WatchGujarat. ઘણી વ્યક્તિઓમાં પોતાની જાતની વધુ પડતી સંભાળ લઇ, કોઈ બીમારી હોવાનો ઢોંગ કરી અન્યનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની માનસિક બીમારી હોય છે. જેને મનોવિજ્ઞાનમાં 'મુનચુસન્સ સિન્ડ્રોમ' કહે છે. આ સિન્ડ્રોમ ધરાવતા લોકો ખૂબ જ ચાલાકીવાળા હોય છે અને, કેટલાક અત્યંત ગંભીર કિસ્સાઓમાં, જ્યારે તેઓ જાણતા હોય કે આ બધું બિનજરૂરી છે ત્યારે પીડાદાયક અને કેટલીકવાર જીવલેણ શસ્ત્રક્રિયા કરવાથી પણ પોતાની જાતને રોકતા નથી. આવા લોકો એકલવાયું જીવન જીવે છે અને પરિવાર અથવા મિત્રો સાથે વધુ સંપર્ક ધરાવતા નથી. અને તેમના ભૂતકાળના જીવન વિશે અવિશ્વસનીય અને અતિશયોક્તિપૂર્ણ વાતો કહે છે, જેમ કે પોતાને યુદ્ધના અલંકૃત હીરો તરીકે વર્ણવવા અથવા માતા-પિતાના ઉમદા અને શક્તિશાળી સંતાન હોવાનો દાવો પણ કરે છે.
મુનચુસન્સ સિન્ડ્રોમનાં લક્ષણો
માતા અથવા ઘરના સભ્યો બાળકની સંભાળ રાખવામાં જેટલી સાવધાની વર્તે છે તેટલી તેના શારીરિક માનસિક સ્વાસ્થ્યને લઈને સાંભળ રાખતા નથી હોતા.
મુનચુસન્સ સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં મનોવૈજ્ઞાનિક લક્ષણો: જેમ કે, કોઈ અવાજો સાંભળવાનો ઢોંગ કરવો અથવા એવી વસ્તુઓ જોવી જે વાસ્તવમાં હોય જ નહીં.
શારીરિક લક્ષણો: છાતી અથવા પેટમાં સતત દુખાવાનો દાવો કરવો, માથામાં દુખવું, પોતાની જાતને બીમાર કરવાની તકો ઝડપથી શોધવી જેમ કે ઇરાદાપૂર્વક પોતાના શરીર પર ઘા મારી માટી લગાવીને ચેપ લગાડવાનો પ્રયાસ કરવો.
- લક્ષણો વિશે જૂઠું બોલવું - તે એવા લક્ષણો ઉપાડે છે જેને નકારવું શક્ય નથી, જેમ કે તીવ્ર માથાનો દુખાવો અથવા પેટમાં દુખાવો
- પરીક્ષણ પરિણામો સાથે છેડછાડ: ઉદાહરણ તરીકે, ગરમ પદાર્થમાં થર્મોમીટર દાખલ કરીને અથવા સામાન્ય પેશાબના નમૂનામાં લોહી ઉમેરીને તાવનો દાવો કરવો.
- સ્વ નુકસાન: પોતાની જાતને એટલી હદે નુકસાન પહોંચાડે છે કે, ક્યારેક પોતાના માટે પણ સહન કરવું મુશ્કેલ બની જાય છે. કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ અથવા હિંસક ગુનાનો ભોગ બનવું, ખાસ કરીને જ્યારે જૂથમાં કોઈ અન્ય ધ્યાનનું કેન્દ્ર બને.
દર્દી અથવા પરિવારજનો તરફ વધારીને બતાવવામા આવતા લક્ષણો
-ઉલ્ટી અથવા પેશાબમાં લોહી નીકળવું, પેટમાં ગડબડ, ડાયરીયા, કફ, પેટમાં બળતરા, ઉધરસ સમયે લોહીનું નીકળવું, ચામડીમાં બળતરા, અથવા ઘાવ, મનગઢન્ત માનસિક વિકલાંગતા, આ બધા લક્ષણો બાળકોને કહેવાથી તેને મુશ્કેલ સમજે છે.
મુનચુસન્સ સિન્ડ્રોમ ધરાવતા કેટલાક લોકો બહુવિધ રોગો છે, એમ સમજી વર્ષોથી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં સારવાર માટે જાય છે. જ્યારે તેઓની પોલ ખુલી જાય ત્યારે ત્યારે તેઓ તરત તે હોસ્પિટલ છોડીને અન્ય કોઈ જગ્યાએ જાય છે. જટિલ અને ગંભીર બીમારીનો હોવાનો દાવો કરે અને તેના માટે કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરે છે.
મુનચૂસન્સ સિન્ડ્રોમ કેમ થાય છે?
મુનચુસન્સ સિન્ડ્રોમ એક જટિલ પરિસ્થિતિ છે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તેના પીડિતો આ રીતે કેમ વર્તે છે. કેટલાક નિષ્ણાતો અનુસાર મૂનચૂસન્સ સિન્ડ્રોમ એક પ્રકારની વ્યક્તિત્વ વિકૃતિ છે. (પર્સનાલિટી ડિસઓર્ડર) એ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે જેમાં અસરગ્રસ્ત વ્યક્તિ પોતાના અને અન્ય લોકો વિશે વિચારવાનો વિકૃત માર્ગ ધરાવે છે. આ કારણે તે એવી રીતે વર્તે છે કે ઘણીવાર માતાપિતાની ઉપેક્ષા, બાળકોને તરછોડી દેવા, નાની જાતિયતાનો ભોગ બનવું કોઈ બાળપણનો આઘાત અસરકર્તા હોય છે.
કારણો
- આવેગાત્મક આઘાત: ઘણીવાર વ્યક્તિ આવેગાત્મક આઘાત સહન કરી શકતી નથી,પૂરતા પ્રમાણમાં લાગણી ન મળવી, પરિણામે માનસિક સ્થિતિ વધુ પડતી કથળે અને અસામાન્ય વર્તન કરે છે.
- બાળપણનો આઘાત: માતાપિતાની ઉપેક્ષા અથવા ત્યાગ, માતાપિતા તરફથી પૂરતો સમય ન મળવો, બાળકની અન્ય બાળક સાથે સરખમણીથી થતો સતત હિનતાભાવ, વગેરે
આ બંને ખ્યાલો આંતરિક રીતે અમુક અંશે એકબીજા સાથે સંબંધિત હોઈ શકે છે. બાળપણના આઘાતના પરિણામે, વ્યક્તિ મોટા થયા પછી વ્યક્તિત્વ ડિસઓર્ડર વિકસાવી શકે છે.
મુનચૂસન્સ સિન્ડ્રોમ વ્યક્તિત્વ વિકૃતિનો પ્રકાર
મુનચૂસન્સ સિન્ડ્રોમ વ્યક્તિત્વ વિકૃતિનો જ એક પ્રકાર છે, જેમાં અસરગ્રસ્ત વ્યક્તિ પોતાના અને અન્ય લોકો વિશે વિકૃત વિચારો અને માન્યતાઓ ધરાવે છે. આ તેને ઘણા લોકો સાથે ચોક્કસ રીતે વર્તવા તરફ દોરી જાય છે, જે અન્યને ખલેલ પહોંચાડે છે અને અસામાન્ય લાગે છે. એક પૂર્વધારણા મુજબ, મુનચૂસન્સ સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં અસામાજિક વ્યક્તિત્વ ડિસઓર્ડર પણ હોઈ શકે છે. જેનાથી અન્યને છેતરવામાં તેમને આનંદ આવે છે. એક સંશોધન મુજબ, મુનચૂસન્સ સિન્ડ્રોમથી પીડાતા કેટલાક લોકોને ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડર નામની ગંભીર સમસ્યા હોય છે. ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિઓ તેમની લાગણીઓને નિયંત્રિત કરે છે.
મુનચૂસન્સ સિન્ડ્રોમની સારવાર
મુનચૂસન્સ સિન્ડ્રોમની સારવાર કરવી મુશ્કેલ હોઈ શકે છે કારણ કે મોટાભાગના લોકો સ્વીકારવા તૈયાર નથી કે તેમને સમસ્યા છે. આવી બીમારીની ઓળખ કરી મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી જેથી યોગ્ય સારવાર મળી રહે. આ સિન્ડ્રોમ ધરાવતા લોકોની સૌથી મોટી સ્થિતિ એ છે કે, તે લોકો ખરેખર માનસિક રીતે બીમાર હોય છે, પરંતુ તે માત્ર શારીરિક બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે.
મનોવિશ્લેષણાત્મક સારવાર
જો વ્યક્તિ સ્વીકારે છે કે તેને કોઈ સમસ્યા છે. તો સિન્ડ્રોમને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ સ્થિતિ માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ લોકોને મનોવિશ્લેષણ અને બોધાત્મક વર્તણૂકીય ઉપચાર (CBT) ના સંયોજનથી તેમના લક્ષણોને નિયંત્રિત કરી શકાય છે. મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ માનતા કે, પ્રારંભિક બાળપણમાં અર્ધજાગ્રત મનમાં માન્યતાઓ અથવા પ્રેરણાઓ ઘણા મનોવૈજ્ઞાનિક અવસ્થાઓનું કારણ બની શકે છે. મનોવિશ્લેષણ દ્વારા, તે અર્ધજાગ્રત મનમાં રહેલી માન્યતા અને પ્રેરણાના રહસ્યને ઉકેલવામાં મદદ કરે છે.
બોધનાત્મક વર્તણૂકીય ઉપચાર
બોધનાત્મક વર્તણૂકીય થેરાપી (CBT) વ્યક્તિમાં અસહકારી અને અવાસ્તવિક વિચાર અને વર્તનની પદ્ધતિઓને ઓળખવામાં મદદ કરે છે.
કૌટુંબિક ઉપચાર
ફેમિલી થેરાપીથી ઘણો ફાયદો થાય છે મુનચૂસન્સ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યોને સમજાવી અસરગ્રસ્ત વ્યક્તિની અસામાન્ય વર્તણૂકને બદલવાને બદલે તેને ટાળવાનો પ્રયાસ કરે જેમ કે, જ્યારે અસરગ્રસ્ત વ્યક્તિ બીમાર હોવાનો ઢોંગ કરે ત્યારે તેને ઓળખી અને તેને કાળજી લેવાંનું અથવા સહકાર આપવાનું ટાળો. કેટલાક કિસ્સાઓમાં બાળકના માતાપિતા અને સંબંધીઓને બાળકને મળવા પર પ્રતિબંધ કરવો જરૂરી બને છે. કેમ કે, બધા લોકો સમજી શકતા નથી કે તેમનું વર્તન ખોટું છે. માટે દૂર રાખી સારવાર કરવી સરળ બની શકે છે.
WatchGujarat. ઘણી વ્યક્તિઓમાં પોતાની જાતની વધુ પડતી સંભાળ લઇ, કોઈ બીમારી હોવાનો ઢોંગ કરી અન્યનું ધ્યાન પોતાના તરફ ખેંચવાની માનસિક બીમારી હોય છે. જેને મનોવિજ્ઞાનમાં 'મુનચુસન્સ સિન્ડ્રોમ' કહે છે. આ સિન્ડ્રોમ ધરાવતા લોકો ખૂબ જ ચાલાકીવાળા હોય છે અને, કેટલાક અત્યંત ગંભીર કિસ્સાઓમાં, જ્યારે તેઓ જાણતા હોય કે આ બધું બિનજરૂરી છે ત્યારે પીડાદાયક અને કેટલીકવાર જીવલેણ શસ્ત્રક્રિયા કરવાથી પણ પોતાની જાતને રોકતા નથી. આવા લોકો એકલવાયું જીવન જીવે છે અને પરિવાર અથવા મિત્રો સાથે વધુ સંપર્ક ધરાવતા નથી. અને તેમના ભૂતકાળના જીવન વિશે અવિશ્વસનીય અને અતિશયોક્તિપૂર્ણ વાતો કહે છે, જેમ કે પોતાને યુદ્ધના અલંકૃત હીરો તરીકે વર્ણવવા અથવા માતા-પિતાના ઉમદા અને શક્તિશાળી સંતાન હોવાનો દાવો પણ કરે છે.
મુનચુસન્સ સિન્ડ્રોમનાં લક્ષણો
માતા અથવા ઘરના સભ્યો બાળકની સંભાળ રાખવામાં જેટલી સાવધાની વર્તે છે તેટલી તેના શારીરિક માનસિક સ્વાસ્થ્યને લઈને સાંભળ રાખતા નથી હોતા.
મુનચુસન્સ સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં મનોવૈજ્ઞાનિક લક્ષણો: જેમ કે, કોઈ અવાજો સાંભળવાનો ઢોંગ કરવો અથવા એવી વસ્તુઓ જોવી જે વાસ્તવમાં હોય જ નહીં.
શારીરિક લક્ષણો: છાતી અથવા પેટમાં સતત દુખાવાનો દાવો કરવો, માથામાં દુખવું, પોતાની જાતને બીમાર કરવાની તકો ઝડપથી શોધવી જેમ કે ઇરાદાપૂર્વક પોતાના શરીર પર ઘા મારી માટી લગાવીને ચેપ લગાડવાનો પ્રયાસ કરવો.
- લક્ષણો વિશે જૂઠું બોલવું - તે એવા લક્ષણો ઉપાડે છે જેને નકારવું શક્ય નથી, જેમ કે તીવ્ર માથાનો દુખાવો અથવા પેટમાં દુખાવો
- પરીક્ષણ પરિણામો સાથે છેડછાડ: ઉદાહરણ તરીકે, ગરમ પદાર્થમાં થર્મોમીટર દાખલ કરીને અથવા સામાન્ય પેશાબના નમૂનામાં લોહી ઉમેરીને તાવનો દાવો કરવો.
- સ્વ નુકસાન: પોતાની જાતને એટલી હદે નુકસાન પહોંચાડે છે કે, ક્યારેક પોતાના માટે પણ સહન કરવું મુશ્કેલ બની જાય છે. કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ અથવા હિંસક ગુનાનો ભોગ બનવું, ખાસ કરીને જ્યારે જૂથમાં કોઈ અન્ય ધ્યાનનું કેન્દ્ર બને.
દર્દી અથવા પરિવારજનો તરફ વધારીને બતાવવામા આવતા લક્ષણો
-ઉલ્ટી અથવા પેશાબમાં લોહી નીકળવું, પેટમાં ગડબડ, ડાયરીયા, કફ, પેટમાં બળતરા, ઉધરસ સમયે લોહીનું નીકળવું, ચામડીમાં બળતરા, અથવા ઘાવ, મનગઢન્ત માનસિક વિકલાંગતા, આ બધા લક્ષણો બાળકોને કહેવાથી તેને મુશ્કેલ સમજે છે.
મુનચુસન્સ સિન્ડ્રોમ ધરાવતા કેટલાક લોકો બહુવિધ રોગો છે, એમ સમજી વર્ષોથી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં સારવાર માટે જાય છે. જ્યારે તેઓની પોલ ખુલી જાય ત્યારે ત્યારે તેઓ તરત તે હોસ્પિટલ છોડીને અન્ય કોઈ જગ્યાએ જાય છે. જટિલ અને ગંભીર બીમારીનો હોવાનો દાવો કરે અને તેના માટે કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરે છે.
મુનચૂસન્સ સિન્ડ્રોમ કેમ થાય છે?
મુનચુસન્સ સિન્ડ્રોમ એક જટિલ પરિસ્થિતિ છે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તેના પીડિતો આ રીતે કેમ વર્તે છે. કેટલાક નિષ્ણાતો અનુસાર મૂનચૂસન્સ સિન્ડ્રોમ એક પ્રકારની વ્યક્તિત્વ વિકૃતિ છે. (પર્સનાલિટી ડિસઓર્ડર) એ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે જેમાં અસરગ્રસ્ત વ્યક્તિ પોતાના અને અન્ય લોકો વિશે વિચારવાનો વિકૃત માર્ગ ધરાવે છે. આ કારણે તે એવી રીતે વર્તે છે કે ઘણીવાર માતાપિતાની ઉપેક્ષા, બાળકોને તરછોડી દેવા, નાની જાતિયતાનો ભોગ બનવું કોઈ બાળપણનો આઘાત અસરકર્તા હોય છે.
કારણો
- આવેગાત્મક આઘાત: ઘણીવાર વ્યક્તિ આવેગાત્મક આઘાત સહન કરી શકતી નથી,પૂરતા પ્રમાણમાં લાગણી ન મળવી, પરિણામે માનસિક સ્થિતિ વધુ પડતી કથળે અને અસામાન્ય વર્તન કરે છે.
- બાળપણનો આઘાત: માતાપિતાની ઉપેક્ષા અથવા ત્યાગ, માતાપિતા તરફથી પૂરતો સમય ન મળવો, બાળકની અન્ય બાળક સાથે સરખમણીથી થતો સતત હિનતાભાવ, વગેરે
આ બંને ખ્યાલો આંતરિક રીતે અમુક અંશે એકબીજા સાથે સંબંધિત હોઈ શકે છે. બાળપણના આઘાતના પરિણામે, વ્યક્તિ મોટા થયા પછી વ્યક્તિત્વ ડિસઓર્ડર વિકસાવી શકે છે.
મુનચૂસન્સ સિન્ડ્રોમ વ્યક્તિત્વ વિકૃતિનો પ્રકાર
મુનચૂસન્સ સિન્ડ્રોમ વ્યક્તિત્વ વિકૃતિનો જ એક પ્રકાર છે, જેમાં અસરગ્રસ્ત વ્યક્તિ પોતાના અને અન્ય લોકો વિશે વિકૃત વિચારો અને માન્યતાઓ ધરાવે છે. આ તેને ઘણા લોકો સાથે ચોક્કસ રીતે વર્તવા તરફ દોરી જાય છે, જે અન્યને ખલેલ પહોંચાડે છે અને અસામાન્ય લાગે છે. એક પૂર્વધારણા મુજબ, મુનચૂસન્સ સિન્ડ્રોમ ધરાવતા લોકોમાં અસામાજિક વ્યક્તિત્વ ડિસઓર્ડર પણ હોઈ શકે છે. જેનાથી અન્યને છેતરવામાં તેમને આનંદ આવે છે. એક સંશોધન મુજબ, મુનચૂસન્સ સિન્ડ્રોમથી પીડાતા કેટલાક લોકોને ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડર નામની ગંભીર સમસ્યા હોય છે. ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિઓ તેમની લાગણીઓને નિયંત્રિત કરે છે.
મુનચૂસન્સ સિન્ડ્રોમની સારવાર
મુનચૂસન્સ સિન્ડ્રોમની સારવાર કરવી મુશ્કેલ હોઈ શકે છે કારણ કે મોટાભાગના લોકો સ્વીકારવા તૈયાર નથી કે તેમને સમસ્યા છે. આવી બીમારીની ઓળખ કરી મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી જેથી યોગ્ય સારવાર મળી રહે. આ સિન્ડ્રોમ ધરાવતા લોકોની સૌથી મોટી સ્થિતિ એ છે કે, તે લોકો ખરેખર માનસિક રીતે બીમાર હોય છે, પરંતુ તે માત્ર શારીરિક બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે.
મનોવિશ્લેષણાત્મક સારવાર
જો વ્યક્તિ સ્વીકારે છે કે તેને કોઈ સમસ્યા છે. તો સિન્ડ્રોમને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ સ્થિતિ માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ લોકોને મનોવિશ્લેષણ અને બોધાત્મક વર્તણૂકીય ઉપચાર (CBT) ના સંયોજનથી તેમના લક્ષણોને નિયંત્રિત કરી શકાય છે. મનોવૈજ્ઞાનિક ફ્રોઈડ માનતા કે, પ્રારંભિક બાળપણમાં અર્ધજાગ્રત મનમાં માન્યતાઓ અથવા પ્રેરણાઓ ઘણા મનોવૈજ્ઞાનિક અવસ્થાઓનું કારણ બની શકે છે. મનોવિશ્લેષણ દ્વારા, તે અર્ધજાગ્રત મનમાં રહેલી માન્યતા અને પ્રેરણાના રહસ્યને ઉકેલવામાં મદદ કરે છે.
બોધનાત્મક વર્તણૂકીય ઉપચાર
બોધનાત્મક વર્તણૂકીય થેરાપી (CBT) વ્યક્તિમાં અસહકારી અને અવાસ્તવિક વિચાર અને વર્તનની પદ્ધતિઓને ઓળખવામાં મદદ કરે છે.
કૌટુંબિક ઉપચાર
ફેમિલી થેરાપીથી ઘણો ફાયદો થાય છે મુનચૂસન્સ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યોને સમજાવી અસરગ્રસ્ત વ્યક્તિની અસામાન્ય વર્તણૂકને બદલવાને બદલે તેને ટાળવાનો પ્રયાસ કરે જેમ કે, જ્યારે અસરગ્રસ્ત વ્યક્તિ બીમાર હોવાનો ઢોંગ કરે ત્યારે તેને ઓળખી અને તેને કાળજી લેવાંનું અથવા સહકાર આપવાનું ટાળો. કેટલાક કિસ્સાઓમાં બાળકના માતાપિતા અને સંબંધીઓને બાળકને મળવા પર પ્રતિબંધ કરવો જરૂરી બને છે. કેમ કે, બધા લોકો સમજી શકતા નથી કે તેમનું વર્તન ખોટું છે. માટે દૂર રાખી સારવાર કરવી સરળ બની શકે છે.