સોશિયલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ વિનામૂલ્યે ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી
રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં નવા 25 કેસ નોંધાયા
WatchGujarat કુદરતી આફત કે મુશ્કેલીના સમયમાં પણ સતત રાષ્ટ્રનિર્માણ અને સેવાના કાર્યોમાં અગ્રેસર એવા રામકૃષ્ણ આશ્રમ રાજકોટનાં અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સહિત 10 સંન્યાસી અને 5 કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને પગલે તાત્કાલિક ધોરણે આશ્રમ પરિસરમાં થતી પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. સાથે જ બધાને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ વિનામૂલ્યે ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. આજે બપોર સુધીમાં શહેરમાં 25 કેસ નોંધાયા છે.
આ અંગે રામકૃષ્ણ આશ્રમનાં અધ્યક્ષ સ્વામીએ કહ્યું હતું કે, આશ્રમનાં 83 વર્ષના સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં તેમને ખૂબ જ નબળાઈ અનુભવતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. પરંતુ ફરીથી ડોક્ટરની સલાહ પ્રમાણે ગઈકાલે તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં સંપૂર્ણ બોડી ચેકઅપ માટે લઈ જવાયા હતા. જ્યાં સીટીસ્કેન દરમિયાન તેમને કોરોના પોઝિટિવ અને ન્યૂમોનિયા હોવાનું સામે આવ્યું છે. અને તેમની સ્થિતિ ગંભીર હોવા છતાં શ્રેષ્ઠ સારવાર કરવામાં આવી રહી છે. સાથે જ તેઓ ખૂબ ઝડપથી પૂનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વાતની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી આશ્રમના બધા સંન્યાસીઓ-કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવા માટે વિનંતી કરી હતી. જેમાં મારા સહિત નવ સંન્યાસીઓ અને પાંચ કર્મચારીઓ પણ પોઝિટિવ હોવાનું જાણવા મળતા બધા ક્વોરેન્ટાઇન થઈ ગયા છીએ અને જરૂરી દવાઓ લેવાની શરૂ કરી દીધી છે. તકેદારીના ભાગરૂપે આશ્રમનો મુખ્ય દરવાજો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. સાથે જ આશ્રમ પરિસરની બધી જ પ્રવૃત્તિઓ અટકાવી દેવામાં આવી છે.
અનુયાયીઓને વિનંતી છે કે આશ્રમ દ્વારા સમયાંતરે હેલ્થ અપડેટ આપવામાં આવશે. આ માટે ટેલીફોનીક કે અન્ય કોઈ રીતે સંપર્ક દ્વારા સારવારમાં ખલેલ નહીં પહોંચાડવાની વિનંતી પણ તેમણે કરી છે. સાથોસાથ અમારા બધા જ અનુયાયીઓ અને નાગરિકોને પણ સામાજિક અંતર જાળવવા, માસ્ક પહેરવા ઉપરાંત કોરોનાના કોઈપણ લક્ષણો દેખાય તો મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય થતો કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ પણ તેમણે કરી છે.
સોશિયલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ વિનામૂલ્યે ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી
રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં નવા 25 કેસ નોંધાયા
WatchGujarat કુદરતી આફત કે મુશ્કેલીના સમયમાં પણ સતત રાષ્ટ્રનિર્માણ અને સેવાના કાર્યોમાં અગ્રેસર એવા રામકૃષ્ણ આશ્રમ રાજકોટનાં અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સહિત 10 સંન્યાસી અને 5 કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને પગલે તાત્કાલિક ધોરણે આશ્રમ પરિસરમાં થતી પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે. સાથે જ બધાને સોશિયલ ડીસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ વિનામૂલ્યે ટેસ્ટ કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. આજે બપોર સુધીમાં શહેરમાં 25 કેસ નોંધાયા છે.
આ અંગે રામકૃષ્ણ આશ્રમનાં અધ્યક્ષ સ્વામીએ કહ્યું હતું કે, આશ્રમનાં 83 વર્ષના સ્વામી અદિભાવાનંદજી છેલ્લા ઘણા વર્ષોથી ડાયાબિટીસ અને અન્ય બીમારીની સારવાર લઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં તેમને ખૂબ જ નબળાઈ અનુભવતા કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. પરંતુ ફરીથી ડોક્ટરની સલાહ પ્રમાણે ગઈકાલે તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં સંપૂર્ણ બોડી ચેકઅપ માટે લઈ જવાયા હતા. જ્યાં સીટીસ્કેન દરમિયાન તેમને કોરોના પોઝિટિવ અને ન્યૂમોનિયા હોવાનું સામે આવ્યું છે. અને તેમની સ્થિતિ ગંભીર હોવા છતાં શ્રેષ્ઠ સારવાર કરવામાં આવી રહી છે. સાથે જ તેઓ ખૂબ ઝડપથી પૂનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વાતની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી આશ્રમના બધા સંન્યાસીઓ-કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવા માટે વિનંતી કરી હતી. જેમાં મારા સહિત નવ સંન્યાસીઓ અને પાંચ કર્મચારીઓ પણ પોઝિટિવ હોવાનું જાણવા મળતા બધા ક્વોરેન્ટાઇન થઈ ગયા છીએ અને જરૂરી દવાઓ લેવાની શરૂ કરી દીધી છે. તકેદારીના ભાગરૂપે આશ્રમનો મુખ્ય દરવાજો જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. સાથે જ આશ્રમ પરિસરની બધી જ પ્રવૃત્તિઓ અટકાવી દેવામાં આવી છે.
અનુયાયીઓને વિનંતી છે કે આશ્રમ દ્વારા સમયાંતરે હેલ્થ અપડેટ આપવામાં આવશે. આ માટે ટેલીફોનીક કે અન્ય કોઈ રીતે સંપર્ક દ્વારા સારવારમાં ખલેલ નહીં પહોંચાડવાની વિનંતી પણ તેમણે કરી છે. સાથોસાથ અમારા બધા જ અનુયાયીઓ અને નાગરિકોને પણ સામાજિક અંતર જાળવવા, માસ્ક પહેરવા ઉપરાંત કોરોનાના કોઈપણ લક્ષણો દેખાય તો મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્ય થતો કોરોના ટેસ્ટ કરાવી લેવા અપીલ પણ તેમણે કરી છે.