MP મનસુખ વસાવા એ ગાંધીનગર જઇ CM વિજય રૂપાણી સાથે 45 મિનિટ સુધી બેઠક કરી રાજીનામુ પરત ખેંચ્યું
સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષ માંથી રાજીનામુ આપ્યું હતું
રાજીનામાં ના 24 કલાક પહેલાં જ આજે સાંસદ મનસુખ વસાવાને મનાવવામાં ભાજપ સફળ રહ્યું
WatchGujarat ભરૂચ ના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષ માંથી રાજીનામુ આપ્યા ની વાતો વહેતી કરતા ભરૂચ, નર્મદા નું રાજકારણ ગરમાયુ હતું, આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન સહિતના મુદ્દે નારાજ સાંસદ મનસુખભાઇ એ અચાનક જ રાજીનામું ધરી દઈ સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી.
બાદમાં મીડિયા સાથેની વાતચીત માં તેઓએ નાદુરસ્ત તબિયત હોવાના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. રાજીનામાં ના 24 કલાક પહેલાં જ આજે સાંસદ મનસુખ વસાવાને મનાવવામાં ભાજપ સફળ રહ્યું છે. અને તેઓએ આજે બુધવારે સવારે પોતે રાજીનામુ પરત ખેંચ્યું હોવાનું મીડિયા સમક્સ જણાવ્યું હતું,
સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચવાની જાહેરાત કરતા BTP ના અધ્યક્ષ છોટુ વસાવા (ધારાસભ્ય ઝઘડિયા )એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરી કટાક્ષ માર્યો હતો અને લખ્યું હતું કે, બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય,આમ બંને આદિવાસી નેતાઓ સોશિયલ મીડિયા મારફતે આડકતરી રીતે છવાયેલા છેલ્લા 24 કલાક માં જોવા મળ્યા છે.
ગાંધીનગર ખાતે સાંસદ મનસુખ વસાવાએ બુધવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મળી CM સાથે 45 મિનિટ બેઠક કરી બહાર આવ્યા બાદ જણાવ્યું હતું કે , તેઓ એ રાજીનામું પરત ખેંચી લીધું છે. જોકે રાજીનામાં ના કારણ માં તેમની નાદુરસ્ત તબિયતનું જ કારણ લખાવ્યું હતું. પોતાની રજૂઆતો સંદર્ભે મનદુઃખનો મીડિયા સમક્ષ કોઈ ફોડ પડ્યો ન હતો. #BTP
More #MP #Mansukh vasava #withdraws #resignation #BTP #Chhotu vasava #Sarcasm #Gujaratinews #Watchgujarat
MP મનસુખ વસાવા એ ગાંધીનગર જઇ CM વિજય રૂપાણી સાથે 45 મિનિટ સુધી બેઠક કરી રાજીનામુ પરત ખેંચ્યું
સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષ માંથી રાજીનામુ આપ્યું હતું
રાજીનામાં ના 24 કલાક પહેલાં જ આજે સાંસદ મનસુખ વસાવાને મનાવવામાં ભાજપ સફળ રહ્યું
WatchGujarat ભરૂચ ના સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષ માંથી રાજીનામુ આપ્યા ની વાતો વહેતી કરતા ભરૂચ, નર્મદા નું રાજકારણ ગરમાયુ હતું, આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન સહિતના મુદ્દે નારાજ સાંસદ મનસુખભાઇ એ અચાનક જ રાજીનામું ધરી દઈ સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી.
બાદમાં મીડિયા સાથેની વાતચીત માં તેઓએ નાદુરસ્ત તબિયત હોવાના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. રાજીનામાં ના 24 કલાક પહેલાં જ આજે સાંસદ મનસુખ વસાવાને મનાવવામાં ભાજપ સફળ રહ્યું છે. અને તેઓએ આજે બુધવારે સવારે પોતે રાજીનામુ પરત ખેંચ્યું હોવાનું મીડિયા સમક્સ જણાવ્યું હતું,
સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચવાની જાહેરાત કરતા BTP ના અધ્યક્ષ છોટુ વસાવા (ધારાસભ્ય ઝઘડિયા )એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલોડ કરી કટાક્ષ માર્યો હતો અને લખ્યું હતું કે, બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય,આમ બંને આદિવાસી નેતાઓ સોશિયલ મીડિયા મારફતે આડકતરી રીતે છવાયેલા છેલ્લા 24 કલાક માં જોવા મળ્યા છે.
ગાંધીનગર ખાતે સાંસદ મનસુખ વસાવાએ બુધવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મળી CM સાથે 45 મિનિટ બેઠક કરી બહાર આવ્યા બાદ જણાવ્યું હતું કે , તેઓ એ રાજીનામું પરત ખેંચી લીધું છે. જોકે રાજીનામાં ના કારણ માં તેમની નાદુરસ્ત તબિયતનું જ કારણ લખાવ્યું હતું. પોતાની રજૂઆતો સંદર્ભે મનદુઃખનો મીડિયા સમક્ષ કોઈ ફોડ પડ્યો ન હતો. #BTP