પોઝીટીવ કેસની સાથે મૃતકોની સંખ્યા પણ નવા રેકોર્ડ સ્તરે છે.
15 નવેમ્બરનો સૌથી વધુ 39 મોતનો રેકોર્ડ તૂટતા આજે કોરોનાની સારવાર દરમિયાન 45 દર્દીઓનાં મોત નિપજ્યા
માનવતા ધરાવતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પંપિંગ કરી વૃદ્ધનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા ન મળી
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. અને પોઝીટીવ કેસની સાથે મૃતકોની સંખ્યા પણ નવા રેકોર્ડ સ્તરે છે. ત્યારે 15 નવેમ્બરનો સૌથી વધુ 39 મોતનો રેકોર્ડ તૂટતા આજે કોરોનાની સારવાર દરમિયાન 45 દર્દીઓનાં મોત નિપજ્યા છે. સ્મશાનમાં પણ લાઈનો લાગતી હોવાથી તંત્ર દ્વારા 6 વધુ સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કાર માટે મંજૂરી આપવામાં આવી છે. બીજીતરફ બે કલાક સુધી એમ્બ્યુલન્સમાંથી અંદર નહીં લેવાતા વૃદ્ધ દર્દીએ દમ તોડ્યાનો લાઈવ વિડીયો સામે આવતા તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે માનવતા ધરાવતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પંપિંગ કરી વૃદ્ધનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા મળી ન હોતી.
સમરસ હોસ્ટેલ ખાતેના આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હોસ્ટેલના પટાંગણમાં એમ્બ્યુલન્સના ઢગલા છે. એક એમ્બ્યુલન્સમાં વૃદ્ધ દર્દીને ઓક્સિજન ચડાવી સારવાર અપાય રહી છે. પરંતુ સારવાર માટે અંદર લઇ જવામાં આવ્યા નથી. દર્દીની હાલત વધુ લથડતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તેને બચાવવા માટે હાંફળા ફાંફળા બને છે. છતાં કોવિડ કેર સેન્ટરના સત્તાધિશોને તો જાણે કઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે. જોકે બાદમાં સ્ટ્રેચર આવે છે અને વૃદ્ધ દર્દીને તેના પર સુવડાવવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. છતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તેને બચાવવા છાતી પર પમ્પીંગ કરે છે. પરંતુ તેમાં કોઈ સફળતા મળતી નથી.
https://youtu.be/gTseO6balig
24 કલાકમાં 45 મોત, ગતવર્ષનો 39 મોતનો રેકોર્ડ તૂટ્યો
સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .10નાં સવારના 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં શહેર - જીલ્લાના 45 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે ગઈકાલનાં 32 પૈકી માત્ર 2 મોત કોરોનાને કારણે થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. તો હાલ શહેર અને જિલ્લામાં મળીને માત્ર 128 જેટલા બેડ ખાલી છે. ગત 15 નવેમ્બર 2020નાં રોજ શહેર અને જીલ્લામાં સૌથી વધુ 39 મૃત્યુ નોંધાયા હતા. ત્યારે આજે 45 દર્દીઓનાં મોત નિપજતાં મૃત્યુઆંક નવા શિખરે પહોંચતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 150 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ
શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા સેવા અર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે, જે અંતર્ગત 150 બેડની ક્ષમતા વાળુ કોવિડ કેર સેન્ટર આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર કોવિડના સામાન્ય લક્ષણવાળા દર્દીઓને પ્રવેશ અપાશે. તેમજ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને નિઃશુલ્ક દવા, સામાન્ય સારવાર સહિત રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરાઈ છે. યુનિવર્સિટી દ્વારા અહીં દર્દીઓને પ્રાણાયમ તેમજ યોગ કરાવવામાં આવનાર હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. બીજીતરફ મનપા તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોન સીલ કરવાની કામગીરી ઝડપી કરાઈ છે. જ્યારે કલેક્ટર દ્વારા વધુમાં વધુ બેડ ઉપલબ્ધ કરાવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પોઝીટીવ કેસની સાથે મૃતકોની સંખ્યા પણ નવા રેકોર્ડ સ્તરે છે.
15 નવેમ્બરનો સૌથી વધુ 39 મોતનો રેકોર્ડ તૂટતા આજે કોરોનાની સારવાર દરમિયાન 45 દર્દીઓનાં મોત નિપજ્યા
માનવતા ધરાવતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પંપિંગ કરી વૃદ્ધનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા ન મળી
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે. અને પોઝીટીવ કેસની સાથે મૃતકોની સંખ્યા પણ નવા રેકોર્ડ સ્તરે છે. ત્યારે 15 નવેમ્બરનો સૌથી વધુ 39 મોતનો રેકોર્ડ તૂટતા આજે કોરોનાની સારવાર દરમિયાન 45 દર્દીઓનાં મોત નિપજ્યા છે. સ્મશાનમાં પણ લાઈનો લાગતી હોવાથી તંત્ર દ્વારા 6 વધુ સ્મશાનમાં કોવિડ દર્દીઓના અંતિમ સંસ્કાર માટે મંજૂરી આપવામાં આવી છે. બીજીતરફ બે કલાક સુધી એમ્બ્યુલન્સમાંથી અંદર નહીં લેવાતા વૃદ્ધ દર્દીએ દમ તોડ્યાનો લાઈવ વિડીયો સામે આવતા તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે માનવતા ધરાવતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે પંપિંગ કરી વૃદ્ધનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળતા મળી ન હોતી.
સમરસ હોસ્ટેલ ખાતેના આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, હોસ્ટેલના પટાંગણમાં એમ્બ્યુલન્સના ઢગલા છે. એક એમ્બ્યુલન્સમાં વૃદ્ધ દર્દીને ઓક્સિજન ચડાવી સારવાર અપાય રહી છે. પરંતુ સારવાર માટે અંદર લઇ જવામાં આવ્યા નથી. દર્દીની હાલત વધુ લથડતા એમ્બ્યુલન્સના ડ્રાઇવરો તેને બચાવવા માટે હાંફળા ફાંફળા બને છે. છતાં કોવિડ કેર સેન્ટરના સત્તાધિશોને તો જાણે કઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે. જોકે બાદમાં સ્ટ્રેચર આવે છે અને વૃદ્ધ દર્દીને તેના પર સુવડાવવામાં આવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા. છતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તેને બચાવવા છાતી પર પમ્પીંગ કરે છે. પરંતુ તેમાં કોઈ સફળતા મળતી નથી.
સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .10નાં સવારના 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં શહેર - જીલ્લાના 45 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે ગઈકાલનાં 32 પૈકી માત્ર 2 મોત કોરોનાને કારણે થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. તો હાલ શહેર અને જિલ્લામાં મળીને માત્ર 128 જેટલા બેડ ખાલી છે. ગત 15 નવેમ્બર 2020નાં રોજ શહેર અને જીલ્લામાં સૌથી વધુ 39 મૃત્યુ નોંધાયા હતા. ત્યારે આજે 45 દર્દીઓનાં મોત નિપજતાં મૃત્યુઆંક નવા શિખરે પહોંચતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 150 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ
શહેરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા સેવા અર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે, જે અંતર્ગત 150 બેડની ક્ષમતા વાળુ કોવિડ કેર સેન્ટર આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં માત્ર કોવિડના સામાન્ય લક્ષણવાળા દર્દીઓને પ્રવેશ અપાશે. તેમજ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને નિઃશુલ્ક દવા, સામાન્ય સારવાર સહિત રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરાઈ છે. યુનિવર્સિટી દ્વારા અહીં દર્દીઓને પ્રાણાયમ તેમજ યોગ કરાવવામાં આવનાર હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. બીજીતરફ મનપા તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોન સીલ કરવાની કામગીરી ઝડપી કરાઈ છે. જ્યારે કલેક્ટર દ્વારા વધુમાં વધુ બેડ ઉપલબ્ધ કરાવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.