધુ છે. તેમને તમામ સારવાર રાજય સરકારે વિના મૂલ્યે પૂરી પાડી છે. #Ahmedabad
આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે :DY CMએ દેવેન્દ્રભાઈ અને એમના પરિવારની રૂબરૂ મુલાકાત લઈને શુભેચ્છાઓ આપી હતી. આ મુલાકાત બાદ હાજર રહી મીડીયા સમક્ષ મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, સફાઇકર્મીઓ સહિત સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવતા તેમણે ઉમેર્યુ કે,સોલા સિવિલ હોસ્પિટલના સમગ્ર તંત્રના અથાગ પ્રયાસો થકી જ 59 વર્ષીય દેવેન્દ્રભાઇ કોરોના જેવી સંવેદનશીલ બિમારીને મ્હાત આપીને આજે સ્વગૃહે સ્વસ્થ થઇને પરત ફરી રહ્યા છે. #Ahmedabad
તેઓએ ઉમેર્યુ કે, સમગ્ર વિશ્વ આજે કોરોના સામે જંગ લડી રહ્યુ છે. ત્યારે ગુજરાતે પણ કોરોના મહામારીના પડકારનો સામનો કરવા અને મહામૂલી માનવ જિંદગી બચાવવા માટે છેલ્લા દસ મહિનાથી જે પ્રયાસો કર્યા છે. જેના પરિણામે આપણે રાજયભરમાં સંક્રમણ અટકાવી શકયા છીએ અને અનેક માનવીય જીંદગી બચાવવામાં પણ સફળતા મળી છે. સોલા સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્ય કર્મીઓના અથાક પ્રયાસોના પરિણામે શ્રી દેવેન્દ્રભાઈએ કોરોનાને મહાત આપી છે. માનવજીવનની સરખામણી નાણાકીય મૂલ્યોથી ન કરી શકાય. છેલ્લા 113 દિવસથી કોરોના સામે ઝઝૂમી રહેલા દેવેન્દ્રભાઈએ જો અન્યત્ર સારવાર લીધી હોત તો અંદાજે 30 લાખનો ખર્ચ થયો હોત પણ આ તમામ સૂવિધાઓ તેમને સરકારે વિનામૂલ્યે પૂરી પાડી છે. સળંગ 113 દિવસ સુધી સરકારી સુવિધામાં વિનામૂલ્યે કોરોનાની સારવાર બાદ સાજા થઈને ડિસ્ચાર્જ લેતા હોય એવો કદાચ ભારતભરમાં સૌ પ્રથમ કિસ્સો છે. આ દર્શાવે છે કે પ્રત્યેક નાગરિકની જિંદગી રાજ્ય સરકારને માટે ઘણી જ કિંમતી છે. #Ahmedabad
આ સમગ્ર બનાવની ટૂંકી વિગત એવી છે કે, અમદાવાદ જિલ્લાના ધોળકાના વતની 59 વર્ષીય દેવેન્દ્રભાઈ પરમારને શરદી-તાવના લક્ષણો જણાતા તેમણે કોવિડ-19નો રૅપિડ ટૅસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ 26 ઓગસ્ટ, 2020ના રોજ આવતા દેવેન્દ્રભાઈ કોરોના પોઝિટવ હોવાનું ફલિત થયું હતું. RT-PCR ટૅસ્ટમાં પણ તેઓ કોરોનો પોઝિટિવ જણાયા હતાં. શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ દેવેન્દ્રભાઈને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત સોલા સિવિલ હોસ્પિટલમાં 28 ઓગસ્ટે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં આરોગ્ય વિભાગના નિષ્ઠાવાન કર્મચારીઓએ દેવેન્દ્રભાઈની સારવાર શરૂ કરી હતી. સતત ચાર મહિના સુધી ચાલેલી આઇસીયુ સહિતની વૈવિધ્યપૂર્ણ અને ગહન સારવાર બાદ દેવેન્દ્રભાઇને સાજા થવાની અનુભૂતિ થતા તેઓ હોસ્પિટલ સમક્ષ ઘરે પરત ફરવાની માંગણી કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને 18 ડિસેમ્બરે દેવેન્દ્રભાઈને ઘરે જવાની રજા અપાઈ હતી.
કોરોનાની સારવારના લાંબા સમયગાળાનો અત્યાર સુધીનો વિક્રમ 102 દિવસનો છે. અન્યત્ર સારવાર લેવામાં આવે તો સામાન્ય રીતે આટલી લાંબી ચાલતી સારવાર પાછળ અંદાજે 30 લાખ રૂપિયા ખર્ચાવાની શક્યતા હોય છે. ધોળકાના આ દેવેન્દ્રભાઈને વિનામૂલ્યે સતત ૧૧૩ દિવસ સુધી સારવાર આપીને હેમખેમ ઉગારી લઇને ગુજરાત સરકારે એ સાબિત કર્યું છે કે, કોરોનાના આ વસમા કાળમાં રાજ્યના પ્રત્યેક ગરીબ માનવીના જીવનના રખોપા કરવા એ જ તેની પ્રાથમિકતા છે. #Ahmedabad
દેવેન્દ્રભાઈ પરમારના ધર્મપત્ની ઇન્દુમતીબેને આ પ્રસંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે, હું "જો મારા પતિની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ગઈ હોત તો કદાચ મારા પતિ સાજા થઈને ઘરે પાછા ન ફર્યા હોત. સોલા સિવિલ હોસ્પિટલના તબીબોથી લઈને સફાઇ કર્મીઓ સુધી તમામ તંત્રએ ખડેપગે રહીને મારા પતિની સેવા- સુશ્રુષા કરી છે એ બદલ હું તમામને બિરદાવું છું અને રાજ્ય સરકાર દ્વારા આટલા લાંબા સમયે ચાલેલી સારવાર અમને તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી તે બદલ અમારો સમગ્ર પરિવાર રાજ્યની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરે છે. #Ahmedabad
More #Elderly #man #recovers #after 113days #Fight #Against #corona #Ahmedabad News
કોરોનાની સારવારના લાંબા સમયગાળાનો અત્યાર સુધીનો વિક્રમ 102 દિવસનો છે.
અન્યત્ર સારવાર માટે રૂ.30 લાખ જેટલો ખર્ચ થયો હોત તે સારવાર રાજ્ય સરકારે વિનામૂલ્યે પૂરી પાડી
અમારા માટે નાણાં મહત્વના નથી, પ્રત્યેક નાગરિકની મહામૂલી જીંદગી બચાવવી એ જ અમારો નિર્ધાર :DY CM નિતિન પટેલ
કદાચિત ભારતભરની સૌપ્રથમ ઘટના : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે 113 દિવસ સુધી એકધારી લડત બાદ 59 વર્ષીય દેવેન્દ્રભાઇ પરમાર હેમખેમ ઘરે પરત ફર્યા
અમીર હોય કે ગરીબ, રાજ્યના પ્રત્યેક નાગરિકની જિંદગી બચાવવી એ જ અમારી પ્રાથમિકતા છે.
WatchGujarat સમસ્ત વિશ્વ કોરોનાની મહામારી સામે આજે લડી રહ્યું છે, ત્યારે ગરીબ નાગરિકો પ્રત્યે સંવેદનશીલ અને મમતાભર્યો અભિગમ કેળવીને કેવી રીતે તેમને મોતના મુખમાંથી ઉગારી શકાય તેની આગવી મિશાલ ગુજરાત સરકારે સમગ્ર દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી છે. અમદાવાદની સરકારી સોલા હોસ્પિટલમાં કોરોના સામે 113 દિવસ સુધી એકધારી લડત બાદ ધોળકાના દર્દી દેવેન્દ્રભાઈ પરમારે કોરોનાને મહાત આપી હેમખેમ ઘરે પરત ફરી રહ્યા છે. કોરોનાની સારવારનો આ વિક્રમજનક ગાળો ભારતભરમાં સૌથી વધુ છે. તેમને તમામ સારવાર રાજય સરકારે વિના મૂલ્યે પૂરી પાડી છે. #Ahmedabad
આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે :DY CMએ દેવેન્દ્રભાઈ અને એમના પરિવારની રૂબરૂ મુલાકાત લઈને શુભેચ્છાઓ આપી હતી. આ મુલાકાત બાદ હાજર રહી મીડીયા સમક્ષ મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, સફાઇકર્મીઓ સહિત સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવતા તેમણે ઉમેર્યુ કે,સોલા સિવિલ હોસ્પિટલના સમગ્ર તંત્રના અથાગ પ્રયાસો થકી જ 59 વર્ષીય દેવેન્દ્રભાઇ કોરોના જેવી સંવેદનશીલ બિમારીને મ્હાત આપીને આજે સ્વગૃહે સ્વસ્થ થઇને પરત ફરી રહ્યા છે. #Ahmedabad
તેઓએ ઉમેર્યુ કે, સમગ્ર વિશ્વ આજે કોરોના સામે જંગ લડી રહ્યુ છે. ત્યારે ગુજરાતે પણ કોરોના મહામારીના પડકારનો સામનો કરવા અને મહામૂલી માનવ જિંદગી બચાવવા માટે છેલ્લા દસ મહિનાથી જે પ્રયાસો કર્યા છે. જેના પરિણામે આપણે રાજયભરમાં સંક્રમણ અટકાવી શકયા છીએ અને અનેક માનવીય જીંદગી બચાવવામાં પણ સફળતા મળી છે. સોલા સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્ય કર્મીઓના અથાક પ્રયાસોના પરિણામે શ્રી દેવેન્દ્રભાઈએ કોરોનાને મહાત આપી છે. માનવજીવનની સરખામણી નાણાકીય મૂલ્યોથી ન કરી શકાય. છેલ્લા 113 દિવસથી કોરોના સામે ઝઝૂમી રહેલા દેવેન્દ્રભાઈએ જો અન્યત્ર સારવાર લીધી હોત તો અંદાજે 30 લાખનો ખર્ચ થયો હોત પણ આ તમામ સૂવિધાઓ તેમને સરકારે વિનામૂલ્યે પૂરી પાડી છે. સળંગ 113 દિવસ સુધી સરકારી સુવિધામાં વિનામૂલ્યે કોરોનાની સારવાર બાદ સાજા થઈને ડિસ્ચાર્જ લેતા હોય એવો કદાચ ભારતભરમાં સૌ પ્રથમ કિસ્સો છે. આ દર્શાવે છે કે પ્રત્યેક નાગરિકની જિંદગી રાજ્ય સરકારને માટે ઘણી જ કિંમતી છે. #Ahmedabad
આ સમગ્ર બનાવની ટૂંકી વિગત એવી છે કે, અમદાવાદ જિલ્લાના ધોળકાના વતની 59 વર્ષીય દેવેન્દ્રભાઈ પરમારને શરદી-તાવના લક્ષણો જણાતા તેમણે કોવિડ-19નો રૅપિડ ટૅસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ 26 ઓગસ્ટ, 2020ના રોજ આવતા દેવેન્દ્રભાઈ કોરોના પોઝિટવ હોવાનું ફલિત થયું હતું. RT-PCR ટૅસ્ટમાં પણ તેઓ કોરોનો પોઝિટિવ જણાયા હતાં. શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ દેવેન્દ્રભાઈને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત સોલા સિવિલ હોસ્પિટલમાં 28 ઓગસ્ટે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં આરોગ્ય વિભાગના નિષ્ઠાવાન કર્મચારીઓએ દેવેન્દ્રભાઈની સારવાર શરૂ કરી હતી. સતત ચાર મહિના સુધી ચાલેલી આઇસીયુ સહિતની વૈવિધ્યપૂર્ણ અને ગહન સારવાર બાદ દેવેન્દ્રભાઇને સાજા થવાની અનુભૂતિ થતા તેઓ હોસ્પિટલ સમક્ષ ઘરે પરત ફરવાની માંગણી કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને 18 ડિસેમ્બરે દેવેન્દ્રભાઈને ઘરે જવાની રજા અપાઈ હતી.
કોરોનાની સારવારના લાંબા સમયગાળાનો અત્યાર સુધીનો વિક્રમ 102 દિવસનો છે. અન્યત્ર સારવાર લેવામાં આવે તો સામાન્ય રીતે આટલી લાંબી ચાલતી સારવાર પાછળ અંદાજે 30 લાખ રૂપિયા ખર્ચાવાની શક્યતા હોય છે. ધોળકાના આ દેવેન્દ્રભાઈને વિનામૂલ્યે સતત ૧૧૩ દિવસ સુધી સારવાર આપીને હેમખેમ ઉગારી લઇને ગુજરાત સરકારે એ સાબિત કર્યું છે કે, કોરોનાના આ વસમા કાળમાં રાજ્યના પ્રત્યેક ગરીબ માનવીના જીવનના રખોપા કરવા એ જ તેની પ્રાથમિકતા છે. #Ahmedabad
દેવેન્દ્રભાઈ પરમારના ધર્મપત્ની ઇન્દુમતીબેને આ પ્રસંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે, હું "જો મારા પતિની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ગઈ હોત તો કદાચ મારા પતિ સાજા થઈને ઘરે પાછા ન ફર્યા હોત. સોલા સિવિલ હોસ્પિટલના તબીબોથી લઈને સફાઇ કર્મીઓ સુધી તમામ તંત્રએ ખડેપગે રહીને મારા પતિની સેવા- સુશ્રુષા કરી છે એ બદલ હું તમામને બિરદાવું છું અને રાજ્ય સરકાર દ્વારા આટલા લાંબા સમયે ચાલેલી સારવાર અમને તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી તે બદલ અમારો સમગ્ર પરિવાર રાજ્યની સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરે છે. #Ahmedabad