દર્દીઓનાં કોરોના સારવાર દરમિયાન ભોગ લેવાતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો
104 હેલ્પલાઇન સેવા પર કોલ કર્યાનાં કલાકો બાદ કોઈ નહીં ડોકાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
1000 ઓક્સિજન બેડ શરૂ કરવા કવાયત
WatchGujarat. શહેરમાં હાલ કોરોના વાયુવેગે પ્રસરી રહ્યો છે. જેને પગલે તંત્ર પણ રીતસરનું ગોટાળે ચડી ગયું છે. આંકડાઓ છુપાવવા ચાલતી મથામણ વચ્ચે જ છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓનાં કોરોના સારવાર દરમિયાન ભોગ લેવાતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. બીજીતરફ હોસ્પિટલ સુધી નહીં પહોંચી શકતા લોકો માટે આશીર્વાદ રૂપ ગણાતી 104 સેવા પણ કથળી ગઈ છે. જેમાં કોલ કર્યાનાં કલાકો બાદ કોઈ નહીં ડોકાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે બેડની ફરિયાદોને લઈ વધુ 1000 ઓક્સિજન બેડ શરૂ કરવા માટે કવાયત ચાલી રહી હોવાનું આશ્વાસન કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે.
રાજકોટમાં કોરોના મોતનું તાંડવ ખેલી રહ્યો હોય તેમ ગઈકાલે 24 દર્દીઓનાં મોત નિપજ્યા બાદ આજે વધુ 31 દર્દીઓનાં મોત નિપજ્યા છે. સત્તાવાર આંકડાઓ મુજબ, ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં વધુ 31 દર્દીઓનાં કોરોનાની ચાલતી સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ મોત પૈકી ખરેખર કેટલા લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. ગઈકાલે 24 મોત પૈકી માત્ર 5 મોત કોરોનાને કારણે થયા હોવાનું કમિટી દ્વારા જણાવાયું છે. જો કે તંત્ર દ્વારા કરવામાં આવતા આંકડા છુપાવવાના પ્રયાસોની પોલ સ્મશાનમાં ખુલી રહી છે. અને કોવિડ ગાઈડલાઇન મુજબ કરાતી અંતિમવિધિનાં આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
હાલમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈને શહેરની તમામ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. તેમજ ફાયર NOCને લઈ ખાનગી સંચાલકો નવી હોસ્પિટલ શરૂ કરવા તૈયાર નથી. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં બેડની તીવ્ર અછત ઉભી થઇ છે. કલેક્ટર તંત્ર દ્વારા જ બેડની ઇન્કવાયરી માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર 24 કલાકમાં 100 કરતા વધારે ફરિયાદો મળી છે. વોચ ગુજરાત દ્વારા ખાસ કરવામાં આવેલા ટેલિફોનિક સર્વેમાં ગમે તેટલા રૂપિયા તેમજ કોઈપણ ઓળખાણ હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં હાલ એકપણ બેડ ઉપલબ્ધ ન હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. જો કે જિલ્લા કલેક્ટરે હાલ 1000 ઓક્સિજન બેડ શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી હોવાનું જણાવી આ પૈકી 500 જેટલા બેડ આજથી કાર્યરત થવાનો દાવો કર્યો છે. પણ સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તે જોતા આ બેડ પણ 5-6 દિવસમાં ફૂલ થઈ જાય તેવું જણાઈ રહ્યું છે.
બીજીતરફ રાજકોટ શહેર-જિલ્લામાં કોવિડ ટેસ્ટીંગ માટે 104 ઉપર કોલનો મારો જોવા મળી રહયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 104 સેવાને 687 અને જિલ્લામાં 37 કોલ મળ્યા હતા. સામાન્ય રીતે કોલ કર્યા બાદ એકાદ કલાકમાં હેલ્થની ટીમ આવી જતી હોય છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી 104માં કોલ કર્યા બાદ કલાકો સુધી ગાડી આવતી ન હોવાથી લોકો અકળાઈ ઉઠયા છે. 104ની સેવાઓનો એવરેજ રિસ્પોન્સ સમય શહેરમાં 51 અને જિલ્લામાં 37 મિનિટ હોવાનો આરોગ્ય વિભાગ દાવો કરે છે. પણ હાલ આ સેવા માટેની ગાડી દર્દીને ઘરે પહોંચતા પાંચ - છ કલાક નીકળી જાય છે. 104 સ્ટેટ લેવલની સેવા છે. તેમાં ફોન કર્યા બાદ રાજ્યની ટીમ જે-તે શહેર તેમજ જિલ્લામાં ડેટા ટ્રાન્સફર કરે છે. અને દર્દીના ઘરે જઈને રેપીડ કોરોના ટેસ્ટ કરવાની સાથે દવા પણ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તેની સામે લડવામાં કલેક્ટર અને મનપા તંત્રની તૈયારીઓમાં અનેક ખામીઓ હાલ સામે આવી રહી છે. તો પોલીસ તંત્ર સંક્રમણ રોકવાના નામે દંડ ફટકારવામાં જ મસ્ત છે. આટલી સ્ફોટક સ્થિતિ હોવા છતાં ખોબલે ખોબલે મત મેળવનાર સાંસદ સહિતના દિગ્ગજ નેતા જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ કોઈ ડોકાતું પણ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોમ ટાઉનને જ ભૂલી ગયા હોય તેમ કોઈપણ ઉચ્ચ અધિકારીને અહીં મોકલવાની તસ્દી પણ હજુ સુધી લેવામાં આવી નથી. ત્યારે હાલ તો રંગીલા રાજકોટની પ્રજાનો રંગ ઉડી ગયો છે, તેમજ ભગવાન ભરોસે કોરોના સામે લોકો ઝઝૂમી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે.
દર્દીઓનાં કોરોના સારવાર દરમિયાન ભોગ લેવાતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો
104 હેલ્પલાઇન સેવા પર કોલ કર્યાનાં કલાકો બાદ કોઈ નહીં ડોકાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
1000 ઓક્સિજન બેડ શરૂ કરવા કવાયત
WatchGujarat. શહેરમાં હાલ કોરોના વાયુવેગે પ્રસરી રહ્યો છે. જેને પગલે તંત્ર પણ રીતસરનું ગોટાળે ચડી ગયું છે. આંકડાઓ છુપાવવા ચાલતી મથામણ વચ્ચે જ છેલ્લા 24 કલાકમાં 31 દર્દીઓનાં કોરોના સારવાર દરમિયાન ભોગ લેવાતા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. બીજીતરફ હોસ્પિટલ સુધી નહીં પહોંચી શકતા લોકો માટે આશીર્વાદ રૂપ ગણાતી 104 સેવા પણ કથળી ગઈ છે. જેમાં કોલ કર્યાનાં કલાકો બાદ કોઈ નહીં ડોકાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે બેડની ફરિયાદોને લઈ વધુ 1000 ઓક્સિજન બેડ શરૂ કરવા માટે કવાયત ચાલી રહી હોવાનું આશ્વાસન કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું છે.
રાજકોટમાં કોરોના મોતનું તાંડવ ખેલી રહ્યો હોય તેમ ગઈકાલે 24 દર્દીઓનાં મોત નિપજ્યા બાદ આજે વધુ 31 દર્દીઓનાં મોત નિપજ્યા છે. સત્તાવાર આંકડાઓ મુજબ, ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં વધુ 31 દર્દીઓનાં કોરોનાની ચાલતી સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ મોત પૈકી ખરેખર કેટલા લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. ગઈકાલે 24 મોત પૈકી માત્ર 5 મોત કોરોનાને કારણે થયા હોવાનું કમિટી દ્વારા જણાવાયું છે. જો કે તંત્ર દ્વારા કરવામાં આવતા આંકડા છુપાવવાના પ્રયાસોની પોલ સ્મશાનમાં ખુલી રહી છે. અને કોવિડ ગાઈડલાઇન મુજબ કરાતી અંતિમવિધિનાં આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
હાલમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈને શહેરની તમામ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. તેમજ ફાયર NOCને લઈ ખાનગી સંચાલકો નવી હોસ્પિટલ શરૂ કરવા તૈયાર નથી. જેને લઈને સિવિલ હોસ્પિટલમાં બેડની તીવ્ર અછત ઉભી થઇ છે. કલેક્ટર તંત્ર દ્વારા જ બેડની ઇન્કવાયરી માટે ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર 24 કલાકમાં 100 કરતા વધારે ફરિયાદો મળી છે. વોચ ગુજરાત દ્વારા ખાસ કરવામાં આવેલા ટેલિફોનિક સર્વેમાં ગમે તેટલા રૂપિયા તેમજ કોઈપણ ઓળખાણ હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં હાલ એકપણ બેડ ઉપલબ્ધ ન હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. જો કે જિલ્લા કલેક્ટરે હાલ 1000 ઓક્સિજન બેડ શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી હોવાનું જણાવી આ પૈકી 500 જેટલા બેડ આજથી કાર્યરત થવાનો દાવો કર્યો છે. પણ સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તે જોતા આ બેડ પણ 5-6 દિવસમાં ફૂલ થઈ જાય તેવું જણાઈ રહ્યું છે.
બીજીતરફ રાજકોટ શહેર-જિલ્લામાં કોવિડ ટેસ્ટીંગ માટે 104 ઉપર કોલનો મારો જોવા મળી રહયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 104 સેવાને 687 અને જિલ્લામાં 37 કોલ મળ્યા હતા. સામાન્ય રીતે કોલ કર્યા બાદ એકાદ કલાકમાં હેલ્થની ટીમ આવી જતી હોય છે. પરંતુ છેલ્લા થોડા દિવસથી 104માં કોલ કર્યા બાદ કલાકો સુધી ગાડી આવતી ન હોવાથી લોકો અકળાઈ ઉઠયા છે. 104ની સેવાઓનો એવરેજ રિસ્પોન્સ સમય શહેરમાં 51 અને જિલ્લામાં 37 મિનિટ હોવાનો આરોગ્ય વિભાગ દાવો કરે છે. પણ હાલ આ સેવા માટેની ગાડી દર્દીને ઘરે પહોંચતા પાંચ - છ કલાક નીકળી જાય છે. 104 સ્ટેટ લેવલની સેવા છે. તેમાં ફોન કર્યા બાદ રાજ્યની ટીમ જે-તે શહેર તેમજ જિલ્લામાં ડેટા ટ્રાન્સફર કરે છે. અને દર્દીના ઘરે જઈને રેપીડ કોરોના ટેસ્ટ કરવાની સાથે દવા પણ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તેની સામે લડવામાં કલેક્ટર અને મનપા તંત્રની તૈયારીઓમાં અનેક ખામીઓ હાલ સામે આવી રહી છે. તો પોલીસ તંત્ર સંક્રમણ રોકવાના નામે દંડ ફટકારવામાં જ મસ્ત છે. આટલી સ્ફોટક સ્થિતિ હોવા છતાં ખોબલે ખોબલે મત મેળવનાર સાંસદ સહિતના દિગ્ગજ નેતા જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ કોઈ ડોકાતું પણ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોમ ટાઉનને જ ભૂલી ગયા હોય તેમ કોઈપણ ઉચ્ચ અધિકારીને અહીં મોકલવાની તસ્દી પણ હજુ સુધી લેવામાં આવી નથી. ત્યારે હાલ તો રંગીલા રાજકોટની પ્રજાનો રંગ ઉડી ગયો છે, તેમજ ભગવાન ભરોસે કોરોના સામે લોકો ઝઝૂમી રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે.