ઐતિહાસિક સાંકળા ગોલ્ડનબ્રિજ પર સર્જાતી વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ
₹400 કરોડના ફોરલેન નર્મદા મૈયા બ્રિજ ઉપર સડસડાટ દોડશે હજારો વાહનો, N.H. 48 ઉપર કેબલબ્રિજ ટોલટેક્સ બચશે સાથે 7 KM નું અંતર પણ ઘટશે
બ્રિટિશ શાસનમાં 141 વર્ષથી અડીખમ ગોલ્ડનબ્રિજને પણ ચક્કાજામ માંથી રાહત
12 જુલાઇના દિવસે ડે. સી.એમ નીતિન પટેલ કરશે નર્મદા મૈયા બ્રીજનુ લોકાર્પણ
[caption id="attachment_1278468" align="aligncenter" width="1280"] Narmada Maiya Bridge[/caption]
WatchGujarat. ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર બની રહેલા 4 માર્ગીય નર્મદા મૈયા બ્રિજનું ડે. CM નીતિન પટેલના હસ્તે રથયાત્રાના પવિત્ર દિવસ 12 જુલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય ભરૂચ-અંકલેશ્વરની પ્રજા અને વાહનચાલકોની આતુરતાનો 2014 દિવસ બાદ અંત આવશે. આ સાથે જ 141 વર્ષ જુના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બની જતા ફાસ્ટેગ મોડના નવા યુગમાં સડસડાટ વાહન વ્યવહાર દોડશે.
ભરૂચ અને અંકલેશ્વરની જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તેવા ગોલ્ડન બ્રિજને સમાંતર બનેલા નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ આગામી 12 જુલાઈના રોજ નાયબ મુખ્યમંત્રી ડે. CM નીતિન પટેલના હસ્તે કરવામાં આવશે.
ઔદ્યોગિક ગઢ ભરૂચ અને અંક્લેશ્વર શહેર વચ્ચે 141 વર્ષથી અડીખમ ઉભેલો અંગેજોએ નિર્માણ કરેલો સાંકળો ગોલ્ડનબ્રિજ વધતી આબાદી તેમજ વાહનોની ભરમાર વચ્ચે નર્મદા નદી ઉપર નવા બ્રિજની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી.
છેલ્લા 20 થી 25 વર્ષ ઉપરાંતથી બન્ને શહેરની પ્રજા ગોલ્ડનબ્રિજ ઉપર સર્જાતા ટ્રાફિકજામમાં પીસાઈ રહી હતી. પ્રજા સાથે વાહન ચાલકો અને ગોલ્ડનબ્રિજને પણ વર્ષો જૂની ટ્રાફિકજામનું ભારણ વેઠવું પડતું હતું.
[caption id="attachment_1278467" align="aligncenter" width="1280"] Narmada Maiya Bridge[/caption]
કરોડરજ્જુ સમાન ગોલ્ડન બ્રિજ અંગેજોના શાસનથી લઈ આઝાદી બાદ સ્વરાજમાં 141 વર્ષથી અવિરત સેવા આપી રહ્યો છે. અને તેમાં વાહનોનું ભારણ વધતા નવા બ્રિજની જરૂરીયાત વર્તાતા ડિસેમ્બર 2015 માં નર્મદા મૈયા બ્રિજનું ખાતમુહુર્ત તત્કાલીન મુખ્યમંત્રી CM આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ-અંકલેશ્વરની જનતાએ વર્ષો સુધી ટ્રાફિકની વિકરાળ સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું પરંતુ હવે તેની આતુરતાનો અંત આવી ગયો છે અને નર્મદા મૈયા બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઇ જતા 12 જુલાઈ રથયાત્રા ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રીજ અંદાજીત ₹ 400 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. અને તેના ઉદ્ઘાટન બાદ ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવી જશે. બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે શુક્રવારે જીલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠક મળી હતી. જેમાં અધિકારીઓને જીલ્લા કલેકટર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.
WatchGujarat. ભરૂચમાં ગોલ્ડનબ્રિજને સમાંતર બની રહેલા 4 માર્ગીય નર્મદા મૈયા બ્રિજનું ડે. CM નીતિન પટેલના હસ્તે રથયાત્રાના પવિત્ર દિવસ 12 જુલાઈએ લોકાર્પણ થવા જઈ રહ્યું હોય ભરૂચ-અંકલેશ્વરની પ્રજા અને વાહનચાલકોની આતુરતાનો 2014 દિવસ બાદ અંત આવશે. આ સાથે જ 141 વર્ષ જુના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બની જતા ફાસ્ટેગ મોડના નવા યુગમાં સડસડાટ વાહન વ્યવહાર દોડશે.
ભરૂચ અને અંકલેશ્વરની જનતા જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી તેવા ગોલ્ડન બ્રિજને સમાંતર બનેલા નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ આગામી 12 જુલાઈના રોજ નાયબ મુખ્યમંત્રી ડે. CM નીતિન પટેલના હસ્તે કરવામાં આવશે.
ઔદ્યોગિક ગઢ ભરૂચ અને અંક્લેશ્વર શહેર વચ્ચે 141 વર્ષથી અડીખમ ઉભેલો અંગેજોએ નિર્માણ કરેલો સાંકળો ગોલ્ડનબ્રિજ વધતી આબાદી તેમજ વાહનોની ભરમાર વચ્ચે નર્મદા નદી ઉપર નવા બ્રિજની તાતી જરૂરિયાત ઉભી થઇ હતી.
છેલ્લા 20 થી 25 વર્ષ ઉપરાંતથી બન્ને શહેરની પ્રજા ગોલ્ડનબ્રિજ ઉપર સર્જાતા ટ્રાફિકજામમાં પીસાઈ રહી હતી. પ્રજા સાથે વાહન ચાલકો અને ગોલ્ડનબ્રિજને પણ વર્ષો જૂની ટ્રાફિકજામનું ભારણ વેઠવું પડતું હતું.
કરોડરજ્જુ સમાન ગોલ્ડન બ્રિજ અંગેજોના શાસનથી લઈ આઝાદી બાદ સ્વરાજમાં 141 વર્ષથી અવિરત સેવા આપી રહ્યો છે. અને તેમાં વાહનોનું ભારણ વધતા નવા બ્રિજની જરૂરીયાત વર્તાતા ડિસેમ્બર 2015 માં નર્મદા મૈયા બ્રિજનું ખાતમુહુર્ત તત્કાલીન મુખ્યમંત્રી CM આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ-અંકલેશ્વરની જનતાએ વર્ષો સુધી ટ્રાફિકની વિકરાળ સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું પરંતુ હવે તેની આતુરતાનો અંત આવી ગયો છે અને નર્મદા મૈયા બ્રીજ સંપૂર્ણ રીતે તૈયાર થઇ જતા 12 જુલાઈ રથયાત્રા ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રીજ અંદાજીત ₹ 400 કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. અને તેના ઉદ્ઘાટન બાદ ટ્રાફિકની સમસ્યાનો નિવેડો આવી જશે. બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે શુક્રવારે જીલ્લા કલેકટર કચેરી ખાતે એક બેઠક મળી હતી. જેમાં અધિકારીઓને જીલ્લા કલેકટર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.