તંત્ર દ્વારા કરવામાં આવતા અથાગ પ્રયાસો અને રાત્રી કરફ્યુનાં ચુસ્ત અમલ છતાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું
સમરસ હોસ્ટેલ ખાતેના કોવિડ સેન્ટરમાં ભારે અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સગાએ આક્ષેપ કર્યો છે.
WatchGujarat. તંત્ર દ્વારા કરવામાં આવતા અથાગ પ્રયાસો અને રાત્રી કરફ્યુનાં ચુસ્ત અમલ છતાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં મળીને વધુ 42 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી શહેરની આ જ સ્થિતિ છે. ત્યારે આજે મ્યુ. કમિશ્નર અચાનક સફાળા જાગ્યા હતા. અને ડેપ્યુટી કમિશ્નર સહિતનાં કાફલા સાથે રસ્તા ઉપર ઉતરી માસ્ક વિના ફરતા લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. તો સમરસ હોસ્ટેલ ખાતેના કોવિડ સેન્ટરમાં ભારે અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સગાએ આક્ષેપ કર્યો છે.
રાજકોટ સમરસ હોસ્ટેલમાં અવ્યવસ્થા સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અને દર્દીઓ અંગે કોઈ જવાબદારી બજાવનાર તંત્ર વાહકો ન હોવાનો આક્ષેપ દર્દીઓના સગાઓ કરી રહ્યા છે. અને અનેક રજૂઆતો છતાં તંત્ર કોઈ જવાબ આપતું નહીં હોવાનું સાથે-સાથે અહીં 15 લાશ પડી હોવા છતાં તેનો નિકાલ કરનાર કોઈ નહીં હોવાનો આક્ષેપ પણ દર્દીનાં સગાઓએ કર્યો છે.
તો સારવાર લઈ રહેલા દર્દીઓના પ્રશ્નો સાંભળવા કોઈ જવાબદાર વ્યક્તિ નહીં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જો કે તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલમાં ફોન અને કન્ટ્રોલ રૂમ માટે શિક્ષકોને ડ્યુટી ફાળવવાની સાથે વધુ 3 સ્થળે 125 બેડ વધારાયા હોવાનું જણાવાયું છે.
બીજીતરફ રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિત 68 જેટલા પોલીસ કર્મચારીને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ તમામની તબિયત સ્થિર હોવાનું પણ જાણવા મળે છે. તો કલેકટરના પીએ જીતેન્દ્ર કોટક અને તેમના આખા પરિવારને કોરોના વળગ્યો છે. અને મહેકમના કારકૂન બકોતરા પણ કોરોનાગ્રસ્ત થતા જ આખી કચેરીમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈ આજથી 30 સુધી તમામ જનસેવા કેન્દ્ર અને પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા કલેકટરે આદેશો આપી દીધા છે.
તંત્ર દ્વારા કરવામાં આવતા અથાગ પ્રયાસો અને રાત્રી કરફ્યુનાં ચુસ્ત અમલ છતાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું
સમરસ હોસ્ટેલ ખાતેના કોવિડ સેન્ટરમાં ભારે અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સગાએ આક્ષેપ કર્યો છે.
WatchGujarat.તંત્ર દ્વારા કરવામાં આવતા અથાગ પ્રયાસો અને રાત્રી કરફ્યુનાં ચુસ્ત અમલ છતાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં મળીને વધુ 42 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી શહેરની આ જ સ્થિતિ છે. ત્યારે આજે મ્યુ. કમિશ્નર અચાનક સફાળા જાગ્યા હતા. અને ડેપ્યુટી કમિશ્નર સહિતનાં કાફલા સાથે રસ્તા ઉપર ઉતરી માસ્ક વિના ફરતા લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. તો સમરસ હોસ્ટેલ ખાતેના કોવિડ સેન્ટરમાં ભારે અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સગાએ આક્ષેપ કર્યો છે.
રાજકોટ સમરસ હોસ્ટેલમાં અવ્યવસ્થા સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અને દર્દીઓ અંગે કોઈ જવાબદારી બજાવનાર તંત્ર વાહકો ન હોવાનો આક્ષેપ દર્દીઓના સગાઓ કરી રહ્યા છે. અને અનેક રજૂઆતો છતાં તંત્ર કોઈ જવાબ આપતું નહીં હોવાનું સાથે-સાથે અહીં 15 લાશ પડી હોવા છતાં તેનો નિકાલ કરનાર કોઈ નહીં હોવાનો આક્ષેપ પણ દર્દીનાં સગાઓએ કર્યો છે.
તો સારવાર લઈ રહેલા દર્દીઓના પ્રશ્નો સાંભળવા કોઈ જવાબદાર વ્યક્તિ નહીં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જો કે તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલમાં ફોન અને કન્ટ્રોલ રૂમ માટે શિક્ષકોને ડ્યુટી ફાળવવાની સાથે વધુ 3 સ્થળે 125 બેડ વધારાયા હોવાનું જણાવાયું છે.
બીજીતરફ રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિત 68 જેટલા પોલીસ કર્મચારીને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ તમામની તબિયત સ્થિર હોવાનું પણ જાણવા મળે છે. તો કલેકટરના પીએ જીતેન્દ્ર કોટક અને તેમના આખા પરિવારને કોરોના વળગ્યો છે. અને મહેકમના કારકૂન બકોતરા પણ કોરોનાગ્રસ્ત થતા જ આખી કચેરીમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈ આજથી 30 સુધી તમામ જનસેવા કેન્દ્ર અને પુરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ કરવા કલેકટરે આદેશો આપી દીધા છે.