સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો
BJP ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરીફ થઈ ગયા
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન ઝાંઝમેર સીટનાં ભાજપનાં ઉમેદવાર ડો. ચિરાગ દેસાઈ દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું હતું. જેને લઈને આ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરીફ થઈ ગયા હતા. જો કે ત્યારબાદ ડો. ચિરાગે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર માટે ખસેડાયા છે. જો કે તેમણે આ પગલું શા માટે ભર્યું તે તો તેમના ભાનમાં આવ્યા બાદ જ જાણી શકાશે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, તાજેતરમાં યોજાનાર ધોરાજી તાલુકા પંચા.માં ધોરાજી તાલુકાની ઝાંઝમેર સીટ પરથી ભાજપ તરફથી ઉમેદવાર તરીકે ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. અને બે દિવસ પૂર્વે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ઝાંઝમેરની સીટ કોંગ્રેસને બિનહરીફ મળી હતી. બાદમાં આજે તેમણે ઝેરી દવા પી લેતા તેમને ધોરાજી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ધોરાજી પોલીસનાં જણાવ્યા મુજબ, હિરપરા વાડી ખાતે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ દેસાઈએ મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા તેમને શિવ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે જાણ થતાં ધોરાજી પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. જોકે હાલ દર્દી ભાનમાં ન હોવાથી તેમના ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવશે. તો આ અંગે શિવ હોસ્પિટલના ડો. સંઘાણીએ દર્દીની હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો
BJP ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરીફ થઈ ગયા
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન ઝાંઝમેર સીટનાં ભાજપનાં ઉમેદવાર ડો. ચિરાગ દેસાઈ દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું હતું. જેને લઈને આ બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર બિનહરીફ થઈ ગયા હતા. જો કે ત્યારબાદ ડો. ચિરાગે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર માટે ખસેડાયા છે. જો કે તેમણે આ પગલું શા માટે ભર્યું તે તો તેમના ભાનમાં આવ્યા બાદ જ જાણી શકાશે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, તાજેતરમાં યોજાનાર ધોરાજી તાલુકા પંચા.માં ધોરાજી તાલુકાની ઝાંઝમેર સીટ પરથી ભાજપ તરફથી ઉમેદવાર તરીકે ડો. ચિરાગ રમેશભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. અને બે દિવસ પૂર્વે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા ઝાંઝમેરની સીટ કોંગ્રેસને બિનહરીફ મળી હતી. બાદમાં આજે તેમણે ઝેરી દવા પી લેતા તેમને ધોરાજી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ધોરાજી પોલીસનાં જણાવ્યા મુજબ, હિરપરા વાડી ખાતે રહેતા ચિરાગભાઈ રમેશભાઈ દેસાઈએ મોનોકોટો નામની ઝેરી દવા પી લેતા તેમને શિવ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે જાણ થતાં ધોરાજી પોલીસ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. જોકે હાલ દર્દી ભાનમાં ન હોવાથી તેમના ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધવામાં આવશે. તો આ અંગે શિવ હોસ્પિટલના ડો. સંઘાણીએ દર્દીની હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે.