તાજેતરમાં કહેર બનીને આવેલી કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકો અનાથ બન્યા
ગુજરાતનાં નાથ રૂપાણીએ આવા અંદાજે 79 બાળકો સાથે સંવાદ કરી તેમને સહાય અર્પણ કરી
કોરોનામાં અનાથ બનેલાં આવા બાળકોને વાર્ષિક રૂ. 50 હજારની સહાય કરનાર જે.એમ. ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના MOU કરવામાં આવ્યા
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. અને આજે તેઓ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. અહીં તેઓ દ્વારા આજે વિવિધ લોકોપયોગી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોના દરમિયાન માતા પિતા ગુમાવી અનાથ બનેલા બાળકો સાથે ગુજરાતનાં નાથ વિજય રૂપાણીએ સંવાદ કર્યો હતો. એટલું જ નહીં પત્ની સહિત તેમની સાથે જમીન પર બેસી ભોજન લીધું હતું. અને પોતાના બર્થડેની અનોખી ઉજવણી કરી હતી. સાથે જ પોતે સાચા અર્થમાં સંવેદનશીલ હોવાનો પુરાવો આપ્યો હતો.
તાજેતરમાં કહેર બનીને આવેલી કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકો અનાથ બન્યા છે. તો અમૂકે માતા અથવા પિતા ગુમાવ્યા છે. આજે જનકલ્યાણ હોલ ખાતે ગુજરાતનાં નાથ રૂપાણીએ આવા અંદાજે 79 બાળકો સાથે સંવાદ કરી તેમને સહાય અર્પણ કરી હતી. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળના બાળકો લાભાર્થી છે. મુખ્યમંત્રીએ બાળકો સાથે વાતચીત કરી પૂછ્યું હતું કે, તમે શાળાએ જાઓ છો? ભવિષ્યમાં શું બનવા માંગો છો, જેનો પ્રત્યુત્તર આપતા બાળકોએ દેશ સેવાર્થે ડોક્ટર, એન્જિનિયર, પોલીસ તેમજ બેન્કિંગ જેવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે તેવો આપ્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો ખૂબ જ તેજસ્વી છે. અને પોતે પણ તેમના ધ્યેય પ્રત્યે સજાગ છે. આ બાળકોની ઉજ્જવળ કારકિર્દી બને તે માટે રાજ્ય સરકાર પુરેપુરો સહકાર આપી દેશના સર્વાંગી વિકાસમાં આ બાળકો પણ તેમનું યોગદાન પૂરું પાડી શકે તે માટેના પ્રયાસો કરશે. નોંધનીય છે કે, કોરોનામાં અનાથ બનેલાં આવા બાળકોને વાર્ષિક રૂ. 50 હજારની સહાય કરનાર જે.એમ. ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના MOU કરવામાં આવ્યા હતા. બાલ સેવાના લાભાર્થી 79 બાળકને વિજય રૂપાણીએ ગિફ્ટ આપી હતી તેમજ વિધવા બહેનોને પુનઃલગ્ન માટે રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.
રૂપાણીએ શહેર પોલીસ આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેર પોલીસ આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં નાર્કોટિક્સ સેલ, રામનાથપરા પોલીસ લાઇન નવનિર્મિત હોલ અને રાજ્યના સૌપ્રથમ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંપર્ક સોફ્ટવેરનું લોકાર્પણ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કોરોનામાં ફરજ દરમિયાન મૃત્યુ પામનારા કર્મચારીના પરિવારને સહાય આપવામાં આવી હતી. તાજેતરમાં જ રાજકોટમાં પૂર્વ પત્નીની હત્યા કરનાર આરોપીને પકડવા પોલીસને મદદ કરનાર ચાર યુવકોનું પણ સીએમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે કોવિડ ગાઈડ લાઇનના ધજાગરા
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાજપ કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ તકે કોરોનાની ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડયા હતા. જેમાં RMC કોર્પોરેટરો જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયતના સભ્યો સહિત તમામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં તમામ નિયમો તોડ્યા હતા. CM રૂપાણીને મળવા માટે કાર્યાલયમાં મોટી ભીડ એકઠી થતા સોશીયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. અને જે સરકારના નેતાઓ કોવિડ અભ્યાન ચલાવે છે તે જ નેતાઓ નિયમન ભંગ કરતા જોવા મળ્યા હતાં. જો કે પોલીસ હંમેશની માફક મુકપ્રેક્ષક બની ગઈ હતી. જેને લઈને લોકોમાં સવાલો ઉઠયા છે.
તાજેતરમાં કહેર બનીને આવેલી કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકો અનાથ બન્યા
ગુજરાતનાં નાથ રૂપાણીએ આવા અંદાજે 79 બાળકો સાથે સંવાદ કરી તેમને સહાય અર્પણ કરી
કોરોનામાં અનાથ બનેલાં આવા બાળકોને વાર્ષિક રૂ. 50 હજારની સહાય કરનાર જે.એમ. ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના MOU કરવામાં આવ્યા
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. અને આજે તેઓ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. અહીં તેઓ દ્વારા આજે વિવિધ લોકોપયોગી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોરોના દરમિયાન માતા પિતા ગુમાવી અનાથ બનેલા બાળકો સાથે ગુજરાતનાં નાથ વિજય રૂપાણીએ સંવાદ કર્યો હતો. એટલું જ નહીં પત્ની સહિત તેમની સાથે જમીન પર બેસી ભોજન લીધું હતું. અને પોતાના બર્થડેની અનોખી ઉજવણી કરી હતી. સાથે જ પોતે સાચા અર્થમાં સંવેદનશીલ હોવાનો પુરાવો આપ્યો હતો.
તાજેતરમાં કહેર બનીને આવેલી કોરોનાની બીજી લહેરમાં અનેક બાળકો અનાથ બન્યા છે. તો અમૂકે માતા અથવા પિતા ગુમાવ્યા છે. આજે જનકલ્યાણ હોલ ખાતે ગુજરાતનાં નાથ રૂપાણીએ આવા અંદાજે 79 બાળકો સાથે સંવાદ કરી તેમને સહાય અર્પણ કરી હતી. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળના બાળકો લાભાર્થી છે. મુખ્યમંત્રીએ બાળકો સાથે વાતચીત કરી પૂછ્યું હતું કે, તમે શાળાએ જાઓ છો? ભવિષ્યમાં શું બનવા માંગો છો, જેનો પ્રત્યુત્તર આપતા બાળકોએ દેશ સેવાર્થે ડોક્ટર, એન્જિનિયર, પોલીસ તેમજ બેન્કિંગ જેવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે તેવો આપ્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકો ખૂબ જ તેજસ્વી છે. અને પોતે પણ તેમના ધ્યેય પ્રત્યે સજાગ છે. આ બાળકોની ઉજ્જવળ કારકિર્દી બને તે માટે રાજ્ય સરકાર પુરેપુરો સહકાર આપી દેશના સર્વાંગી વિકાસમાં આ બાળકો પણ તેમનું યોગદાન પૂરું પાડી શકે તે માટેના પ્રયાસો કરશે. નોંધનીય છે કે, કોરોનામાં અનાથ બનેલાં આવા બાળકોને વાર્ષિક રૂ. 50 હજારની સહાય કરનાર જે.એમ. ફાઇનાન્શિયલ ફાઉન્ડેશન સાથે સમાજ સુરક્ષા વિભાગના MOU કરવામાં આવ્યા હતા. બાલ સેવાના લાભાર્થી 79 બાળકને વિજય રૂપાણીએ ગિફ્ટ આપી હતી તેમજ વિધવા બહેનોને પુનઃલગ્ન માટે રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.
રૂપાણીએ શહેર પોલીસ આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેર પોલીસ આયોજીત કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં નાર્કોટિક્સ સેલ, રામનાથપરા પોલીસ લાઇન નવનિર્મિત હોલ અને રાજ્યના સૌપ્રથમ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંપર્ક સોફ્ટવેરનું લોકાર્પણ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કોરોનામાં ફરજ દરમિયાન મૃત્યુ પામનારા કર્મચારીના પરિવારને સહાય આપવામાં આવી હતી. તાજેતરમાં જ રાજકોટમાં પૂર્વ પત્નીની હત્યા કરનાર આરોપીને પકડવા પોલીસને મદદ કરનાર ચાર યુવકોનું પણ સીએમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે કોવિડ ગાઈડ લાઇનના ધજાગરા
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ભાજપ કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ તકે કોરોનાની ગાઈડ લાઈનનાં ધજાગરા ઉડયા હતા. જેમાં RMC કોર્પોરેટરો જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયતના સભ્યો સહિત તમામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં તમામ નિયમો તોડ્યા હતા. CM રૂપાણીને મળવા માટે કાર્યાલયમાં મોટી ભીડ એકઠી થતા સોશીયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો હતો. અને જે સરકારના નેતાઓ કોવિડ અભ્યાન ચલાવે છે તે જ નેતાઓ નિયમન ભંગ કરતા જોવા મળ્યા હતાં. જો કે પોલીસ હંમેશની માફક મુકપ્રેક્ષક બની ગઈ હતી. જેને લઈને લોકોમાં સવાલો ઉઠયા છે.