શનિ- રવિવારે વરસેલા 2 ઇંચથી લઇ 8 ઇંચ સુધી વરસાદને કારણે 3 ડેમ ઓવર ફ્લો થયા
આજી-2, મોતીસર અને વેણુ-2 ડેમ ઓવરફ્લો થયા
વરસાદ પહેલા સરેરાશ પાણીનો જથ્થો 24 ટકા હતો. જે બે દિવસનાં સારા વરસાદ બાદ 36 ટકા થયો
WatchGujarat. રાજકોટ જીલ્લામાં પડેલા વરસાદને કારણે જીવાદોરી સમાન જળાશયોમાં નવા નિરની આવક થઇ છે. જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે ગોંડલનો મોતીસર ડેમ અને વેણુ ડેમ ઓવર ફ્લો થયો છે. શનિ- રવિવારે વરસેલા 2 ઇંચથી લઇ 8 ઇંચ સુધી વરસાદને કારણે 3 ડેમ ઓવર ફ્લો થયા છે. રાજકોટ જીલ્લાનાં 26 ડેમમાં 24 ટકા પાણીનો જથ્થો હતો. જેમાં આ વરસાદ વરસતા 36 ટકા જેટલું પાણી થયું છે. એટલે કે સરેરાશ 12 ટકા નવા પાણીની આવક થઈ છે. અને 3 ડેમ ઓવરફ્લો થતા હાલ પૂરતી મોટી રાહત થઈ છે.
સિંચાઇ વિભાગનાં કાર્યપાલક ઈજનેર એસ.જી. પટેલે જણાવ્યા મુજબ, જિલ્લાના 26 જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. જેમાં આજી-2, મોતીસર અને વેણુ-2 ડેમ ઓવરફ્લો થયા છે. વરસાદ પહેલા સરેરાશ પાણીનો જથ્થો 24 ટકા હતો. જે બે દિવસનાં સારા વરસાદ બાદ 36 ટકા થયો છે. અને આ વરસાદ થતાં જળાશયોમાં સરેરાશ 12 ટકા જેટલું નવું પાણી આવ્યું છે. જે જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે, તેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અને જિલ્લા પોલીસ, કલેક્ટર, TDO, ગ્રામ પંચાયત તેમજ મામલતદાર સહિતના તંત્રને પણ સતત અપડેટ આપવમાં આવતું હોવાનું પણ તેમણે કહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ જીલ્લામાં પડેલા વરસાદને કારણે રાજકોટનો આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે. જેના 5 દરવાજા 3 ફુટ ખોલવામાં આવ્યા હતા. જ્યારે હાલમાં પણ 1 દરવાજો 1 ફુટ ખોલાતા નિચાણવાળા 10 ગામને એલર્ટ રાખવામાં આવ્યા છે. સિંચાઇ માટે રીઝર્વ રાખવામાં આવેલા આજી-2 ડેમ ઓવરફ્લો થતા ડેમનું લેવલ જળવાઇ રહે તે માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે પડઘરી સુધીનાં 10 ગામનાં ખેડુતોનાં રાહત મહામુલા પાકને સિંચાઇ માટે પાણી મળી રહેશે.
નોંધનીય છે કે, હાલ તમામ ડેમમાં 36 ટકા જેટલું પાણી છે. જ્યારે ચોમાસામાં ડેમમાં ઓછામાં ઓછું 70 ટકા પાણી સંગ્રહ થયા બાદ સિંચાઇ માટે હોવું જોઇએ. તો માત્ર બે દિવસમાં સારો એવો વરસાદ થતા જિલ્લાનાં જળાશયોમાં નવા નિરની આવક થઇ છે. જેને કારણે ખેડુતોનાં પાકને નવું જીવન મળશે. જોકે નદી-નાળા અને કોઝ વે પર થી પાણી પસાર થતું હોવાથી લોકોને નિચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ન જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહીનાં પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લાનાં જળાશયોની હાલની સ્થિતી
1) ભાદર ડેમની કુલ ઉંડાઇ 35 ફુટ છે જ્યારે 0.49 ફુટ નવા નિરની આવક થતા હાલ 22.28 ટકા ડેમ ભરાયો છે.
2) મોજ ડેમની કુલ ઉંડાઇ 44 ફુટ છે. જ્યારે 11.91 ફુટ નવા નિરની આવક થતા હાલ 56.62 ટકા ડેમ ભરાયો છે.
3) વેણું-2 ડેમની કુલ ઉંડાઇ 54.13 ફુટ છે. જ્યારે 5.41 ફુટ નવા નિરની આવક થતા 76.43 ટકા ડેમ ભરાયો છે.
4) આજી-1 ડેમની કુલ ઉંડાઇ 36.52 ફુટ છે. જેમાં નવા નિરની આવક 0.62 ફુટ થતા 28.54 ટકા ડેમ ભરાયો છે. જોકે નર્મદાનાં નિર સૌની યોજનાથી આવી રહ્યા છે.
5) આજી-2 ડેમની કુલ ઉંડાઇ 42.19 ફુટ છે. જે ઓવરફ્લો થતા 1 દરવાજો 1 ફુટ ખોલીને લેવલ મેન્ટેઈન કરવામાં આવી રહ્યું છે.
શનિ- રવિવારે વરસેલા 2 ઇંચથી લઇ 8 ઇંચ સુધી વરસાદને કારણે 3 ડેમ ઓવર ફ્લો થયા
આજી-2, મોતીસર અને વેણુ-2 ડેમ ઓવરફ્લો થયા
વરસાદ પહેલા સરેરાશ પાણીનો જથ્થો 24 ટકા હતો. જે બે દિવસનાં સારા વરસાદ બાદ 36 ટકા થયો
WatchGujarat. રાજકોટ જીલ્લામાં પડેલા વરસાદને કારણે જીવાદોરી સમાન જળાશયોમાં નવા નિરની આવક થઇ છે. જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે ગોંડલનો મોતીસર ડેમ અને વેણુ ડેમ ઓવર ફ્લો થયો છે. શનિ- રવિવારે વરસેલા 2 ઇંચથી લઇ 8 ઇંચ સુધી વરસાદને કારણે 3 ડેમ ઓવર ફ્લો થયા છે. રાજકોટ જીલ્લાનાં 26 ડેમમાં 24 ટકા પાણીનો જથ્થો હતો. જેમાં આ વરસાદ વરસતા 36 ટકા જેટલું પાણી થયું છે. એટલે કે સરેરાશ 12 ટકા નવા પાણીની આવક થઈ છે. અને 3 ડેમ ઓવરફ્લો થતા હાલ પૂરતી મોટી રાહત થઈ છે.
સિંચાઇ વિભાગનાં કાર્યપાલક ઈજનેર એસ.જી. પટેલે જણાવ્યા મુજબ, જિલ્લાના 26 જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. જેમાં આજી-2, મોતીસર અને વેણુ-2 ડેમ ઓવરફ્લો થયા છે. વરસાદ પહેલા સરેરાશ પાણીનો જથ્થો 24 ટકા હતો. જે બે દિવસનાં સારા વરસાદ બાદ 36 ટકા થયો છે. અને આ વરસાદ થતાં જળાશયોમાં સરેરાશ 12 ટકા જેટલું નવું પાણી આવ્યું છે. જે જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે, તેમના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. અને જિલ્લા પોલીસ, કલેક્ટર, TDO, ગ્રામ પંચાયત તેમજ મામલતદાર સહિતના તંત્રને પણ સતત અપડેટ આપવમાં આવતું હોવાનું પણ તેમણે કહ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજકોટ જીલ્લામાં પડેલા વરસાદને કારણે રાજકોટનો આજી-2 ડેમ ઓવરફ્લો થયો છે. જેના 5 દરવાજા 3 ફુટ ખોલવામાં આવ્યા હતા. જ્યારે હાલમાં પણ 1 દરવાજો 1 ફુટ ખોલાતા નિચાણવાળા 10 ગામને એલર્ટ રાખવામાં આવ્યા છે. સિંચાઇ માટે રીઝર્વ રાખવામાં આવેલા આજી-2 ડેમ ઓવરફ્લો થતા ડેમનું લેવલ જળવાઇ રહે તે માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે પડઘરી સુધીનાં 10 ગામનાં ખેડુતોનાં રાહત મહામુલા પાકને સિંચાઇ માટે પાણી મળી રહેશે.
નોંધનીય છે કે, હાલ તમામ ડેમમાં 36 ટકા જેટલું પાણી છે. જ્યારે ચોમાસામાં ડેમમાં ઓછામાં ઓછું 70 ટકા પાણી સંગ્રહ થયા બાદ સિંચાઇ માટે હોવું જોઇએ. તો માત્ર બે દિવસમાં સારો એવો વરસાદ થતા જિલ્લાનાં જળાશયોમાં નવા નિરની આવક થઇ છે. જેને કારણે ખેડુતોનાં પાકને નવું જીવન મળશે. જોકે નદી-નાળા અને કોઝ વે પર થી પાણી પસાર થતું હોવાથી લોકોને નિચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ન જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહીનાં પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લાનાં જળાશયોની હાલની સ્થિતી
1) ભાદર ડેમની કુલ ઉંડાઇ 35 ફુટ છે જ્યારે 0.49 ફુટ નવા નિરની આવક થતા હાલ 22.28 ટકા ડેમ ભરાયો છે.
2) મોજ ડેમની કુલ ઉંડાઇ 44 ફુટ છે. જ્યારે 11.91 ફુટ નવા નિરની આવક થતા હાલ 56.62 ટકા ડેમ ભરાયો છે.
3) વેણું-2 ડેમની કુલ ઉંડાઇ 54.13 ફુટ છે. જ્યારે 5.41 ફુટ નવા નિરની આવક થતા 76.43 ટકા ડેમ ભરાયો છે.
4) આજી-1 ડેમની કુલ ઉંડાઇ 36.52 ફુટ છે. જેમાં નવા નિરની આવક 0.62 ફુટ થતા 28.54 ટકા ડેમ ભરાયો છે. જોકે નર્મદાનાં નિર સૌની યોજનાથી આવી રહ્યા છે.
5) આજી-2 ડેમની કુલ ઉંડાઇ 42.19 ફુટ છે. જે ઓવરફ્લો થતા 1 દરવાજો 1 ફુટ ખોલીને લેવલ મેન્ટેઈન કરવામાં આવી રહ્યું છે.