આજથી અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે દેશ વ્યાપી દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રૂ. 5 લાખનું દાન આપ્યું
પ્રથમ દિવસે રામ મંદિર માટે દાન આપવામાં સુરતના હીરા વેપારીએ મેદાન માર્યુ
WatchGujarat. રામ મંદિર નિર્માણ માટે આજથી દાન અભિયાન ચાલુ કર્યું છે. રામમંદિર નિર્માણ માટે શરૂઆતના પ્રથમ કલાકમાં ગુજરાતી છવાઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપેલા 5 લાખના દાન બાદ સૌથી મોટું દાન ગુજરાતના હિરા ઉદ્યોગ સાથે જોડાયેલા સુરતના જાણીતા વેપારીએ આપ્યું છે. ગુજરાતમાં હિરા કારોબાર સાથે સંકળાયેલા ગોવિંદભાઈ ધોળકિયાએ ભવ્ય રામમંદિર બનાવવા માટે રૂ. 11 કરોડનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા છેલ્લા લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલા છે.
રામ મંદિર માટે કોણે કેટલું દાન આપ્યું
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌથી પહેલા 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ પછીથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર સહિત વીએચપીના મોટા નેતાઓ સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન વીએચપી નેતા અને ધર્મગુરુ રાષ્ટ્રપતિ પાસેથી અયોધ્યામાં બનતા શ્રી રામ મંદિર નિર્માણ માટે ફંડ માંગતાં રાષ્ટ્રપતિએ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
દાન માટે દેશ વ્યાપી અભિયાન ચલાવવામાં આવશે
રામ મંદિર માટે દાન અભિયાન હેઠળ 5 લાખથી વધુ ગામમાં 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. ગામના લોકો પાસેથી દાન માંગવામાં આવશે. ગુજરાત સ્થિત સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ પણ સામેલ હતા. દાન એકત્રીત કરવાનું અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અભિયાન હેઠળ રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ લોકોને સમર્પણ અને સહયોગ રાશી લેશે. 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાનું કૂપન હશે. 2000 રૂપિયાથી વધુ સહયોગ કરનારને રસીદ આપવામાં આવશે.
આજથી અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે દેશ વ્યાપી દાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રૂ. 5 લાખનું દાન આપ્યું
પ્રથમ દિવસે રામ મંદિર માટે દાન આપવામાં સુરતના હીરા વેપારીએ મેદાન માર્યુ
WatchGujarat. રામ મંદિર નિર્માણ માટે આજથી દાન અભિયાન ચાલુ કર્યું છે. રામમંદિર નિર્માણ માટે શરૂઆતના પ્રથમ કલાકમાં ગુજરાતી છવાઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપેલા 5 લાખના દાન બાદ સૌથી મોટું દાન ગુજરાતના હિરા ઉદ્યોગ સાથે જોડાયેલા સુરતના જાણીતા વેપારીએ આપ્યું છે. ગુજરાતમાં હિરા કારોબાર સાથે સંકળાયેલા ગોવિંદભાઈ ધોળકિયાએ ભવ્ય રામમંદિર બનાવવા માટે રૂ. 11 કરોડનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા છેલ્લા લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલા છે.
રામ મંદિર માટે કોણે કેટલું દાન આપ્યું
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાન આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌથી પહેલા 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ પછીથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર સહિત વીએચપીના મોટા નેતાઓ સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન વીએચપી નેતા અને ધર્મગુરુ રાષ્ટ્રપતિ પાસેથી અયોધ્યામાં બનતા શ્રી રામ મંદિર નિર્માણ માટે ફંડ માંગતાં રાષ્ટ્રપતિએ 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
દાન માટે દેશ વ્યાપી અભિયાન ચલાવવામાં આવશે
રામ મંદિર માટે દાન અભિયાન હેઠળ 5 લાખથી વધુ ગામમાં 12 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. ગામના લોકો પાસેથી દાન માંગવામાં આવશે. ગુજરાત સ્થિત સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ પણ સામેલ હતા. દાન એકત્રીત કરવાનું અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અભિયાન હેઠળ રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ લોકોને સમર્પણ અને સહયોગ રાશી લેશે. 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાનું કૂપન હશે. 2000 રૂપિયાથી વધુ સહયોગ કરનારને રસીદ આપવામાં આવશે.