RBPH એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા રોજ સરેરાશ ₹ 2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન
ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે
કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટ મારફત રોજ ₹50 લાખની કિંમતની 25 લાખ યુનિટ પાવર જનરેશન
CHPH દ્વારા હાલમાં દૈનિક સરેરાશ 15500 ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે છોડાઇ રહ્યું છે
[caption id="attachment_1219198" align="aligncenter" width="1280"] મુખ્ય કેનાલ[/caption]
WatchGujarat. સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છેલ્લા 1 સપ્તાહથી તેના કેનાલ હેડ અને રીવરબેડ પાવર હાઉસના ટર્બાઇનો ચલાવી સિંચાઈ અને પીવા માટે ગુજરાતમાં પાણી વેહડાવી રોજની ₹3.30 કરોડની વીજળી પેદા કરી રહ્યો છે.
[caption id="attachment_1219200" align="aligncenter" width="1280"] પાવર હાઉસ[/caption]
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી બુધવારે સવારે 8 કલાકે 123.01 મીટર નોંધાઇ છે. જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 5463 મીલીયન ક્યુબીક મીટર MCM છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસ RBPH માં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે 20 થી 25 સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો હોવાની જાણકારી સરદાર સરોવર ડેમ વિભાગના ઇજનેર તરફથી પ્રાપ્ત થઇ છે.
[caption id="attachment_1219199" align="aligncenter" width="1280"] CHPH પાવર હાઉસ[/caption]
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટરે હતી. હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 78 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે.
[caption id="attachment_1219201" align="aligncenter" width="1280"] મુખ્ય કેનાલ[/caption]
RBPH ના તમામ 6 ટર્બાઇનો ધમધમતા રોજ ₹2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. વિજ ઉત્પાદન થકી 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં 168 કિલોમીટરના નીચાણવાસમાં ઠલવાઇ રહ્યું છે. 600 ક્યુસેકથી સીધા 42000 ક્યુસેક નર્મદા નદીમાં પ્રવાહના કારણે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
બીજી તરફ રાજ્યમાં સિંચાઈ અને પીવા માટે પાણી ઉપલબ્ધ કરાવવા 50 મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસ CHPHના 5 પૈકી હાલ 3 જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે. જે દૈનિક ₹50 લાખની કિંમતનુ 25 લાખ યુનિટ વિજ ઉત્પાદન કરી રહ્યાં છે. દૈનિક સરેરાશ 15500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.
RBPH એક સપ્તાહથી સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા રોજ સરેરાશ ₹ 2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન
ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા દરરોજ સરેરાશ 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા નદી બે કાંઠે
CHPH દ્વારા હાલમાં દૈનિક સરેરાશ 15500 ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણી માટે છોડાઇ રહ્યું છે
[caption id="attachment_1219198" align="aligncenter" width="1280"] મુખ્ય કેનાલ[/caption]
WatchGujarat. સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છેલ્લા 1 સપ્તાહથી તેના કેનાલ હેડ અને રીવરબેડ પાવર હાઉસના ટર્બાઇનો ચલાવી સિંચાઈ અને પીવા માટે ગુજરાતમાં પાણી વેહડાવી રોજની ₹3.30 કરોડની વીજળી પેદા કરી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી બુધવારે સવારે 8 કલાકે 123.01 મીટર નોંધાઇ છે. જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 5463 મીલીયન ક્યુબીક મીટર MCM છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસ RBPH માં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે 20 થી 25 સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો હોવાની જાણકારી સરદાર સરોવર ડેમ વિભાગના ઇજનેર તરફથી પ્રાપ્ત થઇ છે.
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટરે હતી. હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 78 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે.
[caption id="attachment_1219201" align="aligncenter" width="1280"] મુખ્ય કેનાલ[/caption]
RBPH ના તમામ 6 ટર્બાઇનો ધમધમતા રોજ ₹2.8 કરોડની કિંમતની 1.40 કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. વિજ ઉત્પાદન થકી 42000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં 168 કિલોમીટરના નીચાણવાસમાં ઠલવાઇ રહ્યું છે. 600 ક્યુસેકથી સીધા 42000 ક્યુસેક નર્મદા નદીમાં પ્રવાહના કારણે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
બીજી તરફ રાજ્યમાં સિંચાઈ અને પીવા માટે પાણી ઉપલબ્ધ કરાવવા 50 મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસ CHPHના 5 પૈકી હાલ 3 જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે. જે દૈનિક ₹50 લાખની કિંમતનુ 25 લાખ યુનિટ વિજ ઉત્પાદન કરી રહ્યાં છે. દૈનિક સરેરાશ 15500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.