નેત્રંગના અરેઠી ગામની ઘટના, પતિએ આપઘાત કરતાં મોત
ઈજાગ્રસ્ત પત્નીને અંકલેશ્વર હોસ્પિટલમાં સારવાર અથૅ ખસેડાઈ
સવારે ગામમાં મહુડાનાં વૃક્ષ પર પતિની લટકતી લાશ મળી
WatchGujarat નેત્રંગ તાલુકાના અરેઠી ગામે આડા સંબંધના વહેમે પતિએ પત્ની ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો. બાદમાં પતિએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે.
નેત્રંગ તાલુકાના અરેઠી ગામમાં પતિ પત્નીના ઝઘડામાં હત્યાનો પ્રયાસ અને આત્મહત્યાની વિચિત્ર ઘટના બહાર આવી છે. અરેથી ગામે રહેતા ગણેશ ચંદુભાઇ વસાવા અંકલેશ્વરની કંપનીમાં મજૂરી કામ કરતા હતા. જેઓ છેલ્લા 7 દિવસથી કામ પર જતાં ન હતા. 3 સંતાનોમાં મોટો પુત્ર પણ મજૂરી કરે છે. પત્ની સુશીલાબેન સાથે પતિએ શનિવારે ઝઘડો કર્યો હતો, રાતે ભોજન કરી દંપતી ઘરના ઓટલા ઉપર પથારી કરીને સુઈ ગયા હતા. જયારે નાનો પુત્ર ઘરમાં અંદર સૂતો હતી. દરમ્યાન મધ્યરાત્રીએ 1.30 વાગ્યે ગણેશ વસાવાએ પોતાની પત્નીને નિદ્રામાંથિ ઉઠાડી જણાવેલ કે, તું જેની-તેની સાથે આડા સબંધો કેમ રાખે છે.
બાદમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તને આજે મારી જ નાખવી છે, તેમ કહીને ઘરમાંથી કુહાડી લઇ આવી પત્નીને માથાના અને શરીરના ભાગે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. માતાની બૂમ સાંભળી નાનો પુત્ર ઊંઘમાંથી જાગી જતા પિતાને પકડી અંદર લઈ ગયો હતો. સુશીલાબેનને કપાળ માં અને હાથે ઇજા થતાં તેમણે બુમરાણ મચાવતા પાડોશીઓ દોડી આવતા પતિ ગણેશ ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત સુશીલાબેનને પ્રથમ 108 માં નેત્રંગ CHC બાદ અંકલેશ્વર ખાતે જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અથૅ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમને કપાળે 10 ટાંકા આવ્યા હતા.
બીજી તરફ પત્ની પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યા બાદ ભયભીત બનેલા પતિને પત્નીને મારી નાંખવાની સજા મળશે તેવી બીક રાખીને ગામમાં જ મહુડાના ઝાડની ડાળી સાથે પોતાના શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે ઘટનાનની જાણ થતાં ઘટના અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
સવારે ગામમાં મહુડાનાં વૃક્ષ પર પતિની લટકતી લાશ મળી
WatchGujarat નેત્રંગ તાલુકાના અરેઠી ગામે આડા સંબંધના વહેમે પતિએ પત્ની ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો. બાદમાં પતિએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે.
નેત્રંગ તાલુકાના અરેઠી ગામમાં પતિ પત્નીના ઝઘડામાં હત્યાનો પ્રયાસ અને આત્મહત્યાની વિચિત્ર ઘટના બહાર આવી છે. અરેથી ગામે રહેતા ગણેશ ચંદુભાઇ વસાવા અંકલેશ્વરની કંપનીમાં મજૂરી કામ કરતા હતા. જેઓ છેલ્લા 7 દિવસથી કામ પર જતાં ન હતા. 3 સંતાનોમાં મોટો પુત્ર પણ મજૂરી કરે છે. પત્ની સુશીલાબેન સાથે પતિએ શનિવારે ઝઘડો કર્યો હતો, રાતે ભોજન કરી દંપતી ઘરના ઓટલા ઉપર પથારી કરીને સુઈ ગયા હતા. જયારે નાનો પુત્ર ઘરમાં અંદર સૂતો હતી. દરમ્યાન મધ્યરાત્રીએ 1.30 વાગ્યે ગણેશ વસાવાએ પોતાની પત્નીને નિદ્રામાંથિ ઉઠાડી જણાવેલ કે, તું જેની-તેની સાથે આડા સબંધો કેમ રાખે છે.
બાદમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી તને આજે મારી જ નાખવી છે, તેમ કહીને ઘરમાંથી કુહાડી લઇ આવી પત્નીને માથાના અને શરીરના ભાગે હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. માતાની બૂમ સાંભળી નાનો પુત્ર ઊંઘમાંથી જાગી જતા પિતાને પકડી અંદર લઈ ગયો હતો. સુશીલાબેનને કપાળ માં અને હાથે ઇજા થતાં તેમણે બુમરાણ મચાવતા પાડોશીઓ દોડી આવતા પતિ ગણેશ ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત સુશીલાબેનને પ્રથમ 108 માં નેત્રંગ CHC બાદ અંકલેશ્વર ખાતે જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અથૅ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમને કપાળે 10 ટાંકા આવ્યા હતા.
બીજી તરફ પત્ની પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યા બાદ ભયભીત બનેલા પતિને પત્નીને મારી નાંખવાની સજા મળશે તેવી બીક રાખીને ગામમાં જ મહુડાના ઝાડની ડાળી સાથે પોતાના શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે ઘટનાનની જાણ થતાં ઘટના અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.