ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરાય હતી
જે સ્થળે હત્યા થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારીના સંચાલકે આરોપીઓને જોયા હોવાથી હત્યાનો ભેદ ઉકેલાયો
WatchGujarat કુવાડવા રોડ પર બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. આ બે યુવાનોને શંકા હતી કે, ચોરીમાં પકડાયેલી બહેનની બાતમી મુકેશ સોલંકીએ આપી હતી. અને આ કારણે જ પ્રથમ બહેને જેલમાં અને બાદમાં તેના બનેવીએ પણ આપઘાત વહોર્યો હતો. આ આશંકને લઈને બંનેએ મુકેશની હત્યા કરી હોવાની કબૂલાત પણ આપી છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ સમગ્ર મામલે માહિતી આપવા માટે ક્રાઈમ બ્રાન્ચ એસીપીએ જણાવ્યુંહતું કે, ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારીના સંચાલકે આરોપીઓને જોયા હતા. જેથી તેની ઓળખ થઈ હતી. અને બાદમાં બાતમીના આધારે પોલીસે કમલેશ ઉર્ફે કમો વાડોદરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકીને ઝડપી લીધા છે.
ક્રાઈમ બ્રાન્ચ એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, હત્યા કરનાર કમલેશે કબૂલાત આપી છે કે, 5 વર્ષ પહેલા પોરબંદર પોલીસે કમલેશની બહેનને ચોરીના ગુનામાં પકડી પાડી હતી. દરમિયાન કમલેશની બહેને પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી હતી. બાદમાં કમલેશના બનેવીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈને કમલેશને આશંકા હતી કે, તેની બહેનની બાતમી મુકેશ સોલંકીએ આપી છે. આ મુદ્દે મુકેશ અને કમલેશના પરિવારજનો વચ્ચે મનદુ:ખ પણ ચાલતું હતુ.
શનિવારે સાંજના સમયે પણ મુકેશ અને કમલેશ તથા ગોપાલ વચ્ચે માથાકૂટ થઇ હતી. અને બાદમાં કમલેશ તેમજ ગોપાલ સાથે મળીને મુકેશને બનાવના સ્થળે લઇને ગયા હતા. અને ત્યાં પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે બંન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. આ આરોપીઓ ગોપાલ ઉર્ફે ગોવિંદ અગાઉ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. હાલ પોલીસ બંન્નેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરાય હતી
જે સ્થળે હત્યા થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારીના સંચાલકે આરોપીઓને જોયા હોવાથી હત્યાનો ભેદ ઉકેલાયો
WatchGujarat કુવાડવા રોડ પર બે દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. આ બે યુવાનોને શંકા હતી કે, ચોરીમાં પકડાયેલી બહેનની બાતમી મુકેશ સોલંકીએ આપી હતી. અને આ કારણે જ પ્રથમ બહેને જેલમાં અને બાદમાં તેના બનેવીએ પણ આપઘાત વહોર્યો હતો. આ આશંકને લઈને બંનેએ મુકેશની હત્યા કરી હોવાની કબૂલાત પણ આપી છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ સમગ્ર મામલે માહિતી આપવા માટે ક્રાઈમ બ્રાન્ચ એસીપીએ જણાવ્યુંહતું કે, ગત શનિવારના રોજ રાત્રીના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારીના સંચાલકે આરોપીઓને જોયા હતા. જેથી તેની ઓળખ થઈ હતી. અને બાદમાં બાતમીના આધારે પોલીસે કમલેશ ઉર્ફે કમો વાડોદરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકીને ઝડપી લીધા છે.
ક્રાઈમ બ્રાન્ચ એસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, હત્યા કરનાર કમલેશે કબૂલાત આપી છે કે, 5 વર્ષ પહેલા પોરબંદર પોલીસે કમલેશની બહેનને ચોરીના ગુનામાં પકડી પાડી હતી. દરમિયાન કમલેશની બહેને પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી હતી. બાદમાં કમલેશના બનેવીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. જેને લઈને કમલેશને આશંકા હતી કે, તેની બહેનની બાતમી મુકેશ સોલંકીએ આપી છે. આ મુદ્દે મુકેશ અને કમલેશના પરિવારજનો વચ્ચે મનદુ:ખ પણ ચાલતું હતુ.
શનિવારે સાંજના સમયે પણ મુકેશ અને કમલેશ તથા ગોપાલ વચ્ચે માથાકૂટ થઇ હતી. અને બાદમાં કમલેશ તેમજ ગોપાલ સાથે મળીને મુકેશને બનાવના સ્થળે લઇને ગયા હતા. અને ત્યાં પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે બંન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. આ આરોપીઓ ગોપાલ ઉર્ફે ગોવિંદ અગાઉ ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. હાલ પોલીસ બંન્નેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.