બુધવારે સવારથી જ મનીષ સીસોદીયાના ગુજરાત પ્રવાસને લઇને અટકળો ચાલી રહીં હતી.
એક તબક્કે આમ આદમી પાર્ટી દ્વારા મનીષ સીસોદીયાનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરાયો હતો.
મનીષ સીસોદીયાએ મોડી સાંજે અચાનક ટ્વીટ કરી તબીયત નાદુરસ્ત હોવાનુ જણાવ્યું
WatchGujarat. દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા આવતી કાલે સુરત આવવાના હતા. અને સુરતમાં તેઓનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. અને તેઓના આગમનને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગયી હતી પરંતુ મનીષ સીસોદીયાનો સુરત આવવાનો કાર્યક્રમ રદ થયો છે. તેઓની તબિયત નાદુરસ્ત હોવાથી આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે અને આ અંગેની જાણકારી તેઓએ ગુજરાતીમાં ટ્વીટ કરીને આપી હતી
આવતી કાલે સુરત માટે રાજકારણને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ હતો. કારણ કે આવતી કાલે બે દિગગજ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે સુરતમાં તેઓ પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે આ કેસ અંતગત તેઓ સુરત આવવાના છે જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સુરતમાં ધામા નાખ્યા છે. તો બીજી તરફ દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા પણ સુરત આવી રહ્યા હતા.તેઓના સુરત આગમનને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મનીષ સિસોદિયાના સુરત આગમન વખતે અનેક મોટા નામો આપમાં જોડાઈ તેવી પણ ચર્ચાઓ ચાલતી હતી પરંતુ હવે મનીષ સીસોદીયાનો સુરત આવવાનો કાર્યક્રમ રદ કરાયો છે. આ અંગે ખુદ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
[caption id="attachment_1224793" align="aligncenter" width="1080"] Delhi Deputy Chief Minister Manish Sisodia Tweet on Gujarat (surat) visit[/caption]
તબિયત નાદુરસ્ત હોવાથી કાર્યક્રમ રદ
મનીષ સીસોદીયાએ પોતાના ટ્વીટમાં ગુજરાતીમાં લખ્યું હતું કે કાલે સવારે ગુજરાત જવાનું હતું. પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડોકટરની સલાહ મુજબ હવે આવતી કાલનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે. કાલે હું ગુજરાત નહીં આવી શકું તેનો ખેદ છે. પરંતુ સ્વસ્થ થયા પછી તરત જ ગુજરાતને મળવા જલ્દી આવીશ.
બુધવારે સવારથી જ મનીષ સીસોદીયાના ગુજરાત પ્રવાસને લઇને અટકળો ચાલી રહીં હતી.
એક તબક્કે આમ આદમી પાર્ટી દ્વારા મનીષ સીસોદીયાનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરાયો હતો.
મનીષ સીસોદીયાએ મોડી સાંજે અચાનક ટ્વીટ કરી તબીયત નાદુરસ્ત હોવાનુ જણાવ્યું
WatchGujarat. દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા આવતી કાલે સુરત આવવાના હતા. અને સુરતમાં તેઓનો કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો. અને તેઓના આગમનને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગયી હતી પરંતુ મનીષ સીસોદીયાનો સુરત આવવાનો કાર્યક્રમ રદ થયો છે. તેઓની તબિયત નાદુરસ્ત હોવાથી આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે અને આ અંગેની જાણકારી તેઓએ ગુજરાતીમાં ટ્વીટ કરીને આપી હતી
આવતી કાલે સુરત માટે રાજકારણને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ હતો. કારણ કે આવતી કાલે બે દિગગજ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે સુરતમાં તેઓ પર માનહાનીનો કેસ કરવામાં આવ્યો છે આ કેસ અંતગત તેઓ સુરત આવવાના છે જેને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ સુરતમાં ધામા નાખ્યા છે. તો બીજી તરફ દિલ્હીના શિક્ષણ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા પણ સુરત આવી રહ્યા હતા.તેઓના સુરત આગમનને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. મનીષ સિસોદિયાના સુરત આગમન વખતે અનેક મોટા નામો આપમાં જોડાઈ તેવી પણ ચર્ચાઓ ચાલતી હતી પરંતુ હવે મનીષ સીસોદીયાનો સુરત આવવાનો કાર્યક્રમ રદ કરાયો છે. આ અંગે ખુદ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.
[caption id="attachment_1224793" align="aligncenter" width="1080"] Delhi Deputy Chief Minister Manish Sisodia Tweet on Gujarat (surat) visit[/caption]
તબિયત નાદુરસ્ત હોવાથી કાર્યક્રમ રદ
મનીષ સીસોદીયાએ પોતાના ટ્વીટમાં ગુજરાતીમાં લખ્યું હતું કે કાલે સવારે ગુજરાત જવાનું હતું. પરંતુ તબિયત થોડી ખરાબ થવાના કારણે ડોકટરની સલાહ મુજબ હવે આવતી કાલનો કાર્યક્રમ કેન્સલ કરવો પડશે. કાલે હું ગુજરાત નહીં આવી શકું તેનો ખેદ છે. પરંતુ સ્વસ્થ થયા પછી તરત જ ગુજરાતને મળવા જલ્દી આવીશ.