કાલોલ તાલુકામાં 28 ફેબ્રુઆરીના રોજ તાલુકા પંચાયતની ચુંટણી માટે મતદાન યોજવામાં આવ્યું
વિસ્તારમાં લાંબા સમયથી વિકાસના કામો નહિ થતા લોકોમાં રોષ હતો
મતદાન કરવા માટે બુથ પર કોઇ નહિ જતા જિલ્લા ચુંટણી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું
WatchGujarat. કાલોલ તાલુકાના નવારિયા ગામે છેલ્લા 25 વર્ષથી વિકાસના કામો કરવામાં ન આવ્યાના આક્ષેપ સાથે મતદાન કર્યું ન હતું. સવાલે 7 વાગ્યાથી લઇને 11-45 સુધી એક પણ મત નહિ આપાતા ચુંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું.
કાલોલ તાલુકામાં 28 ફેબ્રુઆરીના રોજ તાલુકા પંચાયતની ચુંટણી માટે મતદાન યોજવામાં આવ્યું છે. કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે, નવારિયા ગામમાં પણ વહેલી સવારથી મતદાન મથક શરૂ કરી દેવાયા હતા. જો કે, સવારે 7 વાગ્યાથી લઇને રૂ. 11-45 કલાક સુધી વિસ્તારના મતદાન કેન્દ્ર પર એક પણ મત પડ્યો ન હતો. જેને લઇને ચુંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. અને વિસ્તારમાં લઇ જઇને લોકોને મતદાન કરવા માટે પ્રેરવા ગયા હતા.
સ્થાનિકોના મતે વિસ્તારમાં છેલ્લા 25 વર્ષમાં વિકાસના કોઇ પણ કામ કરવામાં આવ્યા નથી. જેને લઇને લોકોમાં નેતાઓ પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી. જેને લઇને લોકોએ મતદાન નહિ આપવા જવાનો મનોમન નિર્ણય કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી વિકાસ ઝંખતા નાવરિયા ગામના લોકોએ મત નહિ આપી પોતાનો છુપો રોષ પ્રગટ કર્યો હતો. જ
અત્રે ઉલ્લેખનીય છે કે, નવારિયા ગામમાં 401નું મતદાન છે. મતદાનને લઇને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. પરંતુ શરૂઆતના પાંચ જેટલા કલાકોમાં મતદાતાઓ નહિ ફરકતા ચુંટણી તંત્રના અધિકારીઓમાં ચિંતામાં મુકાયા હતા.
કાલોલ તાલુકામાં 28 ફેબ્રુઆરીના રોજ તાલુકા પંચાયતની ચુંટણી માટે મતદાન યોજવામાં આવ્યું
વિસ્તારમાં લાંબા સમયથી વિકાસના કામો નહિ થતા લોકોમાં રોષ હતો
મતદાન કરવા માટે બુથ પર કોઇ નહિ જતા જિલ્લા ચુંટણી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું
WatchGujarat. કાલોલ તાલુકાના નવારિયા ગામે છેલ્લા 25 વર્ષથી વિકાસના કામો કરવામાં ન આવ્યાના આક્ષેપ સાથે મતદાન કર્યું ન હતું. સવાલે 7 વાગ્યાથી લઇને 11-45 સુધી એક પણ મત નહિ આપાતા ચુંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું.
કાલોલ તાલુકામાં 28 ફેબ્રુઆરીના રોજ તાલુકા પંચાયતની ચુંટણી માટે મતદાન યોજવામાં આવ્યું છે. કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે, નવારિયા ગામમાં પણ વહેલી સવારથી મતદાન મથક શરૂ કરી દેવાયા હતા. જો કે, સવારે 7 વાગ્યાથી લઇને રૂ. 11-45 કલાક સુધી વિસ્તારના મતદાન કેન્દ્ર પર એક પણ મત પડ્યો ન હતો. જેને લઇને ચુંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. અને વિસ્તારમાં લઇ જઇને લોકોને મતદાન કરવા માટે પ્રેરવા ગયા હતા.
સ્થાનિકોના મતે વિસ્તારમાં છેલ્લા 25 વર્ષમાં વિકાસના કોઇ પણ કામ કરવામાં આવ્યા નથી. જેને લઇને લોકોમાં નેતાઓ પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી. જેને લઇને લોકોએ મતદાન નહિ આપવા જવાનો મનોમન નિર્ણય કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી વિકાસ ઝંખતા નાવરિયા ગામના લોકોએ મત નહિ આપી પોતાનો છુપો રોષ પ્રગટ કર્યો હતો. જ
અત્રે ઉલ્લેખનીય છે કે, નવારિયા ગામમાં 401નું મતદાન છે. મતદાનને લઇને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. પરંતુ શરૂઆતના પાંચ જેટલા કલાકોમાં મતદાતાઓ નહિ ફરકતા ચુંટણી તંત્રના અધિકારીઓમાં ચિંતામાં મુકાયા હતા.