હીરાસર ખાતે નિર્માણ પામનાર નવા એરપોર્ટ પોલીસ મથકનું તાજેતરમાં CM રૂપાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના 44 જવાનોની નવા એરપોર્ટ પોલીસ મથક માટે નિમણુંક કરવામાં આવી
WatchGujarat શહેરના હીરાસર ખાતે નિર્માણ પામનાર નવા એરપોર્ટ પોલીસ મથકનું તાજેતરમાં CM રૂપાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારે હવે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશન અને પોલીસ હેડક્વાર્ટર ખાતેથી 44 જવાનોની આ નવા એરપોર્ટ પોલીસ મથક માટે નિમણુંક કરવામાં આવી છે. આ માટેની સત્તાવાર યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં બાકી અધિકારી અને કર્મચારીઓની નિમણુંક કરવામાં આવનાર છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે શહેરનું 15મું નવું એરપોર્ટ પોલીસ મથક આજથી જ હંગામી ધોરણે બામણબોર પોલીસ ચોકી બિલ્ડિગમાં કાર્યરત કરવામાં આવ્યું છે. આ માટે કુવાડવા પોલીસ મથકની હદ વિસ્તારનું વિભાજન કરી નવા એરપોર્ટ પોલીસ સ્ટેશન અને કુવાડવા પોલીસ મથકનો નવો વિસ્તાર પણ જાહેર કરી દેવાયો છે. જેમાં 18 ગામો ઉપરાંત નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં 36 ગામ-વિસ્તારો જાહેર કરી અલગ-અલગ ચોકીઓની ફાળવણી પણ કરવામાં આવી છે.
સત્તાવાર યાદી અનુસાર હાલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નવા એરપોર્ટ પોલીસ મથકનાં પ્રથમ પીઆઇ તરીકે કુવાડવા પોલીસનાં એમ. સી. વાળાની નિમણુંક કરીને કુલ 75નાં સ્ટાફનું મહેકમ મંજુર કર્યું છે. જ્યારે કુવાડવા રોડ પોલીસ મથક માટે નવા પીઆઇ તરીકેની જવાબદારી સાઇબર સેલનાં પીઆઇ એન. એન. ચુડાસમાને સોંપવામાં આવી હોવાનું પણ આ યાદીમાં જણાવાયું છે. ટૂંક સમયમાં જ નવા એરપોર્ટ પોલીસ મથકનાં બાકી અધિકારીઓ અને સ્ટાફની નિમણુંક અંગેની જાહેરાત કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
હીરાસર ખાતે નિર્માણ પામનાર નવા એરપોર્ટ પોલીસ મથકનું તાજેતરમાં CM રૂપાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના 44 જવાનોની નવા એરપોર્ટ પોલીસ મથક માટે નિમણુંક કરવામાં આવી
WatchGujarat શહેરના હીરાસર ખાતે નિર્માણ પામનાર નવા એરપોર્ટ પોલીસ મથકનું તાજેતરમાં CM રૂપાણીનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારે હવે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશન અને પોલીસ હેડક્વાર્ટર ખાતેથી 44 જવાનોની આ નવા એરપોર્ટ પોલીસ મથક માટે નિમણુંક કરવામાં આવી છે. આ માટેની સત્તાવાર યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં બાકી અધિકારી અને કર્મચારીઓની નિમણુંક કરવામાં આવનાર છે.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં જણાવ્યા મુજબ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે શહેરનું 15મું નવું એરપોર્ટ પોલીસ મથક આજથી જ હંગામી ધોરણે બામણબોર પોલીસ ચોકી બિલ્ડિગમાં કાર્યરત કરવામાં આવ્યું છે. આ માટે કુવાડવા પોલીસ મથકની હદ વિસ્તારનું વિભાજન કરી નવા એરપોર્ટ પોલીસ સ્ટેશન અને કુવાડવા પોલીસ મથકનો નવો વિસ્તાર પણ જાહેર કરી દેવાયો છે. જેમાં 18 ગામો ઉપરાંત નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં 36 ગામ-વિસ્તારો જાહેર કરી અલગ-અલગ ચોકીઓની ફાળવણી પણ કરવામાં આવી છે.
સત્તાવાર યાદી અનુસાર હાલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે નવા એરપોર્ટ પોલીસ મથકનાં પ્રથમ પીઆઇ તરીકે કુવાડવા પોલીસનાં એમ. સી. વાળાની નિમણુંક કરીને કુલ 75નાં સ્ટાફનું મહેકમ મંજુર કર્યું છે. જ્યારે કુવાડવા રોડ પોલીસ મથક માટે નવા પીઆઇ તરીકેની જવાબદારી સાઇબર સેલનાં પીઆઇ એન. એન. ચુડાસમાને સોંપવામાં આવી હોવાનું પણ આ યાદીમાં જણાવાયું છે. ટૂંક સમયમાં જ નવા એરપોર્ટ પોલીસ મથકનાં બાકી અધિકારીઓ અને સ્ટાફની નિમણુંક અંગેની જાહેરાત કરવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.