લંડનથી ઉપડેલી છેલ્લી ફ્લાઈટમાં આવેલા 249 મુસાફરો સહીત 22 ક્રૂ મેમ્બર મળી કુલ 271 લોકોના RTPCR ટેસ્ટ કરાયા હતા
બ્રિટિશ નાગરિક સહિત પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવા તજવીજ
WatchGujarat દેશ અને દુનિયામાં કોરોના વાયરસે દહેશત ફેલાવ્યા બાદ હવે બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાતાંએ વધુ ઘાતક બન્યો છે. ઘાતક બનેલ કોરોના વાયરેસના કેસોમાં બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. જેને પગલે ભારતથી લંડન આવતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે ક્રૂ મેમ્બર સહિત 271 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક બ્રીટીશ નાગરીક સહીત ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં હતા.
લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. જેમાં 22 ક્રૂ મેમ્બર 249 જેટલા આવેલા પેસેન્જરનો ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 1 બ્રિટિશ નાગરિક અને 3 ગુજરાતી સહિત 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યનું આરોગ્ય વિભાગમાં ફફડાટ મચી ગયો છે. જેને પગલે પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોઝિટિવ આવેલા તમામ વ્યક્તિને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નેગેટિવ આવેલા તમામને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે.
UKથી આવનારી તમામ ફ્લાઈટોને 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધી
UK સહિત યુરોપના દેશોમાં કોરોના વાઈરસનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. કોરોનાનો આ નવો પ્રકાર 70 ટકા વધુ ચેપ ફેલાવનારો મનાઈ રહ્યો છે. ત્યારે આ ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા UK થી આવનારી અને જનારી તમામ ફ્લાઈટોને 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જ્યારે ફ્લાઈટથી 22 ડિસેમ્બરની રાતે ઈંગ્લેન્ડથી આવનારા તમામ યાત્રીઓના એરપોર્ટ પર જ RTPCR ટેસ્ટ થશે. જે યાત્રી ચેપગ્રસ્ત જણાશે તેને ક્વૉરન્ટીનમાં મોકલાશે અને નેગેટિવ આવનારે એક અઠવાડિયા માટે હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.
More #Five #positives #passengers #1બ્રિટિશ #4gujarati #london-to-ahmedabad-travel #Gujaratinews #WatchGujarat
લંડનથી ઉપડેલી છેલ્લી ફ્લાઈટમાં આવેલા 249 મુસાફરો સહીત 22 ક્રૂ મેમ્બર મળી કુલ 271 લોકોના RTPCR ટેસ્ટ કરાયા હતા
બ્રિટિશ નાગરિક સહિત પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવા તજવીજ
WatchGujarat દેશ અને દુનિયામાં કોરોના વાયરસે દહેશત ફેલાવ્યા બાદ હવે બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાતાંએ વધુ ઘાતક બન્યો છે. ઘાતક બનેલ કોરોના વાયરેસના કેસોમાં બ્રિટન સહિત યુરોપિયન દેશોમાં મોટા પાયે વધારો જોવા મળ્યો છે. જેને પગલે ભારતથી લંડન આવતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. ત્યારે ક્રૂ મેમ્બર સહિત 271 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એક બ્રીટીશ નાગરીક સહીત ચાર લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં હતા.
લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. જેમાં 22 ક્રૂ મેમ્બર 249 જેટલા આવેલા પેસેન્જરનો ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 1 બ્રિટિશ નાગરિક અને 3 ગુજરાતી સહિત 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજ્યનું આરોગ્ય વિભાગમાં ફફડાટ મચી ગયો છે. જેને પગલે પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોઝિટિવ આવેલા તમામ વ્યક્તિને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નેગેટિવ આવેલા તમામને હોમ કોરોનટાઇન કરવામાં આવ્યા છે.
UKથી આવનારી તમામ ફ્લાઈટોને 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધી
UK સહિત યુરોપના દેશોમાં કોરોના વાઈરસનો એક નવો પ્રકાર મળી આવ્યો છે. કોરોનાનો આ નવો પ્રકાર 70 ટકા વધુ ચેપ ફેલાવનારો મનાઈ રહ્યો છે. ત્યારે આ ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા UK થી આવનારી અને જનારી તમામ ફ્લાઈટોને 22 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જ્યારે ફ્લાઈટથી 22 ડિસેમ્બરની રાતે ઈંગ્લેન્ડથી આવનારા તમામ યાત્રીઓના એરપોર્ટ પર જ RTPCR ટેસ્ટ થશે. જે યાત્રી ચેપગ્રસ્ત જણાશે તેને ક્વૉરન્ટીનમાં મોકલાશે અને નેગેટિવ આવનારે એક અઠવાડિયા માટે હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે.
More #Five #positives #passengers #1બ્રિટિશ #4gujarati #london-to-ahmedabad-travel #Gujaratinews #WatchGujarat