ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે.
શહેરનાં મોટા મૌવા નજીક સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ભાજપનાં નેતાઓને પીળો પરવાનો આપ્યો હોય તેમ પોલીસ ચુપચાપ છે.
WatchGujarat ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે. ત્યારે આજે તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. અને શહેરનાં મોટા મૌવા નજીક સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પાટીલ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપરાંત આસપાસનાં ગામોનાં સરપંચો પણ ઉમટી પડ્યા હતા. અને કોરોનાનાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતના નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. જો કે ભાજપનાં નેતાઓને પીળો પરવાનો આપ્યો હોય તેમ પોલીસ ચુપચાપ છે.
હાલ કોરોના કાળ ચાલતો હોવાથી ગુજરાત સરકારનાં આદેશ તેમજ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાં પ્રમાણે લગ્ન પ્રસંગોમાં પણ માત્ર 100 લોકોને મંજૂરી અપાઈ છે. એટલું જ નહીં કોઈ મૃતકની અંતિમવિધિ માટે પણ મર્યાદિત સંખ્યામાં લોકોને એકઠા થવા દેવામાં આવે છે. અને માસ્ક જરાક નીચે ઉતરી જાય તો પણ પોલીસ દંડો પછાડી રૂ. 1000 ઉઘરાવતી જોવા મળે છે.
પાટીલનાં આ કાર્યક્રમ સામે પોલીસે કાર્યવાહી તો નહીં ફરિયાદ નોંધવાની હિંમત પણ હજુ સુધી કરી નથી. એ કારણે લોકોમાં નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે હોવાની અને ચર્ચાએ જોર પકડ્યું છે.
WatchGujarat ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસે છે. ત્યારે આજે તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. અને શહેરનાં મોટા મૌવા નજીક સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પાટીલ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપરાંત આસપાસનાં ગામોનાં સરપંચો પણ ઉમટી પડ્યા હતા. અને કોરોનાનાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતના નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. જો કે ભાજપનાં નેતાઓને પીળો પરવાનો આપ્યો હોય તેમ પોલીસ ચુપચાપ છે.
હાલ કોરોના કાળ ચાલતો હોવાથી ગુજરાત સરકારનાં આદેશ તેમજ પોલીસ કમિશ્નરનાં જાહેરનામાં પ્રમાણે લગ્ન પ્રસંગોમાં પણ માત્ર 100 લોકોને મંજૂરી અપાઈ છે. એટલું જ નહીં કોઈ મૃતકની અંતિમવિધિ માટે પણ મર્યાદિત સંખ્યામાં લોકોને એકઠા થવા દેવામાં આવે છે. અને માસ્ક જરાક નીચે ઉતરી જાય તો પણ પોલીસ દંડો પછાડી રૂ. 1000 ઉઘરાવતી જોવા મળે છે.
પાટીલનાં આ કાર્યક્રમ સામે પોલીસે કાર્યવાહી તો નહીં ફરિયાદ નોંધવાની હિંમત પણ હજુ સુધી કરી નથી. એ કારણે લોકોમાં નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે હોવાની અને ચર્ચાએ જોર પકડ્યું છે.