ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનિક નામે દવાખાનુ ચાલતુ હતુ
10 ધોરણ પાસ ડીગ્રી વરગનો ડોકટર દર્દીઓને એલોપથીની દવાઓ આપતો હતો.
WatchGujarat હાલ રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ શહેરમાં એક બાદ એક બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યા છે. ત્યારે આજે સતત બીજા દિવસે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લીધો છે. આ બની બેઠેલો ડોક્ટર માત્ર 10 ધોરણ પાસ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. #Rajkot
પોલીસનાં જણાવ્યા પ્રમાણે, ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ધનજી માવજીભાઈ સોરાણી પાસે કોઈપણ જાતની તબીબી પ્રેકટીસ માટેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. તેમજ ડોક્ટરને ઝડપી તેની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન ધનજી માત્ર 10 ધોરણ પાસ થયો હોવાનું સામે આવ્યું છે.
હાલ લોકોના આરોગ્ય સાથે રમત કરતા આ શખ્સને ઝડપી લઈ એલોપેથી દવા તથા મેડિકલ સાધનો અને રોકડ સહિત કુલ રૂ. 1830 નો મુદ્દામાલ પણ કબ્જે લેવાયો છે. સાથે જ આઈપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો દાખલ કરાયો છે. સાથે જ આરોપીની કેટલા સમયથી આ પ્રકારે કોઈપણ જાતની માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો હતો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે ક્રાઇમ બ્રાન્ચને મહિકા મેઈન રોડ પરની માનસરોવર સોસાયટીમાં એક નેવિલ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા લલિતભાઈ દેસાણી પાસે કોઈ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા હોવાનું જાણ થતા બોગસ તબીબ લલિતભાઈ દેસાણીની ધરપકડ કરવામાં આવી હતી. ધનજી સોરાણી પણ લલિત દેસાઇની જેમ દર્દીઓને એલોપથીની દવાઓ અને ઇનજેક્શન આપતો હતો. જેની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
More #Bogus #doctors #Without Degree #Scandal #Crime Branch #Rajkot News #WatchGujarat
WatchGujarat હાલ રાજકોટ સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ શહેરમાં એક બાદ એક બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યા છે. ત્યારે આજે સતત બીજા દિવસે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લીધો છે. આ બની બેઠેલો ડોક્ટર માત્ર 10 ધોરણ પાસ હોવાનું પણ જાણવા મળ્યું છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. #Rajkot
પોલીસનાં જણાવ્યા પ્રમાણે, ચાંચડિયા ગામે સોમનાથ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ધનજી માવજીભાઈ સોરાણી પાસે કોઈપણ જાતની તબીબી પ્રેકટીસ માટેની માન્યતા પ્રાપ્ત ડિગ્રી ન હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી. તેમજ ડોક્ટરને ઝડપી તેની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન ધનજી માત્ર 10 ધોરણ પાસ થયો હોવાનું સામે આવ્યું છે.
હાલ લોકોના આરોગ્ય સાથે રમત કરતા આ શખ્સને ઝડપી લઈ એલોપેથી દવા તથા મેડિકલ સાધનો અને રોકડ સહિત કુલ રૂ. 1830 નો મુદ્દામાલ પણ કબ્જે લેવાયો છે. સાથે જ આઈપીસીની કલમ 419 તથા મેડીકલ પ્રેકટીશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો દાખલ કરાયો છે. સાથે જ આરોપીની કેટલા સમયથી આ પ્રકારે કોઈપણ જાતની માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો હતો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે ક્રાઇમ બ્રાન્ચને મહિકા મેઈન રોડ પરની માનસરોવર સોસાયટીમાં એક નેવિલ ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા લલિતભાઈ દેસાણી પાસે કોઈ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા હોવાનું જાણ થતા બોગસ તબીબ લલિતભાઈ દેસાણીની ધરપકડ કરવામાં આવી હતી. ધનજી સોરાણી પણ લલિત દેસાઇની જેમ દર્દીઓને એલોપથીની દવાઓ અને ઇનજેક્શન આપતો હતો. જેની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.