ઝઘડિયાના લીમોદરા ગામે સવારે 10-30 વાગ્યાની આસપાસ ઘટના બની હતી.
નર્મદા નદી કિનારે ગાયો ચરાવતી વેળા મગર ખેંચી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા ગ્રામજનોના ટોળે ટોળા ઉમટ્યા
પશુપાલકના પગ ઉપર જ ઇજાના નિશાન હોય મગરનો હુમલો કે નદીમાં ડૂબી જતાં મૃત્યુ અંગે આશંકા
[caption id="attachment_1384814" align="aligncenter" width="1600"] નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ કાઢતા સ્થાનિકો (Narmada River, crocodile)[/caption]
WatchGujarat. રક્ષાબંધન પર્વે જ ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે પશુ ચરાવવા ગયેલા વૃદ્ધને મગર ખેંચી જતા નર્મદા નદીમાંથી લાશ મળી આવતા ગામમાં ભય સાથે ગમગીની ફેલાઈ છે. જોકે વૃદ્ધનું મોત મગરના હુમલાથી કે નદીમાં ડૂબી જવાથી થયું તેને લઈ અવઢવ હોય પોસ્ટમોર્ટમ બાદ જ હકીકત બહાર આવી શકશે.
લીમોદરા ગામે રહેતા 60 વર્ષીય રામજીભાઈ રબારી રવિવારે સવારે 10.30 કલાકના અરસામાં ગાયો ચરાવવા ગયા હતા. દરમિયાન લાડવાવાડ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં વૃદ્ધને મગર ખેંચી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી.
https://youtu.be/fxlkGozvQrc
જેની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળે ટોળા નદી કિનારે ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસ અને વન વિભાગને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે વૃદ્ધના પગમાં જ ફક્ત ઇજાના નિશાન હોય મગરે હુમલો કરી તેમનું મોત નિપજાવ્યું કે નદીમાં ડૂબી જવાથી તેઓ મૃત્યુ પામ્યા તે અંગે રહસ્ય ઘેરાયું છે.
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે વન વિભાગ મગર અંગે તપાસ ચલાવી રહ્યું છે. મગરના હુમલાની ઘટનાને લઈ હાલ તો ગામમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
ગ્રામજનોએ મગરને પકડવા પાંજરૂ મુકવા માંગ કરતા વન વિભાગે કવાયત હાથ ધરી છે. સાથે જ નદી કિનારે ગ્રામજનોને નહિ જવા સૂચના અપાઈ છે. નદીમાં ફરી મગરની દહેશતને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોસ્ટમોર્ટમ બાદ જ વૃદ્ધ પશુપાલકનું મોત ડૂબી જવાથી કે મગરના હુમલાથી થયું તેની સાચી વિગતો બહાર આવી શકશે.
ઝઘડિયાના લીમોદરા ગામે સવારે 10-30 વાગ્યાની આસપાસ ઘટના બની હતી.
WatchGujarat. રક્ષાબંધન પર્વે જ ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે પશુ ચરાવવા ગયેલા વૃદ્ધને મગર ખેંચી જતા નર્મદા નદીમાંથી લાશ મળી આવતા ગામમાં ભય સાથે ગમગીની ફેલાઈ છે. જોકે વૃદ્ધનું મોત મગરના હુમલાથી કે નદીમાં ડૂબી જવાથી થયું તેને લઈ અવઢવ હોય પોસ્ટમોર્ટમ બાદ જ હકીકત બહાર આવી શકશે.
લીમોદરા ગામે રહેતા 60 વર્ષીય રામજીભાઈ રબારી રવિવારે સવારે 10.30 કલાકના અરસામાં ગાયો ચરાવવા ગયા હતા. દરમિયાન લાડવાવાડ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં વૃદ્ધને મગર ખેંચી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી.
જેની જાણ ગ્રામજનોને થતા લોકોના ટોળે ટોળા નદી કિનારે ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસ અને વન વિભાગને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નદીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે વૃદ્ધના પગમાં જ ફક્ત ઇજાના નિશાન હોય મગરે હુમલો કરી તેમનું મોત નિપજાવ્યું કે નદીમાં ડૂબી જવાથી તેઓ મૃત્યુ પામ્યા તે અંગે રહસ્ય ઘેરાયું છે.
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે વન વિભાગ મગર અંગે તપાસ ચલાવી રહ્યું છે. મગરના હુમલાની ઘટનાને લઈ હાલ તો ગામમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
ગ્રામજનોએ મગરને પકડવા પાંજરૂ મુકવા માંગ કરતા વન વિભાગે કવાયત હાથ ધરી છે. સાથે જ નદી કિનારે ગ્રામજનોને નહિ જવા સૂચના અપાઈ છે. નદીમાં ફરી મગરની દહેશતને લઈ ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોસ્ટમોર્ટમ બાદ જ વૃદ્ધ પશુપાલકનું મોત ડૂબી જવાથી કે મગરના હુમલાથી થયું તેની સાચી વિગતો બહાર આવી શકશે.