3 માર્ચે સંસાર ત્યાગનાર યુવતિએ શણગાર સજીને પરિવાર સાથે મતદાન કર્યું
વેપારી પરિવારમાંથી આવતી 22 વર્ષિય યુવતિએ મોક્ષનો માર્ગ પસંદ કર્યો છે
છેલ્લા પાંચ દિવસથી ઓચ્છવ યોજાઈ રહ્યો છે
WatchGujarat. ભારતીય નાગરિક હોવાનો ધર્મ તમામે નિભાવવો જોઇએ તેવો સંદેશો આપી ગોધરાના શ્વેતામ્બર જૈન સમાજની કાંચી શાહે મતદાન કર્યું છે. 22 વર્ષીય કાંચી શાહ સંસારની દુનિયાને અલવિદા કરી 3 માર્ચે ધર્મના માર્ગે જવા માટે દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા પૂર્વ કાંચી શાહે પોતાના જીવનનું આખરી મતદાન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરાના અદુમ્બર કુવા વિસ્તારમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા મયુરભાઈ શાહના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. જે પૈકી તેમની એક દીકરી કાંચીએ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. કાંચીએ પોતાના જીવનને ધર્મના માર્ગે વાળી દેવાનો સ્વયં નિર્ણય કર્યો હતો. કાંચીના નિર્ણયને લઈ પરિવારજનો ગર્વની લાગણી અનુભવી રહ્યા હતા. તેમણે પોતાની લાડકવાયીનું સ્વપ્ન પુરૂ કરવા મન મક્કમ બનાવી દીધું છે. હવે આગામી 3 માર્ચે તેનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાનાર છે.
આ માટે હાલ છેલ્લા પાંચ દિવસથી ઓચ્છવ યોજાઈ રહ્યો છે. દરમિયાન આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં કાંચી શાહે સહ પરિવાર ગોધરા નગરપાલિકા વોર્ડ 5 ના મતદાન મથક ખાતે આવી ઉત્સાહભેર મતદાન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે કાંચી વિશાનિમા જૈન સમાજના પરિવારની દીકરી છે. જેણે શણગાર સાથે પરિધાનમાં સજ્જ થઈ પોતાની જિંદગીનું આખરી મતદાન કર્યુ હતું. અને સૌને મતદાન કરવા અપીલ પણ કરી હતી. કાંચી હવે બે દિવસ બાદ પોતાની જિંદગીને ભક્તિના માર્ગે લઈ જઈ સંસારની માયાને અલવિદા કરશે.
3 માર્ચે સંસાર ત્યાગનાર યુવતિએ શણગાર સજીને પરિવાર સાથે મતદાન કર્યું
વેપારી પરિવારમાંથી આવતી 22 વર્ષિય યુવતિએ મોક્ષનો માર્ગ પસંદ કર્યો છે
છેલ્લા પાંચ દિવસથી ઓચ્છવ યોજાઈ રહ્યો છે
WatchGujarat. ભારતીય નાગરિક હોવાનો ધર્મ તમામે નિભાવવો જોઇએ તેવો સંદેશો આપી ગોધરાના શ્વેતામ્બર જૈન સમાજની કાંચી શાહે મતદાન કર્યું છે. 22 વર્ષીય કાંચી શાહ સંસારની દુનિયાને અલવિદા કરી 3 માર્ચે ધર્મના માર્ગે જવા માટે દીક્ષા ગ્રહણ કરશે. દીક્ષા પૂર્વ કાંચી શાહે પોતાના જીવનનું આખરી મતદાન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરાના અદુમ્બર કુવા વિસ્તારમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા મયુરભાઈ શાહના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. જે પૈકી તેમની એક દીકરી કાંચીએ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે. કાંચીએ પોતાના જીવનને ધર્મના માર્ગે વાળી દેવાનો સ્વયં નિર્ણય કર્યો હતો. કાંચીના નિર્ણયને લઈ પરિવારજનો ગર્વની લાગણી અનુભવી રહ્યા હતા. તેમણે પોતાની લાડકવાયીનું સ્વપ્ન પુરૂ કરવા મન મક્કમ બનાવી દીધું છે. હવે આગામી 3 માર્ચે તેનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાનાર છે.
આ માટે હાલ છેલ્લા પાંચ દિવસથી ઓચ્છવ યોજાઈ રહ્યો છે. દરમિયાન આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં કાંચી શાહે સહ પરિવાર ગોધરા નગરપાલિકા વોર્ડ 5 ના મતદાન મથક ખાતે આવી ઉત્સાહભેર મતદાન કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે કાંચી વિશાનિમા જૈન સમાજના પરિવારની દીકરી છે. જેણે શણગાર સાથે પરિધાનમાં સજ્જ થઈ પોતાની જિંદગીનું આખરી મતદાન કર્યુ હતું. અને સૌને મતદાન કરવા અપીલ પણ કરી હતી. કાંચી હવે બે દિવસ બાદ પોતાની જિંદગીને ભક્તિના માર્ગે લઈ જઈ સંસારની માયાને અલવિદા કરશે.