વડોદરાથી તિલકવાડા સુધી 100 ની ગતિએ ટ્રેનની પાટા પરની ગતિનું ચેકીંગ પૂર્ણ
વારાણસીથી કેવડિયા વચ્ચે દોડનારી મહાનમ એક્સપ્રેસ બોડેલી ખાતે ટેસ્ટિંગ માટે આવી પહોંચી
18 જાન્યુઆરીએ PM મોદી અમદાવાદ- ગાંધીનગર- ગીફ્ટ સિટીને જોડતું અમદાવાદ મેટ્રો ફેઝ-2નું નવી દિલ્હીથી ઈ-ખાતમૂહુર્ત કરશે
WatchGujarat સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલ્વે માર્ગે સામાન્ય માનવી આવી શકે અને કેવડિયાના સ્થાનિકો ધંધા રોજગારી માટે મુંબઈ જઈ શકે એવા બેવડા આશયથી કેવડિયા ખાતે આધુનિક કક્ષાનું રેલ્વે સ્ટેશન નિર્માણ પામી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ઓનલાઇન કેવડિયા- બરોડા રેલ્વે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનો ઈ-શુભારંભ કરાવશે. જ્યારે 18 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-2નું નવી દિલ્હીથી ઈ-ખાતમૂહુર્ત કરાશે. જે અમદાવાદ- ગાંધીનગર- ગીફ્ટ સિટીને જોડશે.
આ ઉપરાંત 18 મી જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરત મેટ્રોના કામનું પણ નવી દિલ્હીથી ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવશે.કેવડિયા રેલ્વે સ્ટેશનનું ભૂમિ પૂજન ગત તા. 15 ડિસેમ્બર 2018 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ વડોદરાથી એક ટ્રેન તિલકવાડા સુધી 100 ની ગતિએ આવી પહોંચી હતી.
દરમિયાન રેલ્વેના અધિકારીઓએ ટ્રેનની પાટા પરની ગતિ સહીત અન્ય જરૂરી પાસાઓનું ચેકીંગ પણ કર્યું હતું.બીજે દિવસે વારાણસીથી કેવડિયા વચ્ચે દોડનારી મહાનમ એક્સપ્રેસ બોડેલી ખાતે ટેસ્ટિંગ માટે આવી પહોંચી હતી. PM મોદી આગામી 16 મી જાન્યુઆરીએ કેવડિયા- બરોડા રેલ્વે લાઈનનું ઈ-શુભારંભ કરનારા હોવાથી હાલ રેલ્વેનું કામ ઝડપી કરાઈ રહ્યું છે, મોટે ભાગનું કામ અંતિમ તબક્કામાં પૂર્ણતાને આરે છે. ડભોઈ-ચાંદોદ રેલ્વેનું 18 કિમિ લાઈન નેરો ગેજથી બ્રોડ ગેજમાં રૂપાંતર કરાયું છે. જ્યારે ચાંદોદથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે 32 કિમિની નવી લાઈન બનાવાઈ છે.
કેવડિયા રેલ્વે સ્ટેશનની મુખ્ય સુવિધાઓ
રેલ્વે સ્ટેશનની ટ્રેકને આવરી લેતી છત પર સોલાર પેનલ્સ ફિટ કરવામાં આવશે જે 200 થી વધુ કિલોવોટ વીજ ઉત્પાદન કરી શકશે.
રેલ્વે સ્ટેશનમાં સામાન્ય પ્રતીક્ષા રૂમ, એસી પ્રતીક્ષા ખંડ અને વીવીઆઈપી લાઉન્જ સહિતના ઘણાં પ્રતીક્ષા વિસ્તારો હશે.
રેલ્વે સ્ટેશન પર વરસાદનાં પાણીનો સંગ્રહ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈકો-વોટરલેસ યુરિનલ્સ અને ટ્રીટ વોટરનો ઉપયોગ કરીને ટપક સિંચાઈ પદ્ધતિઓ જેવી અનેક સુવિધાઓ હશે.
રેલ્વે સ્ટેશન પર કચરાને અલગ પાડવા માટે અલગ અલગ ડબ્બાઓ હશે, જુદા જુદા લીલા કચરાનો ઉપયોગ ખાતર બનાવવા માટે ફરીથી કરવામાં આવશે
રેલ્વે સ્ટેશન પરની ગ્રીન ડિઝાઇન ઈકો-સિસ્ટમમાં રૂકાવટ ઘટાડશે.વૃક્ષો બચાવવામાં આવશે અને બાંધકામ દરમિયાન વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવશે અને વધુ વાવેતર કરવામાં આવશે.
વડોદરાથી તિલકવાડા સુધી 100 ની ગતિએ ટ્રેનની પાટા પરની ગતિનું ચેકીંગ પૂર્ણ
વારાણસીથી કેવડિયા વચ્ચે દોડનારી મહાનમ એક્સપ્રેસ બોડેલી ખાતે ટેસ્ટિંગ માટે આવી પહોંચી
18 જાન્યુઆરીએ PM મોદી અમદાવાદ- ગાંધીનગર- ગીફ્ટ સિટીને જોડતું અમદાવાદ મેટ્રો ફેઝ-2નું નવી દિલ્હીથી ઈ-ખાતમૂહુર્ત કરશે
WatchGujarat સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલ્વે માર્ગે સામાન્ય માનવી આવી શકે અને કેવડિયાના સ્થાનિકો ધંધા રોજગારી માટે મુંબઈ જઈ શકે એવા બેવડા આશયથી કેવડિયા ખાતે આધુનિક કક્ષાનું રેલ્વે સ્ટેશન નિર્માણ પામી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 જાન્યુઆરીએ નવી દિલ્હીથી ઓનલાઇન કેવડિયા- બરોડા રેલ્વે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનો ઈ-શુભારંભ કરાવશે. જ્યારે 18 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ મેટ્રો ફેઝ-2નું નવી દિલ્હીથી ઈ-ખાતમૂહુર્ત કરાશે. જે અમદાવાદ- ગાંધીનગર- ગીફ્ટ સિટીને જોડશે.
આ ઉપરાંત 18 મી જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરત મેટ્રોના કામનું પણ નવી દિલ્હીથી ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવશે.કેવડિયા રેલ્વે સ્ટેશનનું ભૂમિ પૂજન ગત તા. 15 ડિસેમ્બર 2018 ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ વડોદરાથી એક ટ્રેન તિલકવાડા સુધી 100 ની ગતિએ આવી પહોંચી હતી.
દરમિયાન રેલ્વેના અધિકારીઓએ ટ્રેનની પાટા પરની ગતિ સહીત અન્ય જરૂરી પાસાઓનું ચેકીંગ પણ કર્યું હતું.બીજે દિવસે વારાણસીથી કેવડિયા વચ્ચે દોડનારી મહાનમ એક્સપ્રેસ બોડેલી ખાતે ટેસ્ટિંગ માટે આવી પહોંચી હતી. PM મોદી આગામી 16 મી જાન્યુઆરીએ કેવડિયા- બરોડા રેલ્વે લાઈનનું ઈ-શુભારંભ કરનારા હોવાથી હાલ રેલ્વેનું કામ ઝડપી કરાઈ રહ્યું છે, મોટે ભાગનું કામ અંતિમ તબક્કામાં પૂર્ણતાને આરે છે. ડભોઈ-ચાંદોદ રેલ્વેનું 18 કિમિ લાઈન નેરો ગેજથી બ્રોડ ગેજમાં રૂપાંતર કરાયું છે. જ્યારે ચાંદોદથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે 32 કિમિની નવી લાઈન બનાવાઈ છે.
કેવડિયા રેલ્વે સ્ટેશનની મુખ્ય સુવિધાઓ
રેલ્વે સ્ટેશનની ટ્રેકને આવરી લેતી છત પર સોલાર પેનલ્સ ફિટ કરવામાં આવશે જે 200 થી વધુ કિલોવોટ વીજ ઉત્પાદન કરી શકશે.
રેલ્વે સ્ટેશનમાં સામાન્ય પ્રતીક્ષા રૂમ, એસી પ્રતીક્ષા ખંડ અને વીવીઆઈપી લાઉન્જ સહિતના ઘણાં પ્રતીક્ષા વિસ્તારો હશે.
રેલ્વે સ્ટેશન પર વરસાદનાં પાણીનો સંગ્રહ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઈકો-વોટરલેસ યુરિનલ્સ અને ટ્રીટ વોટરનો ઉપયોગ કરીને ટપક સિંચાઈ પદ્ધતિઓ જેવી અનેક સુવિધાઓ હશે.
રેલ્વે સ્ટેશન પર કચરાને અલગ પાડવા માટે અલગ અલગ ડબ્બાઓ હશે, જુદા જુદા લીલા કચરાનો ઉપયોગ ખાતર બનાવવા માટે ફરીથી કરવામાં આવશે
રેલ્વે સ્ટેશન પરની ગ્રીન ડિઝાઇન ઈકો-સિસ્ટમમાં રૂકાવટ ઘટાડશે.વૃક્ષો બચાવવામાં આવશે અને બાંધકામ દરમિયાન વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવશે અને વધુ વાવેતર કરવામાં આવશે.