1300 KM નું નદીમાં બોટ મારફતે 35 દિવસમાં અંતર કાપી 3 સાહસિકો પોહચ્યા ભરૂચ
અમરકંટક થી નીકળેલ સોર્સ ટુ સી કાયકિંગ નિલકઠેશ્વર નર્મદા કિનારે આવી પહોંચતા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું સ્વાગત
WatchGujarat. સંકલ્પ ફાઉન્ડેશન અને બોટ સ્કુલ ઓફ ભરૂચ દ્વારા ભારતદેશમાં સૌ પ્રથમવાર વડોદરાના કાયકર નિષ્ણાંત દેવાંગ ખારોડની રાહબરી હેઠળ ઉદગમ થી અંત સોર્સ ટુ સી કાયર્કિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 3 સાહસિકોએ માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટક થી દરીયામાં વિલય સ્થળ દહેજ સુધી આશરે 13OO કિ.મી.નું અંતર 35 દિવસમાં કાયર્કિંગ દ્વારા કાપવા આવ્યું હતું.
અમરકંટકથી માં - નર્મદા નદી ના ચલમાં રહેલા કાળમીઠ પત્થરો, ખડકો, કોતરો અને ખુંખાર મગરોનું સાનિધ્ય માણતાં 20 ફેબ્રુઆરીથી નર્મદા - મૈયાનો ખોળો ખુંદવા 3 સાહસવીરોની ટીમે પ્રયાણ શરૂ કર્યું હતું. આ અભિયાનનો એક માત્ર ઉદેશ્ય સ્વચ્છ ભારત મિશન, વિશ્વ - શાંતિ અને ભાઇચારો તથા વોટર સ્પોર્ટસનો પ્રચાર - પ્રસાર કરવાનો હતો.
https://youtu.be/PkZUxZNYFZI
સંકલ્પ ફાઉન્ડેશનના હોદ્દેદાર સંજય તલાટી, ગૌતમ મહેતા સાથે ઉપસ્થિત રહી સાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટ સ્કુલ ઓફ ભરૂચના મંત્રી જીતેન્દ્ર પટેલ ટીમના એક સભ્ય તરીકે અભિયાનમાં જોડાઇને તેમના પરિવાર સાથે સમગ્ર ભરૂચને ગૌરાન્વિત કરેલ છે. શનિવારે ઝાડેશ્વર નિલકઠેશ્વર મહાદેવ મંદિર ના નર્મદા કિનારે આવી પહોંચતા ત્રણ સાહસિકોનું સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ત્રણેય સાહસિકો નદીમાં કાયકિંગ કરતા ભાડભૂત નર્મદા નદી જ્યાં દરિયા ને મળે છે ત્યાં સંગમ સ્થળે પોહચી પોતાની યાત્રા પૂર્ણ કરશે.
નર્મદા નદીની પરિક્રમા બોટ મારફતે પણ થઈ શકે તે સ્થાપિત કર્યું
ભારતમાં પહેલીવાર નર્મદા નદીમાં વ્યક્તિગત બોટ મારફતે કાયકિંગ કરી ઉદગમ સ્થાન અમરકંટક થી સમુદ્ર સંગમ સ્થળની આ યાત્રા થકી 3 સાહસિકો એ સાબિત કર્યું છે કે, વિશ્વમાં એક માત્ર નર્મદા નદીની થતી પરિક્રમા બોટ મારફતે પણ વ્યક્તિગત રીતે કરી શકાય છે.
1300 KM નું નદીમાં બોટ મારફતે 35 દિવસમાં અંતર કાપી 3 સાહસિકો પોહચ્યા ભરૂચ
અમરકંટક થી નીકળેલ સોર્સ ટુ સી કાયકિંગ નિલકઠેશ્વર નર્મદા કિનારે આવી પહોંચતા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરાયું સ્વાગત
WatchGujarat. સંકલ્પ ફાઉન્ડેશન અને બોટ સ્કુલ ઓફ ભરૂચ દ્વારા ભારતદેશમાં સૌ પ્રથમવાર વડોદરાના કાયકર નિષ્ણાંત દેવાંગ ખારોડની રાહબરી હેઠળ ઉદગમ થી અંત સોર્સ ટુ સી કાયર્કિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 3 સાહસિકોએ માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટક થી દરીયામાં વિલય સ્થળ દહેજ સુધી આશરે 13OO કિ.મી.નું અંતર 35 દિવસમાં કાયર્કિંગ દ્વારા કાપવા આવ્યું હતું.
અમરકંટકથી માં - નર્મદા નદી ના ચલમાં રહેલા કાળમીઠ પત્થરો, ખડકો, કોતરો અને ખુંખાર મગરોનું સાનિધ્ય માણતાં 20 ફેબ્રુઆરીથી નર્મદા - મૈયાનો ખોળો ખુંદવા 3 સાહસવીરોની ટીમે પ્રયાણ શરૂ કર્યું હતું. આ અભિયાનનો એક માત્ર ઉદેશ્ય સ્વચ્છ ભારત મિશન, વિશ્વ - શાંતિ અને ભાઇચારો તથા વોટર સ્પોર્ટસનો પ્રચાર - પ્રસાર કરવાનો હતો.
સંકલ્પ ફાઉન્ડેશનના હોદ્દેદાર સંજય તલાટી, ગૌતમ મહેતા સાથે ઉપસ્થિત રહી સાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બોટ સ્કુલ ઓફ ભરૂચના મંત્રી જીતેન્દ્ર પટેલ ટીમના એક સભ્ય તરીકે અભિયાનમાં જોડાઇને તેમના પરિવાર સાથે સમગ્ર ભરૂચને ગૌરાન્વિત કરેલ છે. શનિવારે ઝાડેશ્વર નિલકઠેશ્વર મહાદેવ મંદિર ના નર્મદા કિનારે આવી પહોંચતા ત્રણ સાહસિકોનું સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ત્રણેય સાહસિકો નદીમાં કાયકિંગ કરતા ભાડભૂત નર્મદા નદી જ્યાં દરિયા ને મળે છે ત્યાં સંગમ સ્થળે પોહચી પોતાની યાત્રા પૂર્ણ કરશે.
નર્મદા નદીની પરિક્રમા બોટ મારફતે પણ થઈ શકે તે સ્થાપિત કર્યું
ભારતમાં પહેલીવાર નર્મદા નદીમાં વ્યક્તિગત બોટ મારફતે કાયકિંગ કરી ઉદગમ સ્થાન અમરકંટક થી સમુદ્ર સંગમ સ્થળની આ યાત્રા થકી 3 સાહસિકો એ સાબિત કર્યું છે કે, વિશ્વમાં એક માત્ર નર્મદા નદીની થતી પરિક્રમા બોટ મારફતે પણ વ્યક્તિગત રીતે કરી શકાય છે.