પ્રોજક્ટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું ક્લીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઇ
હાલ મનપા દ્વારા નદીનાં પટમાં ઠલવાતા ગટરના ગંદા પાણી રોકવા ડ્રેનેજ લાઇન પાથરવાનું કામ શરૂ કરાયું
વચ્ચે નદી, ચેકડેમ અને આજુબાજુમાં રોડ બને અને લોકો ફરવા આવે તેવી યોજના
Watchgujarat. શહેરની આજી નદીનાં 11 કિમી વિસ્તારમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેકટનું રૂપિયા 1181 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. મેયર ડો. પ્રદીપ ડવનાં ડ્રિમ પ્રોજેકટને ઝડપથી આગળ વધારવા માટે કવાયત ચાલી રહી છે. ત્યારે શનિવારે આ કામ કરનાર એજન્સી દ્વારા કામનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ અગ્રણીઓ અને મેયર સહિતનાં પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. અને આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ જરૂરી સૂચનાઓ આપી હતી.
https://youtu.be/UI1euN9F8jI
મેયર ડો. પ્રદીપ ડવનાં જણાવ્યા મુજબ, આ આજી રિવરફ્રન્ટ માટે આજી નદીનો 11 કિમીનો બેલ્ટ સુપ્રત કરવામાં આવેલ છે. આજી નદીમાં ઠલવાતા સુએઝ વોટરને ઇન્ટરસેપ્ટર લાઈન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવા માટેની કામગીરી હાલ ચાલુ છે. આ પ્રોજક્ટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું ક્લીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરી તેમજ અન્ય વિભાગોના ક્લીયરન્સ મેળવવાની પ્રક્રિયા ત્વરિત આગળ ધપાવવા માટેના પ્રયાસ હાલ ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત 6 ચેકડેમ અને 3 બેરેજ બનશે. તેમજ આજી-1 ડેમ ઓવરફ્લો ન હોય ત્યારે પાણી ફરતું રહે તેવા યાંત્રિક સાધનો પણ મુકવામાં આવશે સાથે જ અહીં પાર્ક્સ એન્ડ ગાર્ડન તેમજ ફૂડ ઝોન પણ બનાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ મનપા દ્વારા નદીનાં પટમાં ઠલવાતા ગટરના ગંદા પાણી રોકવા ડ્રેનેજ લાઇન પાથરવાનું કામ શરૂ કરાયું છે. આ ઉપરાંત 416 કરોડના ખર્ચે નવા રોડ, દિવાલ, એન્ટ્રીના કામ હાથ પર લીધા છે. જેમાં બે તબકકામાં રૂ. 416 કરોડ અને માસ્ટર પ્લાનમાં રૂ. 609 કરોડના કામ અંદાજવામાં આવ્યા છે. જો આયોજન મુજબ કામ થાય તો આજી રીવરફ્રન્ટ રાજકોટમાં નઝરાણુ બને તેમ છે. વચ્ચે નદી, ચેકડેમ અને આજુબાજુમાં રોડ બને અને લોકો ફરવા આવે તેવી યોજના છે. જોકે તે માટે સૌપહેલા નદી પટ વિસ્તાર શુધ્ધ થાય તે અનિવાર્ય હોવાનું પણ તેમણે કહ્યું હતું.
જાણો આજી રિવરફ્રન્ટ પ્રોજેકટમાં શું શું છે
સીવેજ પ્લાન્ટનું નવીનીકરણ
નદીની સફાઇ
બેરેજ, બ્રીજના બાંધકામ
વોક વેના કામો
ચેકડેમના બાંધકામો
વાહનો માટે નવો બ્રીજ
નદીની બંને તરફ નવા રોડ
પેડેસ્ટ્રીયન બ્રીજ
નદી કાંઠે નવા બગીચા
રામનાથ મંદિર વિકાસ
નવી માર્કેટ
જુની દિવાલોનું મજબૂતીકરણ
ડ્રેનેજ માટે ઇન્ટરસેપ્ટરસીવર
બંને બાજુ દિવાલ અને એન્ટ્રીનું કામ
વોટર રીપ્લેસમેન્ટ નેટવર્ક
પ્રોજક્ટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું ક્લીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઇ
હાલ મનપા દ્વારા નદીનાં પટમાં ઠલવાતા ગટરના ગંદા પાણી રોકવા ડ્રેનેજ લાઇન પાથરવાનું કામ શરૂ કરાયું
વચ્ચે નદી, ચેકડેમ અને આજુબાજુમાં રોડ બને અને લોકો ફરવા આવે તેવી યોજના
Watchgujarat. શહેરની આજી નદીનાં 11 કિમી વિસ્તારમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેકટનું રૂપિયા 1181 કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. મેયર ડો. પ્રદીપ ડવનાં ડ્રિમ પ્રોજેકટને ઝડપથી આગળ વધારવા માટે કવાયત ચાલી રહી છે. ત્યારે શનિવારે આ કામ કરનાર એજન્સી દ્વારા કામનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ અગ્રણીઓ અને મેયર સહિતનાં પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. અને આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ જરૂરી સૂચનાઓ આપી હતી.
મેયર ડો. પ્રદીપ ડવનાં જણાવ્યા મુજબ, આ આજી રિવરફ્રન્ટ માટે આજી નદીનો 11 કિમીનો બેલ્ટ સુપ્રત કરવામાં આવેલ છે. આજી નદીમાં ઠલવાતા સુએઝ વોટરને ઇન્ટરસેપ્ટર લાઈન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવા માટેની કામગીરી હાલ ચાલુ છે. આ પ્રોજક્ટ ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્રના પર્યાવરણ વિભાગનું ક્લીયરન્સ અને રેલ્વે, કલેકટર તંત્ર, વન વિભાગ પાસેથી જરૂરી મંજૂરી તેમજ અન્ય વિભાગોના ક્લીયરન્સ મેળવવાની પ્રક્રિયા ત્વરિત આગળ ધપાવવા માટેના પ્રયાસ હાલ ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ અંતર્ગત 6 ચેકડેમ અને 3 બેરેજ બનશે. તેમજ આજી-1 ડેમ ઓવરફ્લો ન હોય ત્યારે પાણી ફરતું રહે તેવા યાંત્રિક સાધનો પણ મુકવામાં આવશે સાથે જ અહીં પાર્ક્સ એન્ડ ગાર્ડન તેમજ ફૂડ ઝોન પણ બનાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ મનપા દ્વારા નદીનાં પટમાં ઠલવાતા ગટરના ગંદા પાણી રોકવા ડ્રેનેજ લાઇન પાથરવાનું કામ શરૂ કરાયું છે. આ ઉપરાંત 416 કરોડના ખર્ચે નવા રોડ, દિવાલ, એન્ટ્રીના કામ હાથ પર લીધા છે. જેમાં બે તબકકામાં રૂ. 416 કરોડ અને માસ્ટર પ્લાનમાં રૂ. 609 કરોડના કામ અંદાજવામાં આવ્યા છે. જો આયોજન મુજબ કામ થાય તો આજી રીવરફ્રન્ટ રાજકોટમાં નઝરાણુ બને તેમ છે. વચ્ચે નદી, ચેકડેમ અને આજુબાજુમાં રોડ બને અને લોકો ફરવા આવે તેવી યોજના છે. જોકે તે માટે સૌપહેલા નદી પટ વિસ્તાર શુધ્ધ થાય તે અનિવાર્ય હોવાનું પણ તેમણે કહ્યું હતું.