આદિવાસીઓની કુળ દેવી દેવમોગરાના પાંડુરી માતાને ચઢાવાય છે મરઘી-બકરાં અને પીરસાય છે દારૂ
યાહ મોગી પાંડુરી માતાની સોનાની પ્રતિમા આવેલી છે
મંદિરનું નિર્માણ આદિવાસી સાથે નેપાળી શૈલીમાં કરાયું છે
WatchGujarat શિવરાત્રી પર મહાદેવનું વિશેષ પૂજન અર્ચન કીર્તન કરાતું હોય છે. પરંતુ નર્મદામાં આ દિને યાહ મોગી પાંડુરી માતાજીનું પૂજન થાય છે. આ પારંપરિક ચાલતી પદ્ધતિ છે. નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે . આ દેવમોગરા, નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિમીના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે.
સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ આવેલુ છે. નર્મદા નદીના દક્ષિણ કાંઠાથી સાતપુડા પર્વતની હાર માળાના વિસ્તારને હેલાધાબ તરીકે ઓળખાય છે. જેનું પ્રાકૃતિક સૌંદર્ય રમણિય હોય છે. જ્યા આ પાંચ દિવસો માં 5 થી 6 લાખ ભક્તો દર્શન કરે છે.
યાહ મોગી માતાજીના ઇતિહાસ અંગે લોકમાન્યતા છે કે, વર્ષો પૂર્વે હેલાધાબમાં ઉમરાવણ નામની દેવી કે જેમની સાત પુત્રીઓ હતી. તેમાં સૌથી નાની પુત્રીનું નામ યાહ મોગી હતું . યાહ મોગી ખુબ જ દૈવી શક્તિ ધરાવતા હતા. તેમના દર્શનથી દુઃખિયારાઓના દુઃખો દુર થતા હતા અને તેમની મનોકામનાઓ પુર્ણ થતી હતી. આમ, યાહ મોગી માતાજી તરીકે સર્વત્ર પુજાતા થયા. માતાજીની શક્તિની ખ્યાતિ ચોમેર ફેલાવા લાગી હતી. તે જમાનાના રાજાપાંઠા અને વિનાદેવ નામના દૈવી પુરૂષોએ માતાજીના દર્શનાર્થે ઘોડે સવારી કરી નિકળ્યા હતા.
માતાજીને આ બાબતની જાણ થતા માતાજી અદ્રશ્ય થઇ ગયા હતા. માતાજીની આ શક્તિથી બન્ને દેવી પુરૂષો પ્રભાવિત થયા હતા. તેમને માતાજીની સોનાની મુર્તિ બનાવી દેવ મોગરા ખાતે પ્રતિષ્ઠા કરી હતી. આ દેવી પુરૂષોએ માતાજીના પુજાપામાં ધન, ધાન્ય, મદિરા અને પશુ - પંખીઓ માતાજીના ચરણે ધરી પુજા કરી ત્યારથી આજ સુધી માતાજીની પુજા - દર્શનમાં ધન, ધાન્ય, મદિરા અને પશુ - પંખીઓ ચરણે ધરાવવાની પ્રથા ચાલતી આવે છે.
આ સોનાની માતાજીની મૂર્તિની સામે આજે પણ લોકો દેવમોગરા મંદિરમાં આ જ પ્રથાથી પુજા - દર્શન કરે છે. શ્રધ્ધાળુ ભક્તો પોતાના દુઃખ - દર્દો દુર કરવા માતાજીની બાધા રાખે છે અને માતાજી તેમની મનોકામના પુર્ણ કરે છે. જેના બદલામાં શ્રધ્ધાળુ ભક્તો પોતાની શક્તિ મુજબ ધન, દ્રવ્ય અને મદિરા સાથે સોના - ચાંદીના દાગીના પણ માતાજીના ચરણે ધરાવી ધન્યતા અનુભવે છે.
આ દેવમોગરા ખાતે મહા વદ 14 ની રાત્રિએ ઉત્સવ ( બાંઅ ) યોજાય છે. આ રાત્રિએ બોહણ ( એક ધાર્મિક સ્થળ ) ની પુજા થાય છે. બીજે દિવસે અમાસના વહેલી સવારે માતાજીના સ્થાનકથી ઉત્તર દિશામાં નદી કિનારે વાગણ્યા ગાદી ( એક ધાર્મિક સ્થળ ) ની પુજા થાય છે. અમાસના દિવસે સાગબારાના રાજવી પરિવાર સૌ પ્રથમ માતાજીની પુજા - અર્ચના કરે છે. ત્યારબાદ રૈયત - પ્રજા પુજાવિધ કરે છે. આ દિવસે માતાજીની ભવ્ય સ્નાન યાત્રાની સવારી નિકળે છે. યાત્રામાં બહોળા પ્રમાણમાં લોકો નાચ - ગાન કરતા કરતા હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
માતાજીના સ્નાનનું પવિત્ર જળ લેવા માટે ભારે ઘસારો થાય છે અને પવિત્ર જળના સેવનથી તન - મનના દુઃખો દુર થાય છે અને ભાવિકો ધન્યતા અનુભવે છે. કોરોના ના કારણે આ વખતે વહીવટી તંત્ર દ્વારા 5 દિવસ શિવરાત્રી એ ભરાતો મેળો બંધ રાખવામાં આવ્યો છે. અહીં પાંડુરી માતા ના દર્શને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આદિવાસીઓ ઉમટી પડે છે.
આદિવાસીઓની કુળ દેવી દેવમોગરાના પાંડુરી માતાને ચઢાવાય છે મરઘી-બકરાં અને પીરસાય છે દારૂ
યાહ મોગી પાંડુરી માતાની સોનાની પ્રતિમા આવેલી છે
મંદિરનું નિર્માણ આદિવાસી સાથે નેપાળી શૈલીમાં કરાયું છે
WatchGujarat શિવરાત્રી પર મહાદેવનું વિશેષ પૂજન અર્ચન કીર્તન કરાતું હોય છે. પરંતુ નર્મદામાં આ દિને યાહ મોગી પાંડુરી માતાજીનું પૂજન થાય છે. આ પારંપરિક ચાલતી પદ્ધતિ છે. નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે . આ દેવમોગરા, નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે 60 કિમીના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે.
સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ આવેલુ છે. નર્મદા નદીના દક્ષિણ કાંઠાથી સાતપુડા પર્વતની હાર માળાના વિસ્તારને હેલાધાબ તરીકે ઓળખાય છે. જેનું પ્રાકૃતિક સૌંદર્ય રમણિય હોય છે. જ્યા આ પાંચ દિવસો માં 5 થી 6 લાખ ભક્તો દર્શન કરે છે.
યાહ મોગી માતાજીના ઇતિહાસ અંગે લોકમાન્યતા છે કે, વર્ષો પૂર્વે હેલાધાબમાં ઉમરાવણ નામની દેવી કે જેમની સાત પુત્રીઓ હતી. તેમાં સૌથી નાની પુત્રીનું નામ યાહ મોગી હતું . યાહ મોગી ખુબ જ દૈવી શક્તિ ધરાવતા હતા. તેમના દર્શનથી દુઃખિયારાઓના દુઃખો દુર થતા હતા અને તેમની મનોકામનાઓ પુર્ણ થતી હતી. આમ, યાહ મોગી માતાજી તરીકે સર્વત્ર પુજાતા થયા. માતાજીની શક્તિની ખ્યાતિ ચોમેર ફેલાવા લાગી હતી. તે જમાનાના રાજાપાંઠા અને વિનાદેવ નામના દૈવી પુરૂષોએ માતાજીના દર્શનાર્થે ઘોડે સવારી કરી નિકળ્યા હતા.
માતાજીને આ બાબતની જાણ થતા માતાજી અદ્રશ્ય થઇ ગયા હતા. માતાજીની આ શક્તિથી બન્ને દેવી પુરૂષો પ્રભાવિત થયા હતા. તેમને માતાજીની સોનાની મુર્તિ બનાવી દેવ મોગરા ખાતે પ્રતિષ્ઠા કરી હતી. આ દેવી પુરૂષોએ માતાજીના પુજાપામાં ધન, ધાન્ય, મદિરા અને પશુ - પંખીઓ માતાજીના ચરણે ધરી પુજા કરી ત્યારથી આજ સુધી માતાજીની પુજા - દર્શનમાં ધન, ધાન્ય, મદિરા અને પશુ - પંખીઓ ચરણે ધરાવવાની પ્રથા ચાલતી આવે છે.
આ સોનાની માતાજીની મૂર્તિની સામે આજે પણ લોકો દેવમોગરા મંદિરમાં આ જ પ્રથાથી પુજા - દર્શન કરે છે. શ્રધ્ધાળુ ભક્તો પોતાના દુઃખ - દર્દો દુર કરવા માતાજીની બાધા રાખે છે અને માતાજી તેમની મનોકામના પુર્ણ કરે છે. જેના બદલામાં શ્રધ્ધાળુ ભક્તો પોતાની શક્તિ મુજબ ધન, દ્રવ્ય અને મદિરા સાથે સોના - ચાંદીના દાગીના પણ માતાજીના ચરણે ધરાવી ધન્યતા અનુભવે છે.
આ દેવમોગરા ખાતે મહા વદ 14 ની રાત્રિએ ઉત્સવ ( બાંઅ ) યોજાય છે. આ રાત્રિએ બોહણ ( એક ધાર્મિક સ્થળ ) ની પુજા થાય છે. બીજે દિવસે અમાસના વહેલી સવારે માતાજીના સ્થાનકથી ઉત્તર દિશામાં નદી કિનારે વાગણ્યા ગાદી ( એક ધાર્મિક સ્થળ ) ની પુજા થાય છે. અમાસના દિવસે સાગબારાના રાજવી પરિવાર સૌ પ્રથમ માતાજીની પુજા - અર્ચના કરે છે. ત્યારબાદ રૈયત - પ્રજા પુજાવિધ કરે છે. આ દિવસે માતાજીની ભવ્ય સ્નાન યાત્રાની સવારી નિકળે છે. યાત્રામાં બહોળા પ્રમાણમાં લોકો નાચ - ગાન કરતા કરતા હર્ષોલ્લાસ સાથે જોડાય છે.
માતાજીના સ્નાનનું પવિત્ર જળ લેવા માટે ભારે ઘસારો થાય છે અને પવિત્ર જળના સેવનથી તન - મનના દુઃખો દુર થાય છે અને ભાવિકો ધન્યતા અનુભવે છે. કોરોના ના કારણે આ વખતે વહીવટી તંત્ર દ્વારા 5 દિવસ શિવરાત્રી એ ભરાતો મેળો બંધ રાખવામાં આવ્યો છે. અહીં પાંડુરી માતા ના દર્શને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આદિવાસીઓ ઉમટી પડે છે.