બાળકના જન્મ પહેલાં માતા પિતા બંને કોરોના પોઝિટિવ હતા
પ્રિમેચ્યોર ડીલેવરી કરતા, બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ આવ્યું
WatchGujarat બાળકનો જન્મ થાય ત્યારે માતાપિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી. બાળક હસતું રમતું હોય, તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈ પણ હિંમતવાનને હચમચાવી દેવા માટે પૂરતું છે. આ પરિસ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી. માત્ર 14 દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક અને તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી લહેરાવી ખુશીની લહેર. #Rajkot
બાળકના માતા સારીકાબેન સોરઠીયા અને પિતા ભાવિનભાઈ કોરોના પોઝિટિવ હતા. સારીકાબેન ગર્ભવતી હોઈ તેમને ખાનગી દવાખાનામા સારવાર દરમ્યાન સંજોગોવ સાત પ્રિમેચ્યોર ડીલેવરી કરવી પડી હતી. ત્યારે બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ આવ્યું. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવીડ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. #Rajkot
જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતું. બાળકની પરિસ્થિતિ ગંભીર હોઈ સિવિલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરુ કરવામાં આવ્યું હોવાનું ડો. કોમલ મેંદપરા જણાવે છે કે, બાળકની સારવાર માટે તમામ રીપોર્ટ કરાવવામાં આવ્યા, જેમાં ડી - ડાઈમર, એફ. ફેરિટિનમાં વધુ વેલ્યુ આવતા તેને ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. શરૂઆતમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, ત્યાર બાદ સ્થિતિ સુધરતા તેને એર-વે અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. આ સમય દરમ્યાન બાળકને માતાનું દૂધ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી. બાળકની રિકવરી ખુબ ઝડપથી થતા 14 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી છે. #Rajkot
સિવિલ અધિક્ષક ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ હાલ બાળકને વિશેષ સારવાર માટે એન.આઈ.સી. ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. બાળકના પિતા ભાવિનભાઈ અત્યન્ત ખુશી સાથે જણાવે છે કે, મારા બાળકને નવજીવન મળ્યું છે. કોરોના સામે બાળકની કરવામાં આવેલી વિશેષ સારવારથી તેઓ સિવિલના તમામ સ્ટાફનો આભાર માને છે. કહેવાય છે કે ‘‘જેને રામ રાખે તેને કોણ ચાખે’’. આ ઉક્તિને સાર્થક કરતાં જન્મતાં જ કોરોનાગ્રસ્ત બાળકે કોરોના જેવી મહામારીને પણ કુદરતે વરસાવેલી અસીમ કૃપા અને દેવદૂત સમાન ડોટર્સની મહેનત વડે મહાત આપી છે. જેણે રાજ્ય સરકારની તંદુરસ્ત બાળકની વિભાવના અને બાળકના તંદુરસ્ત ભવિષ્યની પ્રતીતિ કરાવી છે.
More #Newborn #baby #Ventilator #Corona Fight #Rajkot News
બાળકના જન્મ પહેલાં માતા પિતા બંને કોરોના પોઝિટિવ હતા
પ્રિમેચ્યોર ડીલેવરી કરતા, બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ આવ્યું
WatchGujarat બાળકનો જન્મ થાય ત્યારે માતાપિતા અને પરિવારજનોની ખુશી ચરમસીમાએ હોય છે. કમનસીબે ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી. બાળક હસતું રમતું હોય, તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈ પણ હિંમતવાનને હચમચાવી દેવા માટે પૂરતું છે. આ પરિસ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી. માત્ર 14 દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક અને તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી લહેરાવી ખુશીની લહેર. #Rajkot
બાળકના માતા સારીકાબેન સોરઠીયા અને પિતા ભાવિનભાઈ કોરોના પોઝિટિવ હતા. સારીકાબેન ગર્ભવતી હોઈ તેમને ખાનગી દવાખાનામા સારવાર દરમ્યાન સંજોગોવ સાત પ્રિમેચ્યોર ડીલેવરી કરવી પડી હતી. ત્યારે બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પણ પોઝિટિવ આવ્યું. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવીડ હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. #Rajkot
જન્મ સમયે બાળકનું વજન માત્ર બે કિલો હતું. બાળકની પરિસ્થિતિ ગંભીર હોઈ સિવિલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની ખાસ સારવાર શરુ કરવામાં આવ્યું હોવાનું ડો. કોમલ મેંદપરા જણાવે છે કે, બાળકની સારવાર માટે તમામ રીપોર્ટ કરાવવામાં આવ્યા, જેમાં ડી - ડાઈમર, એફ. ફેરિટિનમાં વધુ વેલ્યુ આવતા તેને ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતાં. શરૂઆતમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, ત્યાર બાદ સ્થિતિ સુધરતા તેને એર-વે અને ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. આ સમય દરમ્યાન બાળકને માતાનું દૂધ મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરી. બાળકની રિકવરી ખુબ ઝડપથી થતા 14 દિવસ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી છે. #Rajkot
સિવિલ અધિક્ષક ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ હાલ બાળકને વિશેષ સારવાર માટે એન.આઈ.સી. ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. બાળકના પિતા ભાવિનભાઈ અત્યન્ત ખુશી સાથે જણાવે છે કે, મારા બાળકને નવજીવન મળ્યું છે. કોરોના સામે બાળકની કરવામાં આવેલી વિશેષ સારવારથી તેઓ સિવિલના તમામ સ્ટાફનો આભાર માને છે. કહેવાય છે કે ‘‘જેને રામ રાખે તેને કોણ ચાખે’’. આ ઉક્તિને સાર્થક કરતાં જન્મતાં જ કોરોનાગ્રસ્ત બાળકે કોરોના જેવી મહામારીને પણ કુદરતે વરસાવેલી અસીમ કૃપા અને દેવદૂત સમાન ડોટર્સની મહેનત વડે મહાત આપી છે. જેણે રાજ્ય સરકારની તંદુરસ્ત બાળકની વિભાવના અને બાળકના તંદુરસ્ત ભવિષ્યની પ્રતીતિ કરાવી છે.
More #Newborn #baby #Ventilator #Corona Fight #Rajkot News