ઇકો સેન્સેટિવ ઝોનમાંથી 121 ગામોને રદ નહિ કરાઈ તો આદિવાસીઓ આંદોલન છેડવાની દહેશત : સાંસદ મનસુખ વસાવા
ઈકો સેન્સીટીવ ઝોન અંગેની નોંધ કરવાથી જમીનની માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો નથી : સરકારી તંત્ર
WatchGujarat નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમાવવાને લઈ ભરૂચ-નર્મદાના સાંસદે જ્યાં વડાપ્રધાનને પત્ર લખી તેને રદ કરવા માંગ કરી છે ત્યાં ઇકો સેન્સેટિવ ઝોનથી ખેડૂત ખાતેદારોને કોઈ નુકશાન નહિ થવાની સરકારી તંત્રે સ્પષ્ટતા કરી છે.
શુલપાનેશ્વર અભિયારણ ફરતે નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાના 121 ગામોનો ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ ગામોના ખેડૂત ખાતેદારોના ખાતામાં 135 ની કાચી એન્ટ્રીઓ પાડવામાં આવતા સરકાર આદિવાસી ખેડૂતોની જમીનો પડાવી લેશેની દહેશતે વિરોધ વંટોળ અને રોષ ફાટી નીકળ્યો હતો.
https://twitter.com/MansukhbhaiMp/status/1341749256437202951?s=20
આદિવાસી લોકોમાં ઇકો સેન્સેટિવ ઝોનને લઈ વિરોધ તેમજ વિપક્ષ પાર્ટીઓ દ્વારા આંદોલન માટે ઉપસાવવાને લઈ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે PM નરેન્દ્ર મોદીને પત્ર લખી 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાંથી દૂર કરવા રજુઆત કરી છે.
MP મનસુખ વસાવાએ PM ને સંબોધતા જણાવ્યું છે કે, ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામોમાં ખેડૂતોને જાણકારી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર એમની માલિકીની જમીનમાં સરકારી લોકોએ દખલ કરવાની શરૂઆત કરી છે. જેથી ભારે નારાજગી ફેલાઈ છે, 121 ગામના લોકો જન આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે એવી બીક આદિવાસીઓને આપી વિપક્ષી પાર્ટીના નેતાઓ આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે.
પહેલાથી જ આદીવાસી સમુદાયના લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘોર ઉપેક્ષાના શિકાર બની દેશની મુખ્યધારા માંથી વિમુખ થઈ રહ્યા છે. વર્તમાન ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા 121 ગામોના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકશાન થવાનો ખતરો વધી ગયો છે. દેશનો વંચિત વર્ગ એમની જમીન અને જંગલ સાથે છેડછાડ કર્યા વગર વિકાસ માટેનો કોઈ રસ્તો કાઢવા અપેક્ષા રાખીને બેઠો છે.
રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ખેડૂતોના હિતમાં અભયારણ્ય કાયદો રદ કર્યો છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તાર સહિત જિલ્લાના અન્ય વિસ્તારના વિકાસ માટે 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોન માંથી તાત્કાલિક બહાર કરવા આવશ્યક છે. જેનાથી લોકોમાં ફેલાયેલો અસંતોષ શાંત પડશે અને એ વિસ્તારમાં વિકાસને પણ વેગ મળશે. નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો-સેન્સેટીવ ઝોનની અનુસૂચિને તાત્કાલિક રદ કરવું એ આવશ્યક છે.
બીજી તરફ શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે નિર્ધારિત કરાયેલ ઇકો સેન્સીટીવ ઝોન સંદર્ભે જાણકારીના અભાવે ખેડૂત ખાતેદારો તથા જાહેર જનતા ગેરમાર્ગે ન દોરાય જિલ્લા વહિવટીતંત્રએ હકીકતલક્ષી જરૂરી સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયના જાહેરનામાં ક્રમાંક S.O.1653 (E) તા. 5 મે 2016 થી નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઇકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલ છે.
ઇકો સેન્સીટીવ ઝોનની રચનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણીનો છે. જેનાં કારણે પરિસરિય પ્રવાસનની પ્રવૃત્તિને વેગ મળે છે અને સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. હાલ પણ કેવડિયા ખાતે જ નર્મદા જિલ્લાનાં 2017 સ્થાનિક અસરગ્રસ્તો તથા શિક્ષિત બેરોજગારો અને આદિવાસીઓને રોજગારી આપવામાં આવેલ છે. પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થવાનાં કારણે દિન પ્રતિદિન રોજગારીની વધુને વધુ તકો ઉપલબ્ધ થઈ રહેલ છે.
ઈકો સેન્સીટીવ ઝોન અંગે જે તે ગામની જમીનોનાં બીજા હક્કમાં નોંધ પાડવાનો હેતુ માત્ર સરકારી તંત્રની જાણકારી બહાર મોટા ઔધોગિક ગૃહો દ્વારા અથવા અન્ય દ્વારા આ વિસ્તારની જમીનોમાં પર્યાવરણને નુકશાન કરે તેવી કોઈ પ્રવૃત્તિ ન થાય તે માટે નિયંત્રણ મૂકવાનો છે. જમીનનાં બીજા હક્કમાં ઈકો સેન્સીટીવ ઝોન અંગેની નોંધ કરવાથી જમીનની માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો નથી તેમજ ખાતેદાર આવી જમીન ગમે ત્યારે અન્યને વેચી શકે છે. આ જમીનો જે તે ખાતેદારોની જ રહે છે. આ નોંધ પાડવાના કારણે વન વિભાગનો કોઈ માલિકી હક્ક ઉભો થતો નથી.
ઈકો સેન્સીટીવ ઝોન અંગે હકીકતલક્ષી બાબતોથી પ્રજાજનોને વાકેફ થવા તેમજ આ બાબતે જો કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો સંબંધિત મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અથવા નાયબ વન સંરક્ષક, નર્મદાની કચેરીનો સંપર્ક કરવા નિવાસી અધિક કલેક્ટર તેમજ નાયબ વન સંરક્ષક, નર્મદા-રાજપીપલાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. હવે જોવું એ રહ્યું કે સાંસદનો પત્ર ધ્યાને લઇ વડાપ્રધાન 121 ગામો માંથી ઇકો સેન્સેટિવ ઝોન ઉઠાવે છે કે નહીં.
ઈકો સેન્સીટીવ ઝોન અંગેની નોંધ કરવાથી જમીનની માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો નથી : સરકારી તંત્ર
WatchGujarat નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમાવવાને લઈ ભરૂચ-નર્મદાના સાંસદે જ્યાં વડાપ્રધાનને પત્ર લખી તેને રદ કરવા માંગ કરી છે ત્યાં ઇકો સેન્સેટિવ ઝોનથી ખેડૂત ખાતેદારોને કોઈ નુકશાન નહિ થવાની સરકારી તંત્રે સ્પષ્ટતા કરી છે.
શુલપાનેશ્વર અભિયારણ ફરતે નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાના 121 ગામોનો ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. આ ગામોના ખેડૂત ખાતેદારોના ખાતામાં 135 ની કાચી એન્ટ્રીઓ પાડવામાં આવતા સરકાર આદિવાસી ખેડૂતોની જમીનો પડાવી લેશેની દહેશતે વિરોધ વંટોળ અને રોષ ફાટી નીકળ્યો હતો.
આદિવાસી લોકોમાં ઇકો સેન્સેટિવ ઝોનને લઈ વિરોધ તેમજ વિપક્ષ પાર્ટીઓ દ્વારા આંદોલન માટે ઉપસાવવાને લઈ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે PM નરેન્દ્ર મોદીને પત્ર લખી 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાંથી દૂર કરવા રજુઆત કરી છે.
MP મનસુખ વસાવાએ PM ને સંબોધતા જણાવ્યું છે કે, ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામોમાં ખેડૂતોને જાણકારી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા વગર એમની માલિકીની જમીનમાં સરકારી લોકોએ દખલ કરવાની શરૂઆત કરી છે. જેથી ભારે નારાજગી ફેલાઈ છે, 121 ગામના લોકો જન આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે એવી બીક આદિવાસીઓને આપી વિપક્ષી પાર્ટીના નેતાઓ આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે.
પહેલાથી જ આદીવાસી સમુદાયના લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘોર ઉપેક્ષાના શિકાર બની દેશની મુખ્યધારા માંથી વિમુખ થઈ રહ્યા છે. વર્તમાન ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા 121 ગામોના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકશાન થવાનો ખતરો વધી ગયો છે. દેશનો વંચિત વર્ગ એમની જમીન અને જંગલ સાથે છેડછાડ કર્યા વગર વિકાસ માટેનો કોઈ રસ્તો કાઢવા અપેક્ષા રાખીને બેઠો છે.
રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ખેડૂતોના હિતમાં અભયારણ્ય કાયદો રદ કર્યો છે. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તાર સહિત જિલ્લાના અન્ય વિસ્તારના વિકાસ માટે 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોન માંથી તાત્કાલિક બહાર કરવા આવશ્યક છે. જેનાથી લોકોમાં ફેલાયેલો અસંતોષ શાંત પડશે અને એ વિસ્તારમાં વિકાસને પણ વેગ મળશે. નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો-સેન્સેટીવ ઝોનની અનુસૂચિને તાત્કાલિક રદ કરવું એ આવશ્યક છે.
બીજી તરફ શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે નિર્ધારિત કરાયેલ ઇકો સેન્સીટીવ ઝોન સંદર્ભે જાણકારીના અભાવે ખેડૂત ખાતેદારો તથા જાહેર જનતા ગેરમાર્ગે ન દોરાય જિલ્લા વહિવટીતંત્રએ હકીકતલક્ષી જરૂરી સ્પષ્ટતા કરી છે. જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયના જાહેરનામાં ક્રમાંક S.O.1653 (E) તા. 5 મે 2016 થી નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઇકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલ છે.
ઇકો સેન્સીટીવ ઝોનની રચનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણીનો છે. જેનાં કારણે પરિસરિય પ્રવાસનની પ્રવૃત્તિને વેગ મળે છે અને સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. હાલ પણ કેવડિયા ખાતે જ નર્મદા જિલ્લાનાં 2017 સ્થાનિક અસરગ્રસ્તો તથા શિક્ષિત બેરોજગારો અને આદિવાસીઓને રોજગારી આપવામાં આવેલ છે. પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થવાનાં કારણે દિન પ્રતિદિન રોજગારીની વધુને વધુ તકો ઉપલબ્ધ થઈ રહેલ છે.
ઈકો સેન્સીટીવ ઝોન અંગે જે તે ગામની જમીનોનાં બીજા હક્કમાં નોંધ પાડવાનો હેતુ માત્ર સરકારી તંત્રની જાણકારી બહાર મોટા ઔધોગિક ગૃહો દ્વારા અથવા અન્ય દ્વારા આ વિસ્તારની જમીનોમાં પર્યાવરણને નુકશાન કરે તેવી કોઈ પ્રવૃત્તિ ન થાય તે માટે નિયંત્રણ મૂકવાનો છે. જમીનનાં બીજા હક્કમાં ઈકો સેન્સીટીવ ઝોન અંગેની નોંધ કરવાથી જમીનની માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો નથી તેમજ ખાતેદાર આવી જમીન ગમે ત્યારે અન્યને વેચી શકે છે. આ જમીનો જે તે ખાતેદારોની જ રહે છે. આ નોંધ પાડવાના કારણે વન વિભાગનો કોઈ માલિકી હક્ક ઉભો થતો નથી.
ઈકો સેન્સીટીવ ઝોન અંગે હકીકતલક્ષી બાબતોથી પ્રજાજનોને વાકેફ થવા તેમજ આ બાબતે જો કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો સંબંધિત મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અથવા નાયબ વન સંરક્ષક, નર્મદાની કચેરીનો સંપર્ક કરવા નિવાસી અધિક કલેક્ટર તેમજ નાયબ વન સંરક્ષક, નર્મદા-રાજપીપલાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. હવે જોવું એ રહ્યું કે સાંસદનો પત્ર ધ્યાને લઇ વડાપ્રધાન 121 ગામો માંથી ઇકો સેન્સેટિવ ઝોન ઉઠાવે છે કે નહીં.