સુપર ફાસ્ટ ટ્રેનમાં ઉતરતી વેળાએ લપસી પડેલા મુસાફરનો જીવ RPF જવાને બચાવ્ચો
બાંદ્રા-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ દાહોદ સ્ટેશન પરથી પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માતની ઘટના બની
દાહોદ. ગત રોજ સુપર ફાસ્ટ ટ્રેનમાં ઉતરતી વેળાએ લપસી પડેલા યુવતિનો જીવ RPF જવાને બચાવ્ચો છે. ચાલુ સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરવાજતા મુસાફરનો પગ લપસતા ટ્રેન અને પ્લેટફાર્મ વચ્ચે ફસાયો હતો અને ટ્રેન ચાલુ થઇ ગઇ હતી. જોકે, આરપીએફ જવાનની સમયસૂચકતાને પગલે મુસાફરનો જીવ બચી ગયો હતો.
મંગળવારે રાત્રીના સમયે બાંદ્રા-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ દાહોદ સ્ટેશન પરથી પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માતની ઘટના બની હતી. રાત્રે 8 વાગ્યે કોવિડ સ્પેશિયલ ટ્રેન દાહોદ સ્ટેશન પર આવી હતી. દરમિયાન સ્લીપર કોચમાંથી ઉતરતી વેળાએ એક યુવતિનું બેલેન્સ ન રહેતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયો હતો. અને ટ્રેન ચાલવા માંડી હતી. ફસાયેલો મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી બચવા માટે પ્રયાસો કરી રહ્યો હતો. ત્યારે પ્લેટફોર્મ પર તૈનાત આરપીએફ જવાન બાબુસિંહ રાઠોડની નજર તેના પર પડી હતી.
https://youtu.be/QYBZwze62Cs
બાબુ રાઠોડે દોટ મુકીને મુસાફરને બહાર ખેંચવાનું ચાલુ કર્યું હતું. દરમિયાન અનેક લોકોની નજર આ ઘટના પર પડી હતી. અને ટ્રેન ઉભી રાખી દેવામાં આવી હતી. ગણતરીના સેકંડમાં બાબુસિંહ રાઠોડની સતર્કતાને કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો. પ્લેટફોર્મ પર ફરજ બજાવતા આરપીએફ જવાને મુસાફરને જીવનદાન આપ્યું હતું.
https://twitter.com/RPF_INDIA/status/1326416347841105921?s=20
છેલ્લા 2 વર્ષમાં આરપીએફ દ્વારા 548 લોકોને ટ્રેન અકસ્માતમાંથી બચાવ્યા હતા. દેવદુત ક્યારેક યુનિફોર્મમાં પણ આવે છે તેવી પ્રતિક્રીયા મંગળવારની ઘટનામાંથી બચેલા મુસાફર દ્વારા આપવામાં આવ્યા હતા.
બાંદ્રા-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ દાહોદ સ્ટેશન પરથી પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માતની ઘટના બની
દાહોદ. ગત રોજ સુપર ફાસ્ટ ટ્રેનમાં ઉતરતી વેળાએ લપસી પડેલા યુવતિનો જીવ RPF જવાને બચાવ્ચો છે. ચાલુ સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરવાજતા મુસાફરનો પગ લપસતા ટ્રેન અને પ્લેટફાર્મ વચ્ચે ફસાયો હતો અને ટ્રેન ચાલુ થઇ ગઇ હતી. જોકે, આરપીએફ જવાનની સમયસૂચકતાને પગલે મુસાફરનો જીવ બચી ગયો હતો.
મંગળવારે રાત્રીના સમયે બાંદ્રા-અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ દાહોદ સ્ટેશન પરથી પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માતની ઘટના બની હતી. રાત્રે 8 વાગ્યે કોવિડ સ્પેશિયલ ટ્રેન દાહોદ સ્ટેશન પર આવી હતી. દરમિયાન સ્લીપર કોચમાંથી ઉતરતી વેળાએ એક યુવતિનું બેલેન્સ ન રહેતા તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયો હતો. અને ટ્રેન ચાલવા માંડી હતી. ફસાયેલો મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી બચવા માટે પ્રયાસો કરી રહ્યો હતો. ત્યારે પ્લેટફોર્મ પર તૈનાત આરપીએફ જવાન બાબુસિંહ રાઠોડની નજર તેના પર પડી હતી.
બાબુ રાઠોડે દોટ મુકીને મુસાફરને બહાર ખેંચવાનું ચાલુ કર્યું હતું. દરમિયાન અનેક લોકોની નજર આ ઘટના પર પડી હતી. અને ટ્રેન ઉભી રાખી દેવામાં આવી હતી. ગણતરીના સેકંડમાં બાબુસિંહ રાઠોડની સતર્કતાને કારણે મુસાફરનો જીવ બચી ગયો હતો. પ્લેટફોર્મ પર ફરજ બજાવતા આરપીએફ જવાને મુસાફરને જીવનદાન આપ્યું હતું.
છેલ્લા 2 વર્ષમાં આરપીએફ દ્વારા 548 લોકોને ટ્રેન અકસ્માતમાંથી બચાવ્યા હતા. દેવદુત ક્યારેક યુનિફોર્મમાં પણ આવે છે તેવી પ્રતિક્રીયા મંગળવારની ઘટનામાંથી બચેલા મુસાફર દ્વારા આપવામાં આવ્યા હતા.