છેલ્લા 25 વર્ષમાં પ્રથમવાર BJP ને જંગી બહુમતી સાથે જીત મળતા ભાજપ તેમજ મુખ્યમંત્રી રૂપાણી ભારે ઉત્સાહિત
નીતિન ભારદ્વાજે ભવ્ય જીત માટે એઈમ્સ,એરપોર્ટ સહિતના વિકાસકામો અને મહાપાલિકા દ્વારા થયેલા પ્રાથમિક સુવિધાના કામોને યશભાગી ગણાવ્યા
સતત પાંચ વર્ષ સુધી વોર્ડમાં સક્રિય ઉપરાંત લોકપ્રિય રહેલા પૂર્વ કોર્પોરેટરો પણ હારી ગયા : મહેશ રાજપૂત, કોંગ્રેસ
WatchGujarat છેલ્લા 25 વર્ષમાં પ્રથમવાર ભાજપને જંગી બહુમતી સાથે જીત મળતા ભાજપ તેમજ મુખ્યમંત્રી રૂપાણી પણ ભારે ઉત્સાહિત થયા છે. અને રાજકોટની જનતાનો આભાર માનવા માટે બહુમાળી ચોક ખાતે જ એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય રૂપાણી તાજેતરમાં કોરોનામુક્ત થયા છે. હોમટાઉનમાં મળેલી જીતથી ઉત્સાહિત મુખ્યમંત્રી આજે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ભાજપના અપેક્ષીત શ્રેણી કાર્યકર્તાઓનાં સંમેલનમાં હાજર રહી સંબોધન કરશે. બીજીતરફ EVMમાં ગરબડ કરી ભાજપે સત્તા ટકાવી હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે.
ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે આ ભવ્ય જીત માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરના એઈમ્સ,એરપોર્ટ સહિતના વિકાસકામો અને મહાપાલિકા દ્વારા થયેલા પ્રાથમિક સુવિધાના કામો, તેમજ ભાજપનાં મજબૂત સંગઠન બળને યશભાગી ગણાવ્યા છે. અને કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. તો પૂર્વ મેયર ઉદય કાનગડે ભાજપના કામો-સંગઠનની જીત ગણાવીને મશીન પર દોષારોપણ કરવાનું છોડીને આત્મમંથન કરવાની કોંગ્રેસને સલાહ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 1980થી2000 સુધી અને ત્યારબાદ 2005થી સતત ચોથી ટર્મ ભાજપનું શાસન આવ્યું છે. આ ચૂંટણી સમયે મોંઘવારી, ટ્રાફિક દંડ સહિતના મુદ્દે લોકોમાં તીવ્ર આક્રોશ હતો. છતાંપણ આજે ભાજપનો આશ્ચર્યજનક વિજય થતાં કોંગ્રેસે જણાવ્યું કે, EVMમાં મોટા પાયે અને ચાલાકી પૂર્વક ગરબડ કરીને મતો ફેરવી નાખ્યા છે. જે અંગે અગાઉ જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરી હતી.
કોંગ્રેસના મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, જાગૃતીબેન ડાંગર,મનસુખ કાલરીયા, અતુલ રાજાણી અને ગાયત્રી બા જેવા સતત પાંચ વર્ષ સુધી વોર્ડમાં સક્રિય ઉપરાંત લોકપ્રિય રહેલા પૂર્વ કોર્પોરેટરો પણ હારી ગયા છે. તથા મતદાન વખતે લોકોની ધારણા મુજબ મતો નિકળ્યા નથી. સાથે જ ગણતરી સમયે લોકસભા-ધારાસભામાં પણ ન હોય તેવું નિયંત્રણ રખાયું હતું. અને પત્રકારોને પણ પ્રવેશતા અટકાવ્યા હોઈ આમ નાગરિકોમાં પણ સવાલ ઊઠ્યા છે.
છેલ્લા 25 વર્ષમાં પ્રથમવાર BJP ને જંગી બહુમતી સાથે જીત મળતા ભાજપ તેમજ મુખ્યમંત્રી રૂપાણી ભારે ઉત્સાહિત
નીતિન ભારદ્વાજે ભવ્ય જીત માટે એઈમ્સ,એરપોર્ટ સહિતના વિકાસકામો અને મહાપાલિકા દ્વારા થયેલા પ્રાથમિક સુવિધાના કામોને યશભાગી ગણાવ્યા
સતત પાંચ વર્ષ સુધી વોર્ડમાં સક્રિય ઉપરાંત લોકપ્રિય રહેલા પૂર્વ કોર્પોરેટરો પણ હારી ગયા : મહેશ રાજપૂત, કોંગ્રેસ
WatchGujarat છેલ્લા 25 વર્ષમાં પ્રથમવાર ભાજપને જંગી બહુમતી સાથે જીત મળતા ભાજપ તેમજ મુખ્યમંત્રી રૂપાણી પણ ભારે ઉત્સાહિત થયા છે. અને રાજકોટની જનતાનો આભાર માનવા માટે બહુમાળી ચોક ખાતે જ એક ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય રૂપાણી તાજેતરમાં કોરોનામુક્ત થયા છે. હોમટાઉનમાં મળેલી જીતથી ઉત્સાહિત મુખ્યમંત્રી આજે સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ભાજપના અપેક્ષીત શ્રેણી કાર્યકર્તાઓનાં સંમેલનમાં હાજર રહી સંબોધન કરશે. બીજીતરફ EVMમાં ગરબડ કરી ભાજપે સત્તા ટકાવી હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે.
ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે આ ભવ્ય જીત માટે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરના એઈમ્સ,એરપોર્ટ સહિતના વિકાસકામો અને મહાપાલિકા દ્વારા થયેલા પ્રાથમિક સુવિધાના કામો, તેમજ ભાજપનાં મજબૂત સંગઠન બળને યશભાગી ગણાવ્યા છે. અને કાર્યકર્તાઓનો આભાર માન્યો છે. તો પૂર્વ મેયર ઉદય કાનગડે ભાજપના કામો-સંગઠનની જીત ગણાવીને મશીન પર દોષારોપણ કરવાનું છોડીને આત્મમંથન કરવાની કોંગ્રેસને સલાહ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 1980થી2000 સુધી અને ત્યારબાદ 2005થી સતત ચોથી ટર્મ ભાજપનું શાસન આવ્યું છે. આ ચૂંટણી સમયે મોંઘવારી, ટ્રાફિક દંડ સહિતના મુદ્દે લોકોમાં તીવ્ર આક્રોશ હતો. છતાંપણ આજે ભાજપનો આશ્ચર્યજનક વિજય થતાં કોંગ્રેસે જણાવ્યું કે, EVMમાં મોટા પાયે અને ચાલાકી પૂર્વક ગરબડ કરીને મતો ફેરવી નાખ્યા છે. જે અંગે અગાઉ જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરી હતી.
કોંગ્રેસના મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, જાગૃતીબેન ડાંગર,મનસુખ કાલરીયા, અતુલ રાજાણી અને ગાયત્રી બા જેવા સતત પાંચ વર્ષ સુધી વોર્ડમાં સક્રિય ઉપરાંત લોકપ્રિય રહેલા પૂર્વ કોર્પોરેટરો પણ હારી ગયા છે. તથા મતદાન વખતે લોકોની ધારણા મુજબ મતો નિકળ્યા નથી. સાથે જ ગણતરી સમયે લોકસભા-ધારાસભામાં પણ ન હોય તેવું નિયંત્રણ રખાયું હતું. અને પત્રકારોને પણ પ્રવેશતા અટકાવ્યા હોઈ આમ નાગરિકોમાં પણ સવાલ ઊઠ્યા છે.