કાલાવડ રોડ પરની શાળામાં પોલીસના સજ્જડ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકમાં 5 શખ્સોએ ઘુસીને EVMમાં તોડફોડ કરી હતી
5 શખ્સોએ પોતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાનો ઇન્કાર કર્યો
ફરિયાદમાં 10 થી 11 શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા વધુ લોકોની ધરપકડ થવાની સંભાવના
WatchGujarat ગત તારીખ 21 ફેબ્રુઆરીનાં રોજ મનપાની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન કાલાવડ રોડ પર શાળા નંબર 95 માં પોલીસના સજ્જડ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકમાં ઘુસીને EVMમાં તોડફોડ કરી હતી. લોકશાહી અને કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવી દેતી આ ઘટનામાં આજે 28 દિવસ બાદ અંતે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જો કે આ પાંચેયે પોતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાનો જ ઇન્કાર કર્યો છે. અને પોતે બોગસ મતદાનની ફરિયાદ મળતા જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરવા ગયાનો લુલો બચાવ કર્યો છે. આ અંગેની ફરિયાદમાં 10 થી 11 શખ્સોની સંડોવણી હોવાનું જણાવાયું હતું. ત્યારે વધુ કેટલાકની ધરપકડની સંભાવના પણ નકારી શકાય તેમ નથી.
જાણવા મળતી વિગત મુજબ ચૂંટણીના દિવસે અહીં યુ.પી.બિહાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરની ડો. ભીમરાવ આંબેડકર શાળામાં બપોરે મતદાન ચાલુ હતું. બહાર સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત હતો. આ દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો અને બાઇકમાં આવેલા 10 થી 11 અજાણ્યા શખ્સો શાળાની પાછળની વંડી ટપી મતદાન મથકમાં ઘુસી ગયા હતા. અને બોગસ મતદાન થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે EVMમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
સમગ્ર મામલે જવાબદારીની ફેંકાફેંકી બાદ પ્રિસાઇડીંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી. હુમલાખોરોએ 45 મીનીટ સુધી આતંક મચાવ્યો હતો. અને મતદાન પ્રક્રિયા ખોરવી નાખી હતી. જો કે તમામે મોઢે રૂમાલ - માસ્ક પહેર્યા હોવાથી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયાસ થઇ રહ્યા હતા. ત્યારે તાલુકા પોલીસ મથકના પીઆઇ ધોળા સહિતના સ્ટાફે ફૂટેજનાં આધારે બે આરોપીની ઓળખ મેળવીને બન્નેને અટકમાં લઇ પૂછપરછ કરતા વધુ ત્રણ નામ ખુલ્યા હતા.
પોલીસે આ ગુનામાં 23 વર્ષીય જયેશ આલાભાઇ ચાંડપા, 36 વર્ષીય ધર્મેશ સુરેશભાઇ રત્નેશ્વર, 26 વર્ષનાં રવી સોમાભાઇ વાઢેર, 25 વર્ષીય રામ ભાણજી વારસકીયા અને 24 વર્ષીય ગૌતમ વાલજી બાબરીયા સહિતનાં પાંચને દબોચી લીધા છે. જો કે આરોપીઓ દ્વારા ઉપરોક્ત મતદાન મથકમાં બોગસ મતદાન થઇ રહ્યાની ફરિયાદ મળતા તેઓ જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરવા ગયા હોવાનું કહ્યું હતું. અને EVM નો વાયર પગમાં ફંસાઈ જવાથી પડી ગયું હોવાનો લુલો બચાવ કરવામાં આવ્યો છે. જો કે પોલીસને આ વાત ગળે ઉતરતી ન હોઇ મુખ્ય સૂત્રધારોના નામ જાણવા અને કોના ઇશારે તોડફોડ કરી તે જાણવા પૂછપરછ શરૂ કરી છે.
કાલાવડ રોડ પરની શાળામાં પોલીસના સજ્જડ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકમાં 5 શખ્સોએ ઘુસીને EVMમાં તોડફોડ કરી હતી
5 શખ્સોએ પોતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાનો ઇન્કાર કર્યો
ફરિયાદમાં 10 થી 11 શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા વધુ લોકોની ધરપકડ થવાની સંભાવના
WatchGujarat ગત તારીખ 21 ફેબ્રુઆરીનાં રોજ મનપાની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન કાલાવડ રોડ પર શાળા નંબર 95 માં પોલીસના સજ્જડ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકમાં ઘુસીને EVMમાં તોડફોડ કરી હતી. લોકશાહી અને કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવી દેતી આ ઘટનામાં આજે 28 દિવસ બાદ અંતે પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જો કે આ પાંચેયે પોતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોવાનો જ ઇન્કાર કર્યો છે. અને પોતે બોગસ મતદાનની ફરિયાદ મળતા જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરવા ગયાનો લુલો બચાવ કર્યો છે. આ અંગેની ફરિયાદમાં 10 થી 11 શખ્સોની સંડોવણી હોવાનું જણાવાયું હતું. ત્યારે વધુ કેટલાકની ધરપકડની સંભાવના પણ નકારી શકાય તેમ નથી.
જાણવા મળતી વિગત મુજબ ચૂંટણીના દિવસે અહીં યુ.પી.બિહાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરની ડો. ભીમરાવ આંબેડકર શાળામાં બપોરે મતદાન ચાલુ હતું. બહાર સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત હતો. આ દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો અને બાઇકમાં આવેલા 10 થી 11 અજાણ્યા શખ્સો શાળાની પાછળની વંડી ટપી મતદાન મથકમાં ઘુસી ગયા હતા. અને બોગસ મતદાન થઇ રહ્યું હોવાના આક્ષેપ સાથે EVMમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
સમગ્ર મામલે જવાબદારીની ફેંકાફેંકી બાદ પ્રિસાઇડીંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી. હુમલાખોરોએ 45 મીનીટ સુધી આતંક મચાવ્યો હતો. અને મતદાન પ્રક્રિયા ખોરવી નાખી હતી. જો કે તમામે મોઢે રૂમાલ - માસ્ક પહેર્યા હોવાથી આરોપીઓની ઓળખ મેળવવા પ્રયાસ થઇ રહ્યા હતા. ત્યારે તાલુકા પોલીસ મથકના પીઆઇ ધોળા સહિતના સ્ટાફે ફૂટેજનાં આધારે બે આરોપીની ઓળખ મેળવીને બન્નેને અટકમાં લઇ પૂછપરછ કરતા વધુ ત્રણ નામ ખુલ્યા હતા.
પોલીસે આ ગુનામાં 23 વર્ષીય જયેશ આલાભાઇ ચાંડપા, 36 વર્ષીય ધર્મેશ સુરેશભાઇ રત્નેશ્વર, 26 વર્ષનાં રવી સોમાભાઇ વાઢેર, 25 વર્ષીય રામ ભાણજી વારસકીયા અને 24 વર્ષીય ગૌતમ વાલજી બાબરીયા સહિતનાં પાંચને દબોચી લીધા છે. જો કે આરોપીઓ દ્વારા ઉપરોક્ત મતદાન મથકમાં બોગસ મતદાન થઇ રહ્યાની ફરિયાદ મળતા તેઓ જાગૃત નાગરિક તરીકે રજૂઆત કરવા ગયા હોવાનું કહ્યું હતું. અને EVM નો વાયર પગમાં ફંસાઈ જવાથી પડી ગયું હોવાનો લુલો બચાવ કરવામાં આવ્યો છે. જો કે પોલીસને આ વાત ગળે ઉતરતી ન હોઇ મુખ્ય સૂત્રધારોના નામ જાણવા અને કોના ઇશારે તોડફોડ કરી તે જાણવા પૂછપરછ શરૂ કરી છે.