વેપારીને સિમ કાર્ડ બદલી નવું સીમકાર્ડ લેવા માટેનો મોબાઈલ પર મેસેજ આવ્યો અને આઉટગોઈંગ - ઇનકમિંગ સર્વિસ બંધ થઇ ગઇ
વેપારીએ સ્ટોર પર જઇ નવું સિમ લઇ એક્ટિવ કરતાની સાથે જ રાત્રે ગઠિયાએ બેંક ખાતામાં પોતાને બેનીફીશરી તરીકે એડ કરો દીધો
વેપારીને આઉટગોઈંગ - ઇનકમિંગ સર્વિસમાં ફસાવી ગઠિયાએ અલ્ટરનેટ મોબાઈલ નંબર એડ કરી ખાતામાંથી રૂપિયા ખંખેરી લીધા
WatchGujarat નંદેસરી જીઆઈડીસીના કેમિકલના વેપારીના બેન્ક એકાઉન્ટમાં રહેલો મોબાઈલ નંબર બદલી ગઠિયાએ અલ્ટરનેટ મોબાઈલ નંબર એડ કરી વેપારીના ખાતા માંથી 4.82 લાખ ઉપાડી ઠગાઈ કરી હતી. વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપતા તપાસ દરમિયાન ગઠિયો ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું બહાર આવતા અલ્ટરનેટ નંબર ધારક સહિત બે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
શહેરના પોશ વિસ્તાર એવા અલકાપુરી ક્લબની પાછળ રહેતા જતીન જગદીશભાઈ ભાવસાર નંદેસરી જીઆઈડીસીમાં વ્હાઇટેક્સ કેમિકલ્સ નામની કંપનીમાં ધરાવે છે. વેપાર અને લેવડ દેવડ માટે જતીનભાઈએ અલકાપુરી ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું હતું. તે ખાતામાં તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. ગત 13 જૂને જતીનભાઈને સિમ કાર્ડ બદલી નવું સીમકાર્ડ લેવા માટેનો મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. ત્યારે તેમના મોબાઈલ ફોનનું આઉટગોઈંગ અને ઇનકમિંગ કોલ્સ પણ બંધ થઇ ગયા હતા. જેથી બીજા દિવસે તેઓ જીઓના સ્ટોર પર પહોંચ્યા હતા અને નવા સિમકાર્ડની કાર્યવાહી કરી બંધ થયેલ સીમકાર્ડ ચાલુ કરાવ્યું હતું.
સીમકાર્ડ ચાલુ થતાની સાથે જ 12.10 વાગ્યે તેમના મોબાઈલ પર બેંક ઓફ બરોડા તરફથી દિઓરાજ યાદવનો મેસેજ આવ્યો હતો. જેમાં તેમના બેંક ખાતામાં દિઓરાજ યાદવે પોતાનું બેનીફીશરી એકાઉન્ટ એડ કર્યું હોવાથી તેનો OTP આવ્યો હતો. જેથી જતીનભાઈએ તે OTP કોઈને આપ્યો ન હતો. અને બીજો શનિવાર હોવાથી તેઓ બેંકમાં જાણ પણ કરી શક્યા ન હતા. આ ઉપરાંત જીઓમાંથી મળેલ નવા સિમકાર્ડમાંથી ફક્ત આઉટગોઈંગ કોલ્સ જ થતા હતા. જેથી તેઓ ફરી જીઓના સ્ટોર પર પહોંચ્યા હતા અને સીમકાર્ડ બદલ્યું હતું.
ત્યારબાદ તેમણે રીકવેસટ કરી ન હોવા છતાં બીજો અલ્ટરનેટ નંબર તેમના મોબાઈલ નંબર પર એક્ટિવ થયાનો મેસેજ આવ્યો હતો. અને ત્યારે લોકડાઉન હોવાના કારણે જીઓનો સ્ટોર પણ બંધ હતો. જેથી તેઓ જાણ કરી શક્યા ન હતા. દરમિયાન રાત્રે 9.30 વાગ્યે તેમના બેંક ખાતામાંથી બેનીફીશરી તરીકે એડ થયેલા દિઓરાજ યાદવે વિવિધ ટ્રાન્સજેકશન અને NEFT કરી રૂ,4.82 લાખ રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાની જાણ થઇ હતી. જેથી તેઓએ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં દિઓરાજ યાદવ વિરુદ્ધ અરજી આપી હતી. અરજીના આધારે તપાસ કરતા દિઓરાજ યાદવ ઉત્તરપ્રદેશના રમવારપુરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે વધુ તપાસ અર્થે સાયબર ક્રાઇમ પોલીસે દિઓરાજ યાદવ અને અલ્ટરનેટ નંબર ધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
વેપારીને સિમ કાર્ડ બદલી નવું સીમકાર્ડ લેવા માટેનો મોબાઈલ પર મેસેજ આવ્યો અને આઉટગોઈંગ - ઇનકમિંગ સર્વિસ બંધ થઇ ગઇ
વેપારીએ સ્ટોર પર જઇ નવું સિમ લઇ એક્ટિવ કરતાની સાથે જ રાત્રે ગઠિયાએ બેંક ખાતામાં પોતાને બેનીફીશરી તરીકે એડ કરો દીધો
WatchGujarat નંદેસરી જીઆઈડીસીના કેમિકલના વેપારીના બેન્ક એકાઉન્ટમાં રહેલો મોબાઈલ નંબર બદલી ગઠિયાએ અલ્ટરનેટ મોબાઈલ નંબર એડ કરી વેપારીના ખાતા માંથી 4.82 લાખ ઉપાડી ઠગાઈ કરી હતી. વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપતા તપાસ દરમિયાન ગઠિયો ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું બહાર આવતા અલ્ટરનેટ નંબર ધારક સહિત બે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
શહેરના પોશ વિસ્તાર એવા અલકાપુરી ક્લબની પાછળ રહેતા જતીન જગદીશભાઈ ભાવસાર નંદેસરી જીઆઈડીસીમાં વ્હાઇટેક્સ કેમિકલ્સ નામની કંપનીમાં ધરાવે છે. વેપાર અને લેવડ દેવડ માટે જતીનભાઈએ અલકાપુરી ખાતેની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું હતું. તે ખાતામાં તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. ગત 13 જૂને જતીનભાઈને સિમ કાર્ડ બદલી નવું સીમકાર્ડ લેવા માટેનો મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. ત્યારે તેમના મોબાઈલ ફોનનું આઉટગોઈંગ અને ઇનકમિંગ કોલ્સ પણ બંધ થઇ ગયા હતા. જેથી બીજા દિવસે તેઓ જીઓના સ્ટોર પર પહોંચ્યા હતા અને નવા સિમકાર્ડની કાર્યવાહી કરી બંધ થયેલ સીમકાર્ડ ચાલુ કરાવ્યું હતું.
સીમકાર્ડ ચાલુ થતાની સાથે જ 12.10 વાગ્યે તેમના મોબાઈલ પર બેંક ઓફ બરોડા તરફથી દિઓરાજ યાદવનો મેસેજ આવ્યો હતો. જેમાં તેમના બેંક ખાતામાં દિઓરાજ યાદવે પોતાનું બેનીફીશરી એકાઉન્ટ એડ કર્યું હોવાથી તેનો OTP આવ્યો હતો. જેથી જતીનભાઈએ તે OTP કોઈને આપ્યો ન હતો. અને બીજો શનિવાર હોવાથી તેઓ બેંકમાં જાણ પણ કરી શક્યા ન હતા. આ ઉપરાંત જીઓમાંથી મળેલ નવા સિમકાર્ડમાંથી ફક્ત આઉટગોઈંગ કોલ્સ જ થતા હતા. જેથી તેઓ ફરી જીઓના સ્ટોર પર પહોંચ્યા હતા અને સીમકાર્ડ બદલ્યું હતું.
ત્યારબાદ તેમણે રીકવેસટ કરી ન હોવા છતાં બીજો અલ્ટરનેટ નંબર તેમના મોબાઈલ નંબર પર એક્ટિવ થયાનો મેસેજ આવ્યો હતો. અને ત્યારે લોકડાઉન હોવાના કારણે જીઓનો સ્ટોર પણ બંધ હતો. જેથી તેઓ જાણ કરી શક્યા ન હતા. દરમિયાન રાત્રે 9.30 વાગ્યે તેમના બેંક ખાતામાંથી બેનીફીશરી તરીકે એડ થયેલા દિઓરાજ યાદવે વિવિધ ટ્રાન્સજેકશન અને NEFT કરી રૂ,4.82 લાખ રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાની જાણ થઇ હતી. જેથી તેઓએ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં દિઓરાજ યાદવ વિરુદ્ધ અરજી આપી હતી. અરજીના આધારે તપાસ કરતા દિઓરાજ યાદવ ઉત્તરપ્રદેશના રમવારપુરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે વધુ તપાસ અર્થે સાયબર ક્રાઇમ પોલીસે દિઓરાજ યાદવ અને અલ્ટરનેટ નંબર ધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.