કૃષિ બીલમાં કેન્દ્ર સરકારે કરેલા ઐતિહાસિક સુધારાઓ ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે
ખેડૂતોને ગેરમાર્ગે દોરી કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે .
એક બાજુ ચૂંટણી ઢંઢેરામાં કૃષિ બિલ સુધારાની તરફેણ , બીજી બાજુ સત્તા ન મળતાં વિરોધ : આ કયા પ્રકારનો ખેડૂત પ્રેમ સમજાતો નથી
સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશની કોઇ પણ APMC માંથી માલ ખરીદી કે વેચી શકશે. APMC બંધ થશે એ વાત તદન ખોટી: ટેકનોલોજીના માધ્યમથી જે ખેડૂતોને બહાર માલ વેચવો હશે તે વેચી શકશે
ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી નહી શકીએ: દેશમાં પ્રોસેસના દરવાજા ખુલ્યા.
WatchGujarat ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આજે કૃષિ નિયમન બિલ અંગે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોની વર્ષ 2022માં આવક બમણી કરવાના નિર્ધાર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગળ વધી રહ્યા છે. એ જાણીને વિપક્ષ ડઘાઇ ગયો છે અને બેબુનિયાદી નિવેદનો થકી ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. એ તદ્દન ગેરવ્યાજબી છે. કેન્દ્ર સરકારે કૃષિ બીલમાં કરેલા સુધારાઓ ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. વડાપ્રધાનએ ખેડૂતોની ઉપજ વધે, યોગ્ય બજારભાવ મળે અને ઉત્પાદિત પાકની ખરીદી માટે ઐતિહાસિક નિર્ણય થકી કૃષિ બીલમાં સુધારાઓ કરી એક દેશ એક બજારનો અભિગમ અપનાવ્યો છે. ત્યારે વિપક્ષે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઇએ. #વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દ્વારા એક બાજુ તેમના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ બીલ સુધારાની તરફેણ કરી હતી. જયારે બીજી તરફ સત્તા ન મળતાં વિરોધ કરીને ખેડૂતોને અમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ કયા પ્રકારનો ખેડૂત પ્રેમ છે એ સમજાતું નથી. દિલ્હી ખાતે કેટલાક વિઘટનકારી તત્વો ખેડુતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોની શંકા કુશંકાના સમાધાન માટે કેન્દ્ર સરકારનું મન હંમેશા ખુલ્લું છે એવું વડાપ્રધાનએ કાલે જ કહ્યું છે એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ખેડૂતો માટે સરકારનું મન હંમેશા ખુલ્લું છે. એમની સરકાર હતી તો કેમ એમણે આ કામ ન કર્યું ? અમારી સરકારે તો અનેકવિધ હિંમતભર્યા નિર્ણયો કરીને ખેડૂતોના પડખે ઉભા રહ્યા છીએ એટલે જ દેશના ખેડૂતોના આશીર્વાદ અમારી સાથે છે અને એમની શંકાના સમાધાન કરીશું જ એવો ખેડૂતોને વિશ્વાસ છે.
ખેડૂતોની આવક વધે એ માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. હાલ APMCમાં માલ વેચવો પડતો હતો. પરંતુ ટેકનોલોજીના લીધે દેશનો કોઇપણ ખેડૂત દેશના કોઇપણ ખૂણે માલ વેચી શકશે. જેના લીધે આવક વધશે. એ જ રીતે પાકના સ્ટોરેજ માટે ભૂતકાળમાં કોઇ વ્યવસ્થા નહોતી એ આજે ઉપલબ્ધ બની છે. વેરહાઉસીંગ, કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓ વધી છે. જેના લીધે કૃષિ ઉપજનું એસ્પોર્ટ વધુને વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે . ટેકનોલોજીના પરિણામે શાકભાજી , ફળફળાદી અને કુલનો જે બગાડ થતો હતો તે અટકશે અને ખર્ચ પણ ઘટશે જેના પરિણામે પણ આવકમાં વધારો થશે ને આવક વધશે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ APMC માંથી ખરીદી કે વેચી શકશે, APMC બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. APMC ચાલુ જ રહેશે. પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશે, જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે, ખેડૂતોને હાલ જે સુવિધાઓ મળે છે એ ચાલુ જ રહેશે. ઇ-પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે. #વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ખેડૂતોનું ભવિષ્ય જોઇને આ કાયદો લાવ્યા છીએ તે આગામી 10 વર્ષમાં મહત્વનો પુરવાર થશે. ખેડૂતોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે એ માટે તેમણે દ્વાર ખોલી દીધા છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવા ખેડૂતો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી કરી શકશે જેનાથી ઉત્પાદન વધશે જેના પરિણામે મોટી કંપનીઓ સીધા ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્તાલક્ષી પાક ઉત્પાદન પણ મળશે. આજે ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી શકીશું નહીં. પ્રધાનમંત્રીએ દેશમાં પ્રોસેસિંગના દરવાજા ખોલી દીધા છે દેશમાં 10 હજાર કમિટી રચવાનો પણ નિર્ણય કરાયો છે. જે કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્યા ઘટશે અને ખેડૂતોની આવક વધશે. તેમણે ઉમેર્યું કે આ નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે પરંતુ જે ખેડૂતો ટેકનોલોજીથી માલ ખરીદ કે વેચાણ કરશે એટલે ઊંચા ભાવ મળવાના જ છે.
મંત્રી સૌરભભાઈ પટેલે ઉમેર્યું કે, 2004માં બનાવવામાં આવેલા સ્વામીનાથન આયોગના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા.10 વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી પણ તેમણે આ અંગે કંઈ ન કર્યું અને આજે દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ કૃષિ સુધારાઓ થકી એક સૂચક પગલું ભર્યું છે. #વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
મંત્રી સૌરભભાઈ પટેલે ઉમેર્યું કે, આ કૃષિ સુધારા બિલ અંગે રાજકીય વિરોધીઓ દ્વારા એવું કહી દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે , તેના અમલથી કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની જમીન વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વેચી રહી છે , પરંતુ તથ્ય એ છે કે , આ બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે . જો કોઈ કંપની કે વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક SDM ને ફરિયાદ કરી શકશે. જેનો 30 દિવસમાં નિકાલ કરી ખેડૂતને વળતર અપાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.આમ આ બિલમાં ખેડૂતોને કાયદાકીય સુરક્ષા સાથે ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે . કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓ ટેકાના ભાવ (MSP) થી ખેડૂતોની પેદાશોની ખરીદી કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા બંધ કરી રહી છે તેવો દુષ્પચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી. MSPથી ખેતપેદાશો ની ખરીદી થઈ રહી છે, અને આગળ પણ થતી રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન વ્યવસ્થામાં દેશભરના ખેડૂતો પોતાના વિસ્તારની આસપાસની સ્થાનિક એપીએમસીમાં પોતાની પેદાશનું વેચાણ કરે છે, એપીએમસી સુધારા બિલ દ્વારા દેશના કરોડો ખેડૂતો સ્થાનિક એપીએમસી સહિત દેશભરમાં જે કોઈપણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો , તેમની આવક બમણી કરવાનો છે , કૃષિ સુધારા બિલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે, તેમાં એક પણ બાબત એવી નથી કે જેનાથી ખેડૂતને નુકસાન વેઠવું પડે . નરેન્દ્રભાઈ મોદીના હૈયે સદાયે ખેડૂતોનું હિત વસેલું છે, તેમના દ્વારા લેવાયેલું એક એક પગલું ખેડૂતોના ઉત્થાન માટે છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂતવિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહિ. #વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
More #વડાપ્રધાન #Narendrabhai Modi #Bold Decisions #Confuses #Opposition Party #Vadodara News
ખેડૂતોને ગેરમાર્ગે દોરી કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે .
એક બાજુ ચૂંટણી ઢંઢેરામાં કૃષિ બિલ સુધારાની તરફેણ , બીજી બાજુ સત્તા ન મળતાં વિરોધ : આ કયા પ્રકારનો ખેડૂત પ્રેમ સમજાતો નથી
સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશની કોઇ પણ APMC માંથી માલ ખરીદી કે વેચી શકશે. APMC બંધ થશે એ વાત તદન ખોટી: ટેકનોલોજીના માધ્યમથી જે ખેડૂતોને બહાર માલ વેચવો હશે તે વેચી શકશે
ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી નહી શકીએ: દેશમાં પ્રોસેસના દરવાજા ખુલ્યા.
WatchGujarat ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે આજે કૃષિ નિયમન બિલ અંગે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોની વર્ષ 2022માં આવક બમણી કરવાના નિર્ધાર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગળ વધી રહ્યા છે. એ જાણીને વિપક્ષ ડઘાઇ ગયો છે અને બેબુનિયાદી નિવેદનો થકી ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે. એ તદ્દન ગેરવ્યાજબી છે. કેન્દ્ર સરકારે કૃષિ બીલમાં કરેલા સુધારાઓ ખેડૂતોના આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. વડાપ્રધાનએ ખેડૂતોની ઉપજ વધે, યોગ્ય બજારભાવ મળે અને ઉત્પાદિત પાકની ખરીદી માટે ઐતિહાસિક નિર્ણય થકી કૃષિ બીલમાં સુધારાઓ કરી એક દેશ એક બજારનો અભિગમ અપનાવ્યો છે. ત્યારે વિપક્ષે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઇએ. #વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસ દ્વારા એક બાજુ તેમના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ બીલ સુધારાની તરફેણ કરી હતી. જયારે બીજી તરફ સત્તા ન મળતાં વિરોધ કરીને ખેડૂતોને અમિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ કયા પ્રકારનો ખેડૂત પ્રેમ છે એ સમજાતું નથી. દિલ્હી ખાતે કેટલાક વિઘટનકારી તત્વો ખેડુતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોની શંકા કુશંકાના સમાધાન માટે કેન્દ્ર સરકારનું મન હંમેશા ખુલ્લું છે એવું વડાપ્રધાનએ કાલે જ કહ્યું છે એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ખેડૂતો માટે સરકારનું મન હંમેશા ખુલ્લું છે. એમની સરકાર હતી તો કેમ એમણે આ કામ ન કર્યું ? અમારી સરકારે તો અનેકવિધ હિંમતભર્યા નિર્ણયો કરીને ખેડૂતોના પડખે ઉભા રહ્યા છીએ એટલે જ દેશના ખેડૂતોના આશીર્વાદ અમારી સાથે છે અને એમની શંકાના સમાધાન કરીશું જ એવો ખેડૂતોને વિશ્વાસ છે.
ખેડૂતોની આવક વધે એ માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. હાલ APMCમાં માલ વેચવો પડતો હતો. પરંતુ ટેકનોલોજીના લીધે દેશનો કોઇપણ ખેડૂત દેશના કોઇપણ ખૂણે માલ વેચી શકશે. જેના લીધે આવક વધશે. એ જ રીતે પાકના સ્ટોરેજ માટે ભૂતકાળમાં કોઇ વ્યવસ્થા નહોતી એ આજે ઉપલબ્ધ બની છે. વેરહાઉસીંગ, કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓ વધી છે. જેના લીધે કૃષિ ઉપજનું એસ્પોર્ટ વધુને વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે . ટેકનોલોજીના પરિણામે શાકભાજી , ફળફળાદી અને કુલનો જે બગાડ થતો હતો તે અટકશે અને ખર્ચ પણ ઘટશે જેના પરિણામે પણ આવકમાં વધારો થશે ને આવક વધશે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂત દેશના કોઇપણ APMC માંથી ખરીદી કે વેચી શકશે, APMC બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. APMC ચાલુ જ રહેશે. પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજયોમાં વેચી શકશે, જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે, ખેડૂતોને હાલ જે સુવિધાઓ મળે છે એ ચાલુ જ રહેશે. ઇ-પ્લેટફોર્મના માધ્યમ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે. #વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ખેડૂતોનું ભવિષ્ય જોઇને આ કાયદો લાવ્યા છીએ તે આગામી 10 વર્ષમાં મહત્વનો પુરવાર થશે. ખેડૂતોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળે એ માટે તેમણે દ્વાર ખોલી દીધા છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવા ખેડૂતો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ખેતી કરી શકશે જેનાથી ઉત્પાદન વધશે જેના પરિણામે મોટી કંપનીઓ સીધા ખેડૂતો પાસે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્તાલક્ષી પાક ઉત્પાદન પણ મળશે. આજે ટેકનોલોજી નહીં લાવીએ તો ગ્લોબલાઇઝેશનમાં ટકી શકીશું નહીં. પ્રધાનમંત્રીએ દેશમાં પ્રોસેસિંગના દરવાજા ખોલી દીધા છે દેશમાં 10 હજાર કમિટી રચવાનો પણ નિર્ણય કરાયો છે. જે કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્યા ઘટશે અને ખેડૂતોની આવક વધશે. તેમણે ઉમેર્યું કે આ નવા કાયદાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે એ વાત તદ્દન ખોટી છે. ટેકાના ભાવે ખરીદી તો ચાલુ જ રહેશે પરંતુ જે ખેડૂતો ટેકનોલોજીથી માલ ખરીદ કે વેચાણ કરશે એટલે ઊંચા ભાવ મળવાના જ છે.
મંત્રી સૌરભભાઈ પટેલે ઉમેર્યું કે, 2004માં બનાવવામાં આવેલા સ્વામીનાથન આયોગના અહેવાલમાં દર્શાવાયેલા સૂચનોને લાગુ કરવાની માગણી અનેક વર્ષોથી દેશભરના ખેડૂત સંગઠનો અને ખેડૂતો કરી રહ્યાં હતા.10 વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી પણ તેમણે આ અંગે કંઈ ન કર્યું અને આજે દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ કૃષિ સુધારાઓ થકી એક સૂચક પગલું ભર્યું છે. #વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
મંત્રી સૌરભભાઈ પટેલે ઉમેર્યું કે, આ કૃષિ સુધારા બિલ અંગે રાજકીય વિરોધીઓ દ્વારા એવું કહી દેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે , તેના અમલથી કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોની જમીન વેપારીઓ અને ઉદ્યોગપતિઓને વેચી રહી છે , પરંતુ તથ્ય એ છે કે , આ બિલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે ખેડૂતોની જમીન અંગેના કરારની કોઈ જોગવાઈ જ નથી ખેડૂત પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશના ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારું આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે . જો કોઈ કંપની કે વેપારી ખેડૂત સાથે થયેલા કરારમાં કોઈ ચૂક કરે તો ખેડૂત સ્થાનિક SDM ને ફરિયાદ કરી શકશે. જેનો 30 દિવસમાં નિકાલ કરી ખેડૂતને વળતર અપાવવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.આમ આ બિલમાં ખેડૂતોને કાયદાકીય સુરક્ષા સાથે ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે . કોંગ્રેસ સહિતના રાજકીય વિરોધીઓ ટેકાના ભાવ (MSP) થી ખેડૂતોની પેદાશોની ખરીદી કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા બંધ કરી રહી છે તેવો દુષ્પચાર કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કૃષિ સુધારા બિલને MSP સાથે કોઈ જ લેવાદેવા નથી. MSPથી ખેતપેદાશો ની ખરીદી થઈ રહી છે, અને આગળ પણ થતી રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન વ્યવસ્થામાં દેશભરના ખેડૂતો પોતાના વિસ્તારની આસપાસની સ્થાનિક એપીએમસીમાં પોતાની પેદાશનું વેચાણ કરે છે, એપીએમસી સુધારા બિલ દ્વારા દેશના કરોડો ખેડૂતો સ્થાનિક એપીએમસી સહિત દેશભરમાં જે કોઈપણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેત પેદાશ વેચી શકશે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો , તેમની આવક બમણી કરવાનો છે , કૃષિ સુધારા બિલમાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે, તેમાં એક પણ બાબત એવી નથી કે જેનાથી ખેડૂતને નુકસાન વેઠવું પડે . નરેન્દ્રભાઈ મોદીના હૈયે સદાયે ખેડૂતોનું હિત વસેલું છે, તેમના દ્વારા લેવાયેલું એક એક પગલું ખેડૂતોના ઉત્થાન માટે છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂતવિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહિ. #વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
More #વડાપ્રધાન #Narendrabhai Modi #Bold Decisions #Confuses #Opposition Party #Vadodara News