ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું
સંતોએ મતદાન કર્યાબાદ લોકોને પણ વધુમાં વધુ મતદાન કરી લોકશાહી વધુ મજબૂત બનાવવાની અપીલ કરી
WatchGujarat જિલ્લાનાં ગોંડલ-વીરપુર-જેતપુર-જસદણ સહિતનાં તાલુકાઓમાં જિલ્લા-તાલુકા અને ન.પા.ની ચૂંટણીઓને લઈને જોરશોરથી મતદાન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજ સમઢીયાળામાં 109 વર્ષના કુંવરબેને માંડ ચાલી શકતા હોવા છતાં મતદાન કર્યું હતું. જ્યારે જસદણમાં ગાંધીજીની સાથે દાંડીકૂચમાં ભાગ લેનાર 105 વર્ષના હીરાબાએ પણ મતદાન કરી યુવા વર્ગ માટે મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરનાં સંતોએ પણ સન્યાસી હોવા છતાં દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવવા મતદાન કર્યું છે. અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરી લોકશાહી વધુ મજબૂત બનાવવાની અપીલ કરી છે.
જસદણનાં વીરનગર ખાતે પણ 105 વર્ષના હીરૂબેન હરજીભાઇ વઘાસીયા ગામની શાળામાં મતદાન કરવા પોતાના ઘરેથી ચાલીને પહોંચ્યા હતા. 40 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું હતું. અને તેઓ ગામમાં હીરાબાનાં નામથી ઓળખાય છે. 105 વર્ષની ઉંમરે પણ લાકડીના ટેકા વગર ચાલી શકતા અને ઘરના બધા કામ જાતે કરતા હીરાબાએ પાંચમી પેઢીને લોકશાહીના પર્વમાં અચૂક મતદાન કરવાની મહામૂલી શીખ આપી હતી. હીરાબાનાં જણાવ્યા મુજબ તેઓ ગાંધીજીનાં સમયમાં દાંડીકૂચમાં પણ જોડાયા હતા. અને અત્યાર સુધી ક્યારેય મતદાન કરવાનું ચુક્યા નથી.
બીજીતરફ રાજ સમઢીયાળામાં 109 વર્ષીય કુંવરબેન લીંબાસિયાએ ચાલવામાં મુશ્કેલી હોવા છતાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. અને જણાવ્યું હતું કે, જાગૃત લોકો અને જાગૃત મતદાર લોકશાહીનો પ્રાણ છે. તેનાથી લોકશાહી વધુ મજબૂત બનતી હોઇ મતદાન કરવાનું ક્યારેય ચૂકવું જોઈએ નહીં.
ઉપરાંત ગોંડલ અક્ષર મંદિરના સંતોએ પણ મતદાનની પોતાની ફરજ નિભાવી હતી. અને કહ્યું હતું કે, સૌએ મતદાનની મહામૂલી ફરજ અચૂક નિભાવવી જોઇએ. કારણ કે, જ્યાં જાગૃત મતદારો અવશ્ય મતદાન કરતા હોય ત્યાં લોકશાહી મજબૂત બને છે. સમગ્ર વિશ્વની લોકશાહી વ્યવસ્થામાં અને ભારતીય લોકશાહીના અતૂટ પાયા તરીકે મતદાર જ છે. તેથી સૌકોઈએ મતદાનની ફરજ ખાસ નિભાવવી જોઇએ.
ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું
સંતોએ મતદાન કર્યાબાદ લોકોને પણ વધુમાં વધુ મતદાન કરી લોકશાહી વધુ મજબૂત બનાવવાની અપીલ કરી
WatchGujarat જિલ્લાનાં ગોંડલ-વીરપુર-જેતપુર-જસદણ સહિતનાં તાલુકાઓમાં જિલ્લા-તાલુકા અને ન.પા.ની ચૂંટણીઓને લઈને જોરશોરથી મતદાન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજ સમઢીયાળામાં 109 વર્ષના કુંવરબેને માંડ ચાલી શકતા હોવા છતાં મતદાન કર્યું હતું. જ્યારે જસદણમાં ગાંધીજીની સાથે દાંડીકૂચમાં ભાગ લેનાર 105 વર્ષના હીરાબાએ પણ મતદાન કરી યુવા વર્ગ માટે મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરનાં સંતોએ પણ સન્યાસી હોવા છતાં દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવવા મતદાન કર્યું છે. અને લોકોને પણ વધુમાં વધુ મતદાન કરી લોકશાહી વધુ મજબૂત બનાવવાની અપીલ કરી છે.
જસદણનાં વીરનગર ખાતે પણ 105 વર્ષના હીરૂબેન હરજીભાઇ વઘાસીયા ગામની શાળામાં મતદાન કરવા પોતાના ઘરેથી ચાલીને પહોંચ્યા હતા. 40 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું હતું. અને તેઓ ગામમાં હીરાબાનાં નામથી ઓળખાય છે. 105 વર્ષની ઉંમરે પણ લાકડીના ટેકા વગર ચાલી શકતા અને ઘરના બધા કામ જાતે કરતા હીરાબાએ પાંચમી પેઢીને લોકશાહીના પર્વમાં અચૂક મતદાન કરવાની મહામૂલી શીખ આપી હતી. હીરાબાનાં જણાવ્યા મુજબ તેઓ ગાંધીજીનાં સમયમાં દાંડીકૂચમાં પણ જોડાયા હતા. અને અત્યાર સુધી ક્યારેય મતદાન કરવાનું ચુક્યા નથી.
બીજીતરફ રાજ સમઢીયાળામાં 109 વર્ષીય કુંવરબેન લીંબાસિયાએ ચાલવામાં મુશ્કેલી હોવા છતાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. અને જણાવ્યું હતું કે, જાગૃત લોકો અને જાગૃત મતદાર લોકશાહીનો પ્રાણ છે. તેનાથી લોકશાહી વધુ મજબૂત બનતી હોઇ મતદાન કરવાનું ક્યારેય ચૂકવું જોઈએ નહીં.
ઉપરાંત ગોંડલ અક્ષર મંદિરના સંતોએ પણ મતદાનની પોતાની ફરજ નિભાવી હતી. અને કહ્યું હતું કે, સૌએ મતદાનની મહામૂલી ફરજ અચૂક નિભાવવી જોઇએ. કારણ કે, જ્યાં જાગૃત મતદારો અવશ્ય મતદાન કરતા હોય ત્યાં લોકશાહી મજબૂત બને છે. સમગ્ર વિશ્વની લોકશાહી વ્યવસ્થામાં અને ભારતીય લોકશાહીના અતૂટ પાયા તરીકે મતદાર જ છે. તેથી સૌકોઈએ મતદાનની ફરજ ખાસ નિભાવવી જોઇએ.