પોઝીટીવ કેસ તેમજ મૃતકોની વધી રહેલી સંખ્યાને અટકાવવા તંત્ર સતત હવાતિયાં મારી રહ્યું છે.
WatchGujarat. શહેરમાં કોરોનાનું વરવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અને પોઝીટીવ કેસ તેમજ મૃતકોની વધી રહેલી સંખ્યાને અટકાવવા તંત્ર સતત હવાતિયાં મારી રહ્યું છે. ત્યારે વધુ 19 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજતાં ફફડાટ વધ્યો છે. બીજીતરફ ટેસ્ટિંગમાં લોકો જાગૃત થતા તંત્ર વામણું સાબિત થયું છે. અને RT-PCR ટેસ્ટ માટે 48 કલાકનું વેઇટિંગ થતા કોરોના પોઝીટીવ દર્દીઓ જીવતા બોંબ માફક ફરી રહ્યા છે. આ દરમિયાન આજે વહીવટી તંત્રની IMA સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં 200 જેટલા બેડ વધારવાનો નિર્ણય લેવાયો છે.
સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.5નાં સવારનાં 8 વાગ્યા થી તા.6નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર-જીલ્લાના 19 દર્દીઓએ દમ તોડી દીધો હતો. ગઇકાલે 16 પૈકી માત્ર બે મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયુ છે. હાલ શહેર અને જીલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં મળીને માત્ર 444 બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા સપ્તાહમાં કોરોના સંક્રમિતનો આંકડો 300ને પાર કરી ગયો છે. ત્યારે આ ખાલી બેડની સંખ્યા ઘણી ઓછી હોય તંત્ર દ્વારા બેડ વધારવા માટે કવાયત હાથ ધરવા સાથે ટેસ્ટીંગની સાથે કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોટેલ સંચાલકો, IMA સર્જન-ફિઝીશિયન ડોક્ટર એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી હતી. જે લોકો માઇલ્ડ સીમટોમ્સ ધરાવે છે તેમને ક્વોરન્ટીન કરવા માટે હોટેલમાં ફરી વ્યવસ્થા શરૂ કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 209 બેડ વધારવામાં આવ્યા છે. જેમાં શ્રેયસ હોસ્પિટલ દ્વારા સૂર્યકાંત હોટેલમાં 25થી 30 બેડની સાથે સિવિલમાં 60, સ્ટર્લિંગમાં 15, જીનેસીસમાં 21 અને સમરસ હોસ્ટેલમાં 110 બેડ વધારવામાં આવ્યા હોવાનું અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા ગોંડલ-ધોરાજી અને જેતપુરમાં 100 બેડવાળી પ્રાઇવેટ હોસ્પિટલ આગામી એકથી બે દિવસમાં શરૂ કરવા તૈયારી શરૂ કરાઇ છે. જેમાં ધોરાજીમાં સૌથી વધુ કેસ નોંધાતા તૈલી હોટલ ખાતે ખાસ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ વીરનગરમાં 100 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન નાંખવાનું કામ શરૂ કરાયું છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જનાર હોવાની વિગતો પણ અધિક કલેક્ટરે આપી છે.
રાજકોટમાં ટેસ્ટ વિશે લોકોમાં જાગૃતિ આવતા મનપા તંત્ર વામણુ સાબિત થઈ રહ્યું છે. અને અગાઉ 15થી 24 કલાકમાં જે RT-PCR રીપોર્ટ મળતો હતો તે હવે 48 કલાકે આવે છે. દરમિયાન શંકાસ્પદ દર્દી રિપોર્ટ આવવાના સમય દરમિયાન જીવતા બોમ્બની જેમ ફરે છે અને સંક્રમણ વધારે છે. પ્રાઇવેટ લેબમાં પણ આવી જ સ્થિતિ છે. જેમાં ભટ્ટ લેબોરેટરી, સંજીવની મેટ્રો પોલીમ, મંગલમ, સિવિલ હોસ્પિટલ, ગ્રીન સહિત 8થી વધુ લેબોરેટરીમાં પણ હાલ રિપોર્ટ માટે 48થી લઈ 72 કલાકનું વેઇટિંગ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, સિવિલ કોવિડ હોસ્પિટલમાં રહેલા દર્દીઓ સાથે વિડીયો કોલ દ્વારા વાત કરવા તંત્ર દ્વારા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દર્દીઓની સંખ્યા ઘણી વધુ હોવાથી ત્યાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ત્યાંથી પણ સંક્રમણ વધવાની દહેશત ઉભી થઇ છે. જો કે સતત વધતા સંક્રમણ સામે તંત્ર સંપૂર્ણપણે લાચાર બની ગયું હોવાનું હાલ સ્પષ્ટ લાગી રહ્યું છે. અને તમામ મોરચે તંત્ર સદંતર નિષ્ફળ હોવાનું કહેવું જરાપણ અતિશયોક્તિ ભર્યું નથી.
પોઝીટીવ કેસ તેમજ મૃતકોની વધી રહેલી સંખ્યાને અટકાવવા તંત્ર સતત હવાતિયાં મારી રહ્યું છે.
WatchGujarat. શહેરમાં કોરોનાનું વરવું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. અને પોઝીટીવ કેસ તેમજ મૃતકોની વધી રહેલી સંખ્યાને અટકાવવા તંત્ર સતત હવાતિયાં મારી રહ્યું છે. ત્યારે વધુ 19 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજતાં ફફડાટ વધ્યો છે. બીજીતરફ ટેસ્ટિંગમાં લોકો જાગૃત થતા તંત્ર વામણું સાબિત થયું છે. અને RT-PCR ટેસ્ટ માટે 48 કલાકનું વેઇટિંગ થતા કોરોના પોઝીટીવ દર્દીઓ જીવતા બોંબ માફક ફરી રહ્યા છે. આ દરમિયાન આજે વહીવટી તંત્રની IMA સાથે એક બેઠક યોજાઇ હતી. જેમાં 200 જેટલા બેડ વધારવાનો નિર્ણય લેવાયો છે.
સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.5નાં સવારનાં 8 વાગ્યા થી તા.6નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર-જીલ્લાના 19 દર્દીઓએ દમ તોડી દીધો હતો. ગઇકાલે 16 પૈકી માત્ર બે મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયુ છે. હાલ શહેર અને જીલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં મળીને માત્ર 444 બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા સપ્તાહમાં કોરોના સંક્રમિતનો આંકડો 300ને પાર કરી ગયો છે. ત્યારે આ ખાલી બેડની સંખ્યા ઘણી ઓછી હોય તંત્ર દ્વારા બેડ વધારવા માટે કવાયત હાથ ધરવા સાથે ટેસ્ટીંગની સાથે કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હોટેલ સંચાલકો, IMA સર્જન-ફિઝીશિયન ડોક્ટર એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી હતી. જે લોકો માઇલ્ડ સીમટોમ્સ ધરાવે છે તેમને ક્વોરન્ટીન કરવા માટે હોટેલમાં ફરી વ્યવસ્થા શરૂ કરવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 209 બેડ વધારવામાં આવ્યા છે. જેમાં શ્રેયસ હોસ્પિટલ દ્વારા સૂર્યકાંત હોટેલમાં 25થી 30 બેડની સાથે સિવિલમાં 60, સ્ટર્લિંગમાં 15, જીનેસીસમાં 21 અને સમરસ હોસ્ટેલમાં 110 બેડ વધારવામાં આવ્યા હોવાનું અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા ગોંડલ-ધોરાજી અને જેતપુરમાં 100 બેડવાળી પ્રાઇવેટ હોસ્પિટલ આગામી એકથી બે દિવસમાં શરૂ કરવા તૈયારી શરૂ કરાઇ છે. જેમાં ધોરાજીમાં સૌથી વધુ કેસ નોંધાતા તૈલી હોટલ ખાતે ખાસ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ વીરનગરમાં 100 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન લાઇન નાંખવાનું કામ શરૂ કરાયું છે, જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જનાર હોવાની વિગતો પણ અધિક કલેક્ટરે આપી છે.
રાજકોટમાં ટેસ્ટ વિશે લોકોમાં જાગૃતિ આવતા મનપા તંત્ર વામણુ સાબિત થઈ રહ્યું છે. અને અગાઉ 15થી 24 કલાકમાં જે RT-PCR રીપોર્ટ મળતો હતો તે હવે 48 કલાકે આવે છે. દરમિયાન શંકાસ્પદ દર્દી રિપોર્ટ આવવાના સમય દરમિયાન જીવતા બોમ્બની જેમ ફરે છે અને સંક્રમણ વધારે છે. પ્રાઇવેટ લેબમાં પણ આવી જ સ્થિતિ છે. જેમાં ભટ્ટ લેબોરેટરી, સંજીવની મેટ્રો પોલીમ, મંગલમ, સિવિલ હોસ્પિટલ, ગ્રીન સહિત 8થી વધુ લેબોરેટરીમાં પણ હાલ રિપોર્ટ માટે 48થી લઈ 72 કલાકનું વેઇટિંગ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, સિવિલ કોવિડ હોસ્પિટલમાં રહેલા દર્દીઓ સાથે વિડીયો કોલ દ્વારા વાત કરવા તંત્ર દ્વારા ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દર્દીઓની સંખ્યા ઘણી વધુ હોવાથી ત્યાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ત્યાંથી પણ સંક્રમણ વધવાની દહેશત ઉભી થઇ છે. જો કે સતત વધતા સંક્રમણ સામે તંત્ર સંપૂર્ણપણે લાચાર બની ગયું હોવાનું હાલ સ્પષ્ટ લાગી રહ્યું છે. અને તમામ મોરચે તંત્ર સદંતર નિષ્ફળ હોવાનું કહેવું જરાપણ અતિશયોક્તિ ભર્યું નથી.