રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના બેડની હાલની કુલ કેપીસીટી 3500 જેટલી છે.
2000થી પણ વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. સાથે જિલ્લામાં પણ ઉછાળો ચિંતાજનક હદે થઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં બેડ માટે દોડી રહ્યા છે. રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના બેડની હાલની કુલ કેપીસીટી 3500 જેટલી છે. જેની સામે 2000થી પણ વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અને સ્થિતી ગંભીર બની છે. ત્યારે શહેર-જિલ્લામાં હજુ 700 જેટલા બેડની કેપીસીટી વધારવામાં આવશે અને સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન લાઈન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કલેક્ટર રેમ્યા મોહનનાં જણાવ્યા મુજબ, હાલ કોવિડ હોસ્પિટલની દર્દીઓની ક્ષમતા 590 બેડની છે. તેની સામે 509 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં 963 દર્દી મળી 1500 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ જસદણ, ધોરાજી અને ગોંડલમાં પણ ફુલ થઈ રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ કેર સેન્ટરને પણ મંજૂરી આપવામાં આવી છે.
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, વિરનગરમાં 45 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જેમાં ઓક્સિજનની લાઈન ફીટ કરવાનું આયોજન થઈ રહ્યું છે. ધોરાજીમાં 75 બેડ, ગોંડલમાં 70 બેડ, લોધિકા અને કુવાડવામાં પણ એક હોસ્પિટલ આગળ આવી રહી છે. આમ કુલ મળીને જિલ્લા અને શહેરમાં 700 બેડની ક્ષમતા 5 થી 6 દિવસમાં ઉભી કરવામાં આવશે. તેમાં 150 જેટલા ઓક્સિજન લાઈન વાળા બેડનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલનું ભારણ ઘટાડવામાં આવશે. રાજકોટ સિવિલની સામે આવેલી રેલ્વેની હોસ્પિટલની આરોગ્ય વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી છે. વર્તમાન સ્થિતીમાં આરોગ્ય વિભાગ દ્વારા એક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં દર્દી પોતે નહીં પણ ડોકટરની ટીમ તેને ક્યાં દાખલ કરવા તે નક્કી કરશે. તો દરેક પોઝીટીવને દાખલ કરવાને બદલે સામાન્ય લક્ષણવાળાને હોમ આઈસોલેશન, કોવિડ કેર, ઓક્સિજનની જરૂર વાળા અને ગંભીર દર્દીઓને જ સિવિલમાં દાખલ કરવામાં આવશે. એડમીટ કરવા કે નહીં તેની મંજૂરી આરોગ્ય વિભાગની નિષ્ણાંત ટીમ જ આપશે.
સમરસ હોસ્ટેલ અંગે જણાવતા તેમણે કહ્યું છે કે, હાલ ઓક્સિજનની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. અને દરરોજ એક માળમાં ઓક્સિજનની પાઈપ લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી હોય ટૂંક સમયમાં હોસ્ટેલમાં ઓક્સિજનની લાઈનની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. હાલ 124 જેટલા દર્દીઓને સમરસમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમજ જે દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન રહીને ઘરમાં જ સારવાર લેવાની સુચના આપવામાં આવી છે તેને ઘરમાં જ રહીને સારવાર લેવાની અપીલ પણ કલેક્ટરે કરી છે.
રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના બેડની હાલની કુલ કેપીસીટી 3500 જેટલી છે.
2000થી પણ વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. સાથે જિલ્લામાં પણ ઉછાળો ચિંતાજનક હદે થઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં બેડ માટે દોડી રહ્યા છે. રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાના બેડની હાલની કુલ કેપીસીટી 3500 જેટલી છે. જેની સામે 2000થી પણ વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અને સ્થિતી ગંભીર બની છે. ત્યારે શહેર-જિલ્લામાં હજુ 700 જેટલા બેડની કેપીસીટી વધારવામાં આવશે અને સમરસ હોસ્ટેલમાં ઓક્સિજન લાઈન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કલેક્ટર રેમ્યા મોહનનાં જણાવ્યા મુજબ, હાલ કોવિડ હોસ્પિટલની દર્દીઓની ક્ષમતા 590 બેડની છે. તેની સામે 509 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શહેરમાં 963 દર્દી મળી 1500 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ જસદણ, ધોરાજી અને ગોંડલમાં પણ ફુલ થઈ રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડ કેર સેન્ટરને પણ મંજૂરી આપવામાં આવી છે.
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, વિરનગરમાં 45 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જેમાં ઓક્સિજનની લાઈન ફીટ કરવાનું આયોજન થઈ રહ્યું છે. ધોરાજીમાં 75 બેડ, ગોંડલમાં 70 બેડ, લોધિકા અને કુવાડવામાં પણ એક હોસ્પિટલ આગળ આવી રહી છે. આમ કુલ મળીને જિલ્લા અને શહેરમાં 700 બેડની ક્ષમતા 5 થી 6 દિવસમાં ઉભી કરવામાં આવશે. તેમાં 150 જેટલા ઓક્સિજન લાઈન વાળા બેડનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલનું ભારણ ઘટાડવામાં આવશે. રાજકોટ સિવિલની સામે આવેલી રેલ્વેની હોસ્પિટલની આરોગ્ય વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી છે. વર્તમાન સ્થિતીમાં આરોગ્ય વિભાગ દ્વારા એક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં દર્દી પોતે નહીં પણ ડોકટરની ટીમ તેને ક્યાં દાખલ કરવા તે નક્કી કરશે. તો દરેક પોઝીટીવને દાખલ કરવાને બદલે સામાન્ય લક્ષણવાળાને હોમ આઈસોલેશન, કોવિડ કેર, ઓક્સિજનની જરૂર વાળા અને ગંભીર દર્દીઓને જ સિવિલમાં દાખલ કરવામાં આવશે. એડમીટ કરવા કે નહીં તેની મંજૂરી આરોગ્ય વિભાગની નિષ્ણાંત ટીમ જ આપશે.
સમરસ હોસ્ટેલ અંગે જણાવતા તેમણે કહ્યું છે કે, હાલ ઓક્સિજનની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. અને દરરોજ એક માળમાં ઓક્સિજનની પાઈપ લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી હોય ટૂંક સમયમાં હોસ્ટેલમાં ઓક્સિજનની લાઈનની કામગીરી પૂરી કરી દેવામાં આવશે. હાલ 124 જેટલા દર્દીઓને સમરસમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમજ જે દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન રહીને ઘરમાં જ સારવાર લેવાની સુચના આપવામાં આવી છે તેને ઘરમાં જ રહીને સારવાર લેવાની અપીલ પણ કલેક્ટરે કરી છે.