કિસાન આંદોલનમાં કોંગ્રેસ લોકોને ભરમાવે છે, આમા ખાલીસ્તાનિઓ હોવાનું કહી ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે છે: યાકુબ ગુરુજી3
કૃષિ બિલ એ બીરબલની ખીચડી સમાન છે ક્યારેય પાકવાના નથી
WatchGujarat કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં ભરૂચના ખેડૂતો પણ જોડાયા છે. સાથે બીરબલની ખીચડી નામનો કાર્યક્રમ કરી ગરબા રમી ભાજપના ગુજરાત મોડેલની પોલ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન યાકુબ ગુરુજીએ ભાજપ સરકાર આંદોલનમાં કોંગ્રેસ લોકોને ભરમાવી રહીનું જણાવી આમા ખાલીસ્તાનિઓનો હાથ હોવાનું જણાવી લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
કેન્દ્ર સરકારના વિવિધ 3 કૃષિ બીલના વિરોધમાં છેલ્લા 21 જેટલા દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાઈ રહયા છે અને બિલ પરત ખેંચવા કેન્દ્ર સરકાર પાસે માંગ કરી રહ્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લા ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસ સમિતિ ચેરમેન યાકુબ ગુરજીની આગેવાનીમાં ખેડૂતો પોલીસને ચકમો આપી દિલ્હી બોર્ડર પહોચી છેલ્લા 3 દિવસથી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
https://twitter.com/WatchGujarat/status/1340240526612656128?s=19
દિલ્હી બોર્ડર પર ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ વિધેયકોનો અલગ અલગ કાર્યક્રમ કરી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતોએ શનિવારે બીરબલની ખીચડી નામનો કાર્યક્રમ કર્યો હતો.જેમ બિરબલની ખીચડી કોઈ દિવસ પાકતી નથી એમ કૃષિ વિધેયકોથી ખેડૂતોને કોઈ ફાયદો ન હોવાનો કટાક્ષ કરવામાં આવ્યો હતો.
દિલ્હી ખાતે ચાલી રહેલ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાતના ખેડૂતો ગુજરાતની ઓળખ સમાન ગરબા પણ રમ્યા હતા અને અનોખી રીતે વિરોધ નોંધવાયો હતો. વિરોધ પ્રદર્શન અંગે ખેડૂત આગેવાન યાકુબ ગુરજીએ જણાવ્યુ હતું કે ભાજપના નેતાઓ ખેડૂત આંદોલનને કિસાનોને ગેરમાર્ગે દોરનારું હોવાના નિવેદન આપી ગામે ગામે ફરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં દિલ્હી બોર્ડર પર ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો જોડાશે.
ભાજપ સરકાર આંદોલનમાં લોકોને કોંગ્રેસ ભરમાવી રહી હોવાનું કહી આમા ખાલીસ્તાનીઓનો હાથ હોવાનું જણાવી સરકાર જ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ પણ ભરૂચ જિલ્લાના ખેડૂત આગેવાન યાકુબ ગુરુજીએ કર્યો છે.
કિસાન આંદોલનમાં કોંગ્રેસ લોકોને ભરમાવે છે, આમા ખાલીસ્તાનિઓ હોવાનું કહી ભાજપ લોકોને ગેરમાર્ગે દોરે છે: યાકુબ ગુરુજી3
કૃષિ બિલ એ બીરબલની ખીચડી સમાન છે ક્યારેય પાકવાના નથી
WatchGujarat કેન્દ્ર સરકારના કૃષિ બીલના વિરોધમાં દિલ્હી બોર્ડર પર ચાલી રહેલ ખેડૂત આંદોલનમાં ભરૂચના ખેડૂતો પણ જોડાયા છે. સાથે બીરબલની ખીચડી નામનો કાર્યક્રમ કરી ગરબા રમી ભાજપના ગુજરાત મોડેલની પોલ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન યાકુબ ગુરુજીએ ભાજપ સરકાર આંદોલનમાં કોંગ્રેસ લોકોને ભરમાવી રહીનું જણાવી આમા ખાલીસ્તાનિઓનો હાથ હોવાનું જણાવી લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
કેન્દ્ર સરકારના વિવિધ 3 કૃષિ બીલના વિરોધમાં છેલ્લા 21 જેટલા દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો જોડાઈ રહયા છે અને બિલ પરત ખેંચવા કેન્દ્ર સરકાર પાસે માંગ કરી રહ્યા છે. જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લા ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસ સમિતિ ચેરમેન યાકુબ ગુરજીની આગેવાનીમાં ખેડૂતો પોલીસને ચકમો આપી દિલ્હી બોર્ડર પહોચી છેલ્લા 3 દિવસથી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે.
દિલ્હી બોર્ડર પર ખેડૂતો કેન્દ્ર સરકારના કૃષિ વિધેયકોનો અલગ અલગ કાર્યક્રમ કરી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ગુજરાતના ખેડૂતોએ શનિવારે બીરબલની ખીચડી નામનો કાર્યક્રમ કર્યો હતો.જેમ બિરબલની ખીચડી કોઈ દિવસ પાકતી નથી એમ કૃષિ વિધેયકોથી ખેડૂતોને કોઈ ફાયદો ન હોવાનો કટાક્ષ કરવામાં આવ્યો હતો.
દિલ્હી ખાતે ચાલી રહેલ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાતના ખેડૂતો ગુજરાતની ઓળખ સમાન ગરબા પણ રમ્યા હતા અને અનોખી રીતે વિરોધ નોંધવાયો હતો. વિરોધ પ્રદર્શન અંગે ખેડૂત આગેવાન યાકુબ ગુરજીએ જણાવ્યુ હતું કે ભાજપના નેતાઓ ખેડૂત આંદોલનને કિસાનોને ગેરમાર્ગે દોરનારું હોવાના નિવેદન આપી ગામે ગામે ફરી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં દિલ્હી બોર્ડર પર ગુજરાતના વધુમાં વધુ ખેડૂતો જોડાશે.
ભાજપ સરકાર આંદોલનમાં લોકોને કોંગ્રેસ ભરમાવી રહી હોવાનું કહી આમા ખાલીસ્તાનીઓનો હાથ હોવાનું જણાવી સરકાર જ લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ પણ ભરૂચ જિલ્લાના ખેડૂત આગેવાન યાકુબ ગુરુજીએ કર્યો છે.