વર્ષ 2015માં નિખિલ હત્યા કેસને સાડા પાંચ વર્ષનો સમય વીત્યો છતાં આરોપીઓને ઝડપી લેવામાં ખાખી નિષ્ફળ છે.
1.5 વર્ષ અગાઉ આ મામલાની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હતી
હત્યારાઓ સુધી પહોંચવા રૂપિયા 50 હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું
સ્વામીનારાયણ સંસ્કાર ધામના સંતો સામે શંકા વ્યક્ત કરી હોવા છતાં આજ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી : પરિવારનો આક્ષેપ
WatchGujarat વર્ષ 2015નાં અંતમાં ચકચારી બનેલા નિખિલ હત્યા કેસને સાડા પાંચ-પાંચ વર્ષનો સમય વીત્યા છતાં આરોપીઓને ઝડપી લેવામાં ખાખી નિષ્ફળ છે. દોઢેક વર્ષ અગાઉ આ મામલાની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓ સુધી પહોંચવા રૂપિયા 50 હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું. પરંતુ આજ દિવસ સુધી માસુમને ન્યાય મળ્યો નથી. પરિવારનો આરોપ છે કે, સ્વામીનારાયણ સંસ્કાર ધામના સંતો સામે શંકા વ્યક્ત કરી હોવા છતાં આજ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
ગત તારીખ 15-12-2015નાં રોજ શનાળા રોડ પર રહી દરજીકામ કરતા પરેશભાઈ ધામેચાના 13 વર્ષના માસુમ પુત્ર નિખીલનું તપોવન વિદ્યાલયમાંથી છૂટતી વખતે એક અજાણ્યા ઈસમ દ્વારા બ્લેક એક્ટિવામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અને ત્રણ દિવસ બાદ તા. 18 ડિસેમ્બરના રોજ નિખીલની 13 જેટલા છરીના ઘા ઝીકી હત્યા કરાયેલી લાશ શહેરના રામઘાટ નજીક એક કોથળામાંથી મળી આવી હતી.
આ બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધી સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ચકાસતા શાળા નજીકથી મૃતક વિદ્યાર્થી એકટીવામાં જતો જોવા મળ્યો હતો. જો કે હત્યાની તપાસ આગળ વધી ના હતી. હત્યારાઓ સુધી સ્થાનિક પોલીસ પહોંચી શકી નહોતી. જેથી પરિવારે ન્યાય માટે રાજ્યપાલ અને સીએમ સુધી કરેલી રજૂઆતને પગલે કેસની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હતી.
જો કે CID ક્રાઈમને સોંપ્યા બાદ પણ તપાસ ઠેરની ઠેર જોવા મળી રહી છે અને હત્યાની તપાસ આગળ વધી નહોતી. જેને પગલે દોઢેક વર્ષ પહેલાં CID ક્રાઈમની ટીમે નિખીલ ધામેચાની હત્યાની માહિતી આપનારને રૂપિયા 50 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. અને આ જાહેરાતના પોસ્ટરો શહેરમાં લગાવાયા હતા. જેમાં નીખીલનો ફોટો અને સીસીટીવી ફુટેજમાં દેખાતો એકીટવામાં જતો ફોટો પણ લગાવાયો હતો.
પરિવારનું કહેવું છે કે, અનેક વખત શંકા દર્શાવ્યા છતાં સંસ્કાર ધામ સ્વામિનારાયણના સંત પ્રેમ સ્વરૂપ વિરુદ્ધ કોઈ તપાસ કરવામાં આવતી નથી. CID ક્રાઈમને અમે જે શકમંદોની યાદી આપી છે., તેમના નાર્કોટેસ્ટ કરવામાં આવે તો સત્ય બહાર આવવાની પૂરી શક્યતા છે. ત્યારે મહંતની આ હત્યામાં સંડોવણી છે ? તેમજ અનેક ગંભીર ગુનાઓના ભેદ ચપટીમાં ઉકેલી ચુકેલી CID ક્રાઈમની ટીમને શું કોઈ મોટા માથાની શરમ નડી રહી છે ? સહિતનાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ તેનો જવાબ ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ છે.
વર્ષ 2015માં નિખિલ હત્યા કેસને સાડા પાંચ વર્ષનો સમય વીત્યો છતાં આરોપીઓને ઝડપી લેવામાં ખાખી નિષ્ફળ છે.
1.5 વર્ષ અગાઉ આ મામલાની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હતી
હત્યારાઓ સુધી પહોંચવા રૂપિયા 50 હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું
સ્વામીનારાયણ સંસ્કાર ધામના સંતો સામે શંકા વ્યક્ત કરી હોવા છતાં આજ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી : પરિવારનો આક્ષેપ
WatchGujarat વર્ષ 2015નાં અંતમાં ચકચારી બનેલા નિખિલ હત્યા કેસને સાડા પાંચ-પાંચ વર્ષનો સમય વીત્યા છતાં આરોપીઓને ઝડપી લેવામાં ખાખી નિષ્ફળ છે. દોઢેક વર્ષ અગાઉ આ મામલાની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓ સુધી પહોંચવા રૂપિયા 50 હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું. પરંતુ આજ દિવસ સુધી માસુમને ન્યાય મળ્યો નથી. પરિવારનો આરોપ છે કે, સ્વામીનારાયણ સંસ્કાર ધામના સંતો સામે શંકા વ્યક્ત કરી હોવા છતાં આજ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
ગત તારીખ 15-12-2015નાં રોજ શનાળા રોડ પર રહી દરજીકામ કરતા પરેશભાઈ ધામેચાના 13 વર્ષના માસુમ પુત્ર નિખીલનું તપોવન વિદ્યાલયમાંથી છૂટતી વખતે એક અજાણ્યા ઈસમ દ્વારા બ્લેક એક્ટિવામાં અપહરણ કરવામાં આવ્યું હતું. અને ત્રણ દિવસ બાદ તા. 18 ડિસેમ્બરના રોજ નિખીલની 13 જેટલા છરીના ઘા ઝીકી હત્યા કરાયેલી લાશ શહેરના રામઘાટ નજીક એક કોથળામાંથી મળી આવી હતી.
આ બનાવ અંગે હત્યાનો ગુન્હો નોંધી સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ચકાસતા શાળા નજીકથી મૃતક વિદ્યાર્થી એકટીવામાં જતો જોવા મળ્યો હતો. જો કે હત્યાની તપાસ આગળ વધી ના હતી. હત્યારાઓ સુધી સ્થાનિક પોલીસ પહોંચી શકી નહોતી. જેથી પરિવારે ન્યાય માટે રાજ્યપાલ અને સીએમ સુધી કરેલી રજૂઆતને પગલે કેસની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી હતી.
જો કે CID ક્રાઈમને સોંપ્યા બાદ પણ તપાસ ઠેરની ઠેર જોવા મળી રહી છે અને હત્યાની તપાસ આગળ વધી નહોતી. જેને પગલે દોઢેક વર્ષ પહેલાં CID ક્રાઈમની ટીમે નિખીલ ધામેચાની હત્યાની માહિતી આપનારને રૂપિયા 50 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. અને આ જાહેરાતના પોસ્ટરો શહેરમાં લગાવાયા હતા. જેમાં નીખીલનો ફોટો અને સીસીટીવી ફુટેજમાં દેખાતો એકીટવામાં જતો ફોટો પણ લગાવાયો હતો.
પરિવારનું કહેવું છે કે, અનેક વખત શંકા દર્શાવ્યા છતાં સંસ્કાર ધામ સ્વામિનારાયણના સંત પ્રેમ સ્વરૂપ વિરુદ્ધ કોઈ તપાસ કરવામાં આવતી નથી. CID ક્રાઈમને અમે જે શકમંદોની યાદી આપી છે., તેમના નાર્કોટેસ્ટ કરવામાં આવે તો સત્ય બહાર આવવાની પૂરી શક્યતા છે. ત્યારે મહંતની આ હત્યામાં સંડોવણી છે ? તેમજ અનેક ગંભીર ગુનાઓના ભેદ ચપટીમાં ઉકેલી ચુકેલી CID ક્રાઈમની ટીમને શું કોઈ મોટા માથાની શરમ નડી રહી છે ? સહિતનાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ તેનો જવાબ ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ છે.